Chandrayaan 3 Mission | ચંદ્રયાન 3 સફળ લોન્ચિંગ બાદ PM નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને પાઠવી શુભેચ્છા

ISRO Chandrayaan 3 Launch LIVE updates news in gujarati: આજે શુક્રવારે 14 જુલાઈ 2023ના રોજ બપોરે 2.30 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિતિ સતિષ ધવન સ્પેસ્ટ સેન્ટરમાંથી ચંદ્રયાન 3 મિશન લોન્ચ થયુ હતું.

Written by Ankit Patel
Updated : July 20, 2023 12:45 IST
Chandrayaan 3 Mission | ચંદ્રયાન 3 સફળ લોન્ચિંગ બાદ PM નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચંદ્રયાન 3ની તસવીર

Chandrayaan 3 Mission, live news, PM Narendra Modi best wishes : જેની દેશવાસીઓ આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ ઘડી આવી ગઈ છે. ઇસરો દ્વારા શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેશ સેન્ટર પરથી ચંદ્રયાન 3 મિશનને લોન્ચ કર્યું હતું. આ મિશન પર આખી દુનિયાની નજર છે. ત્યારે ફ્રાન્સના પ્રવેસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ક્ષણ માટે ઉત્સાહી હતી. ઇસરો દ્વારા કરાયેલા ચંદ્રયાન 3 ના લોંચિગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

લોચિંગ બાદ મોદીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 ના સફળતા પૂર્વક લોન્ચ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ચંદ્રયાન 3ને ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. આ દરેક ભારતીયઓના સપના અને મહત્વપૂર્ણ કક્ષાઓને ઉપર ઉઠાવવા માટે ઊંચી ઉડાન છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.

ટ્વીટ કરીને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 લોંચ માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતના અવકાશ ક્ષેત્રનો પ્રશ્ન છે 14 જુલાઈ 2023નો દિવસ હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. ચંદ્રયાન 3 આપણું ત્રીજું ચંદ્ર મિશન, પોતાની યાત્રા પર જશે. આ ઉલ્લેખનીય મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે ચંદ્રયાન 3 મિશન માટે શુભેચ્છાઓ.. હું તમારા બધા માટે આ મિશન અને અંતરિક્ષ વિજ્ઞાન અને ઇનોવેશનમાં આપણે જે પ્રગતિ કરી છે એ અંગે સૌથી વધારે જાણવા આગ્રહ કરું છું. આનાથી તમને ખુબ જ ગર્વ મહેસૂસ થશે.

Chandrayaan 3 mission : ચંદ્રયાન 3થી ખરેખર શું પ્રાપ્ત થશે?

ચંદ્રયાન 3 મિશન માત્ર ભારત માટે જ નહીં પણ દુનિયાના બાકીના દેશો માટે પણ ખૂબ જ મહત્વનું છે. ભારતના આ મિશન થકી દુનિયાના આગામી મૂન મિશનને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તેમાંય અમેરિકા દ્વારા માણસોને ચંદ્ર ઉપર મોકલવાની જે તૈયારીઓ ચાલી રહી છે તેને પગલે અણેરિકાને ભારતની સફળતાની સૌથી વધારે આશા છે.

ભારતની આ હનુમાન છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન બની રહેશે. દક્ષિણ ધ્રુવની સપાટીની રચના તેની સ્થિતિ, તેમાં રહેલા ખનીજો, પાણીની સ્થિતિ ઓક્સિજન, હાઇડ્રોજન, હિલિયમ વગેરેની ઉપલબ્ધતા આ મશન થકી જાણી શકાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ