scorecardresearch

કલમ 370 નાબુદ થયા પછી જમ્મુ કાશ્મીરને પ્રથમ FDI પ્રોજેક્ટ મળ્યો, કંપની 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

FDI project in Jammu Kashmir : લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, આ પ્રોજેક્ટની ખીણમાં 10,000થી વધુ લોકોને નોકરીઓ આપવાની ક્ષમતા છે

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો (તસવીર – ટ્વિટર)

દુબઈ સ્થિત બુર્જ ખલીફાને બનાવનાર કંપની એમારે જમ્મુ કાશ્મીરમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રવિવારે શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના અંતર્ગત શ્રીનગરની બહારના ભાગમાં એક શોપિંગ મોલ અને બહુમાળી ભવનનું નિર્માણ કરવામાં આવશે. લેફ્ટિનેન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં ખીણમાં 10000થી વધુ લોકોને નોકરીઓ આપવાની ક્ષમતા છે. 2019માં કેન્દ્ર દ્વારા કલમ 370ને રદ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ FDI પ્રોજેક્ટ છે.

EMAAR ગ્રૂપના CEO અમિત જૈન, બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય અને અભિનેત્રી નીતુ ચંદ્રા ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત લોકોમાં સામેલ હતા. મનોજ સિન્હાએ દુબઈ મોલ અને બુર્જ ખલીફાના નિર્માતા EMAAR જૂથને ત્રણ વર્ષની સમયમર્યાદા પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આગ્રહ કર્યો છે. મનોજ સિન્હાએ કહ્યું કે જો સંસદ સંકુલ 1.5 વર્ષની અંદર પૂર્ણ થઈ શકે છે તો અમે ચોક્કસપણે નક્કી કરાયેલા સમય પહેલા પૂર્ણ થવાની અપેક્ષા રાખી શકીએ છીએ.

એમાર ગ્રૂપના CEO અમિત જૈને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં તેમની કંપનીના રોકાણની ઉંડી અસર પડશે. તેમણે કહ્યું કે દરેક એક રૂપિયાના રોકાણ સાથે નવ રૂપિયાનું બીજુ રોકાણ થશે. આ રીતે 500 કરોડ રૂપિયાનું રોકાણ આગળ ચાલીને 5,000 કરોડના રોકાણમાં બદલાઇ જશે. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની કંપની જમ્મુ અને કાશ્મીરમાં અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાનું વિચારી રહી છે, જૈને કહ્યું કે ગલ્ફમાંથી અન્ય કંપનીઓ છે જે તે શક્યતાઓ જોઈ રહી છે.

તેમણે કહ્યું કે દુબઈ વર્લ્ડ લોજિસ્ટિક્સ કેન્દ્રો સ્થાપવા પર વિચાર કરી રહી છે. અમીરાત એરલાઇન્સ છે જે કદાચ અહીં કેન્દ્રો સ્થાપી રહી છે. આ પ્રોજેક્ટ હમણાં જ શરૂ થયો છે અને તે સાઉદી અરેબિયા જેવા અન્ય દેશોમાંથી રોકાણકારો લાવી શકે છે.

આ પણ વાંચો – ગુજરાતના કિરણ પટેલે મંદિરના સંતોના નામે પણ કરી છેતરપિંડી, નિવૃત PSIને કરોડો રૂપિયાનો લગાવ્યો ચૂનો

જ્યારે પૂછવામાં આવ્યું કે શું કાશ્મીર આગામી દુબઈ બની શકે છે, જૈને કહ્યું શા માટે નહીં? આકાશ એ મર્યાદા છે અને તે જ આપણે લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે કહ્યું કે કંપની સ્થાનિક લોકોને રોજગારી આપશે. આ મહેનતુ લોકો છે. કાશ્મીરના આતિથ્ય સત્કાર અને તે વિશ્વભરમાં જાણીતું છે.

અભિનેત્રી નીતુ ચંદ્રાએ કહ્યું કે કાશ્મીરમાં તેની પ્રથમ મુલાકાત હતી અને તે સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગઈ છે. એક ફિલ્મ નિર્માતા તરીકે હું આગળ ભવિષ્ય જોઈ રહી છું. હું મારા ભાઈ સાથે બે ફિલ્મોનું આયોજન કરી રહી છું જેમાં તે નિર્માતા પણ છે.

વિવેક ઓબેરોયે કહ્યું કે એમાર એક વૈશ્વિક બ્રાન્ડ છે જે કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. EMAAR એ UAEની વૈશ્વિક બ્રાન્ડ છે. તેઓ અહીં મોટું રોકાણ કરી રહ્યા છે જે સ્થાનિકો માટે 10000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે. હું ઈચ્છું છું કે આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થાય.

ઓબેરોયે કહ્યું કે કાશ્મીરી યુવાનો પ્રતિભાશાળી, પ્રેમાળ અને આતિથ્ય માટે પ્રખ્યાત છે. હું પહેલેથી જ કાશ્મીરમાં શિક્ષણમાં રોકાણ કરી રહ્યો છું. અમારી પાસે અહીં એસ્પાયર નામની કંપની છે જે લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ આપવામાં મદદ કરે છે. મને લાગે છે કે અહીં ઘણી બધી આશ્ચર્યજનક વસ્તુઓ થઈ રહી છે.

Web Title: Jammu kashmir gets first fdi project post article 370 abrogation emaar group invest 500 crores rupees

Best of Express