પહેલગામ આતંકી હુમલો ન્યૂઝ અપડેટ્સ: PM મોદીએ અજીત ડોભાલ, જયશંકર સાથે ખાસ બેઠક કરી

Pahalgam terror attack : પહેલગામ આતંકી હુમલો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સાઉદી પ્રવાસ ટૂંકાવી દેશ પરત ફર્યા છે. પર્યટકો પર થયેલા ઘાતકી હુમલા અંગે વડાપ્રધાન મોદીએ અજીત ડોભાલ અને વિદેશ મંત્રી જયશંકર સાથે ખાસ બેઠક કરી સમગ્ર મામલે ચર્ચા કરી હતી.

Written by Haresh Suthar
Updated : April 23, 2025 13:58 IST
પહેલગામ આતંકી હુમલો ન્યૂઝ અપડેટ્સ: PM મોદીએ અજીત ડોભાલ, જયશંકર સાથે ખાસ બેઠક કરી

પહેલગામ આતંકી હુમલો ન્યૂઝ અપડેટ્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે સાઉદી અરેબિયાથી પહોંચ્યા બાદ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બેઠક કરી હતી, આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા.

વડાપ્રધન મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ મંગળવારે મોડી રાત્રે શ્રીનગર પહોંચ્યા હતા અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. આજે તેઓ પહેલગામ આવ્યા હતા અને પીડિતો સાથે મુલાકાત કરી હતી.

પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ પીએમ મોદીએ X પર પોસ્ટ શેયર કરી કહ્યું કે, હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું… આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને બક્ષવામાં આવશે નહીં! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં.

હાલની પરિસ્થિતિ શું છે?

જમ્મુ ક્ષેત્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને હુમલા બાદ મંગળવારે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો થયા છે. ડોડા શહેરમાં લોકોએ મંગળવારે મોડી સાંજે પ્રદર્શનો કર્યા અને પુતળા બાળ્યા, સનાતન ધર્મ સભાના કિશ્તવાડ એકમે હુમલાના વિરોધમાં બુધવારે બંધનું એલાન આપ્યું છે. જમ્મુ શહેરના ગુર્જર નગર વિસ્તારમાં, મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં બહાર આવ્યા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

આ પણ વાંચો: આતંકીઓ ગોળીઓ વરસાવતા રહ્યા… પીડિતોએ જણાવી આપવીતી

એરલાઇન્સ સેવા

આતંકવાદી હુમલા પછી એરલાઈન્સે કાશ્મીરથી ખાસ ફ્લાઇટ્સની જાહેરાત કરી. બુધવારે વહેલી સવારે, એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને જાહેરાત કરી હતી કે એરલાઇન બુધવારે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

આ પણ વાંચો: પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ કોણ છે?

પોસ્ટમાં જણાવાયું કે, શ્રીનગર જતી અને આવતી અમારી અન્ય બધી ફ્લાઇટ્સ સમયપત્રક મુજબ ચાલુ રહેશે. એર ઇન્ડિયા આ ક્ષેત્રો પર 30 એપ્રિલ 2025 સુધી કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને રદ કરવા પર મફત રિશેડ્યુલિંગ અને સંપૂર્ણ રિફંડ પણ ઓફર કરી રહી છે.

ઇન્ડિગોએ X પર જણાવ્યું કે, “અમે મુસાફરી માટે રિશેડ્યુલિંગ અથવા રદ કરવા માટે છૂટ 30 એપ્રિલ સુધી લંબાવી છે, જે 22 એપ્રિલ અથવા તે પહેલાં કરવામાં આવેલા બુકિંગ પર લાગુ પડે છે.

પહલગામ આતંકી હુમલો કરનાર આતંકી સંગઠન RTF શું છે?

ઇન્ડિગોએ એવી પણ જાહેરાત કરી હતી કે તે શ્રીનગરથી અને ત્યાંથી બે વધારાની ફ્લાઇટ્સ, દિલ્હી અને મુંબઈથી એક-એક ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

પ્રવાસીઓને નિશાન બનાવાયા

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, પહેલગામના બૈસરનમાં બે-ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ વર્ષે પ્રવાસીઓ પર આ પહેલો આતંકવાદી હુમલો છે. ગયા વર્ષે મે મહિનામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જ્યારે બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા. તે ઘટના પણ પહેલગામમાં બની હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ