Deoghar Accident: ઝારખંડના દેવધરમાં ટ્રક સાથે બસ અથડાતા 5 કાવડિયાના મોત, 23 લોકો ઘાયલ

Deoghar Accident News : ઝારખંડના દેવધર જિલ્લામાં કાવડ યાત્રા દરમિયાન ટ્રક અને બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો છે, જેમા 5 કાવડિયાના મોત થયા છે.

Deoghar Accident News : ઝારખંડના દેવધર જિલ્લામાં કાવડ યાત્રા દરમિયાન ટ્રક અને બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો છે, જેમા 5 કાવડિયાના મોત થયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Jharkhand accident | Deoghar Accident News

ઝારખંડમાં ભયંકર અકસ્માત (Photo-X)

Deoghar Accident News : ઝારખંડના દેવધરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. દેવધરમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, "મારી લોકસભાના દેવધરમાં શ્રાવણ મહિનામાં કાંવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રકના અકસ્માતને કારણે 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે, મૃતકોમાં 5 કાંવડિયા પણ સામેલ છે . બાબા વૈદ્યનાથજી તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ”

Advertisment

નિશિકાંત દુબે પહેલા ઝોનલ આઈપી સંથાલ પરગના એસકે સિન્હાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, એક બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં પાંચ કાંવડિયાઓના મોત થયા છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

વહેલી સવારે અકસ્માત થયો

દેવધરના SDO રવિ કુમારે જણાવ્યું કે, રોડ અકસ્માતની જાણકારી સવારે 4-5 વાગે આસપાસ મળી હતી. દેવધરથી શ્રદ્ધાળુઓને લઇ વાસુકિનાથ જઇ રહેલી એક ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. ત્યારબાદ બસ ડ્રાઇવર બેલેન્સ ગુમાવ્યો અને તે ઇંટના ઢગલા સાથે અથડાઇ હતી. તેમણે ઉમેર્યું કે, આ અકસ્માતમાં બસ ડ્રાઇવરની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ છે. આ અકસ્માતમાં 5 કાંવડિયાના પણ મોત થયા છે. ઉપરાંત 23 લોકો ઘાયલ થયા છે.

Advertisment
ઝારખંડ અકસ્માત