Joshimath Land Subsidence: જોશીમઠની હાલત પર દુઃખી છે વડાપ્રધાન, રાજ્ય કેબિનેટની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય

joshimath sinking updates : શુક્રવારે 13 જાન્યુઆરીએ ઉત્તરાખંડ કેબિનેટ બેઠકમાં જોશીમઠ ઉપર મહ્વના નિર્ણયો આવવાની સંભાવના છે. રક્ષામંત્રી રાજનાધ સિંહે ગુરુવારે કહ્યું હતું કે ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધંસવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રૂપથી દુઃખી છે.

Written by Ankit Patel
January 13, 2023 11:09 IST
Joshimath Land Subsidence: જોશીમઠની હાલત પર દુઃખી છે વડાપ્રધાન, રાજ્ય કેબિનેટની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય
જોશીમઠમાં જમીન ધંસવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રૂપથી દુઃખી

Joshimath Sinking: જોશીમઠમાં જમીન ધસી પડવાથી પ્રભાવિત વિસ્તારમાં સ્થિત હોટલો અને મકાનોને તોડી પાડવાની કામગીરીનો વિરોધ શાંત થતાં જ તંત્રએ હોટલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂને તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે. બીજી તરફ શુક્રવારે 13 જાન્યુઆરીએ ઉત્તરાખંડ કેબિનેટ બેઠકમાં જોશીમઠ ઉપર મહ્વના નિર્ણયો આવવાની સંભાવના છે. રક્ષામંત્રી રાજનાધ સિંહે ગુરુવારે કહ્યું હતું કે ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધંસવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રૂપથી દુઃખી છે.

હોટલ મલાર ઇન અને માઉન્ટ વ્યૂને તોડી પાડવાની કાર્યવાહી શરૂ

જોશીમઠમાં વહીવટીતંત્રે મલેરી ઇન હોટલને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી. સીબીઆરઆઈના ચીફ સાયન્ટિસ્ટ ડીપી કાનુન્ગોએ માહિતી આપી હતી કે અમે બિલ્ડિંગમાંથી બિન-માળખાકીય તત્વોને દૂર કરી રહ્યા છીએ. તેને તોડી પાડવામાં 7-10 દિવસનો સમય લાગશે અને તે મિકેનિકલ ફ્રેગમેન્ટેશન નામની ટેકનિક દ્વારા કરવામાં આવશે.

રક્ષા મંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સતત કામ કરી રહ્યા છે. નૈનીતાલ હાઈકોર્ટે જોશીમઠમાં વારંવાર ભૂસ્ખલન અંગે ગુરૂવારે દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે આપત્તિ વ્યવસ્થાપન નિષ્ણાતો ડૉ. પીયૂષ રૌતેલા અને ડૉ. એમ.પી.એસ. બિષ્ટને સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પ્રશાસને હોટેલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂ તરફ જતો રસ્તો બંધ કરી દીધો

જોશીમઠમાં ગેસ કટર લઈને ડિમોલિશન ટીમના સભ્યોએ હોટલોની અંદર કામ શરૂ કર્યું છે. પ્રશાસને હોટેલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂ તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે અને પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવી દીધા છે. બંને હોટલમાંથી ઘણો સામાન હટાવી લેવામાં આવ્યો છે. શુક્રવારે બારી-બારણા, શટર દૂર કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને બંને હોટલનો કબજો લઈ લીધો છે. ડિમોલિશન ઝુંબેશ શુક્રવારે પણ ચાલુ રહેશે.

ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં 37 નવા મકાનોમાં તિરાડો દેખાઈ

ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં 37 નવા મકાનોમાં તિરાડો દેખાઈ છે. જ્યારે હવે ખતરનાક અસરગ્રસ્ત ઈમારતોની સંખ્યા 42 થી વધીને 128 થઈ ગઈ છે. અધિક સચિવ-આપત્તિ વ્યવસ્થાપન આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વધુ 24 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પર્યાવરણવિદ રવિ ચોપરા કહે છે કે જોશીમઠમાં આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે NTPC દ્વારા હાથ ધરવામાં આવેલી ટનલિંગ કવાયતનું પરિણામ છે એવું માનવા માટે પૂરતું કારણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ