/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/pm-modi-kalki-dham.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કલ્કી ધામ શિલાન્યાસ - photo- ANI
Kalki Dham lok sabha election, કલ્કી ધામ : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 370 બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. વર્ષ 2019માં ભાજપે જે બેઠકો જીતી હતી. ફરી કમળ ખીલવાની તૈયારી છે. સાથે જ હારેલી લોકસભા સીટો પર પણ ભગવો લહેરાવવાની યોજના બનાવી રહી છે. આ વખતે ભાજપનું ધ્યાન હારેલી બેઠકો પર છે. પીએમ મોદીની સંભલ જિલ્લાની મુલાકાત આ બેઠકોને જીતમાં બદલવાનો પ્રયાસ છે. PM મોદી 15 વર્ષ પછી સંભલ જિલ્લાની મુલાકાતે છે, અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના અનોખા મંદિર ક્લાકી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. પીએમની મુલાકાત ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
આ 6 બેઠકો પર ભાજપની નજર ટકેલી
ભારતીય જનતા પાર્ટી કોઈપણ ભોગે ગુમાવેલી 6 બેઠકો પર લીડ મેળવવા માંગે છે. આ 6 હારેલી બેઠકોમાં મુરાદાબાદ, રામપુર, અમરોહા, સંભલ, બિજનૌર અને નગીનાનો સમાવેશ થાય છે. જેથી કરીને લોકસભા ચૂંટણીમાં યુપીમાંથી સીટોની સંખ્યા વધારી શકાય. સંભલની લોકસભા બેઠક રાજકીય દૃષ્ટિકોણથી મહત્વની રહી છે. લોકસભા ચૂંટણી 2024 માટે તમામ પક્ષોએ પોતાના સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે.
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ સૌથી વધુ સમય સંભલ બેઠક પર શાસન કર્યું છે. યાદવ ઉમેદવારો અહીંથી 11 વખત જીત્યા છે. ભાજપ માત્ર એક જ વખત મુસ્લિમ બહુમતીવાળી સીટ પર જીત મેળવી શક્યું છે. સંભલ સીટ પર યાદવ ઉમેદવારની સૌથી વધુ પકડ છે. સંભલ એક સમયે મુરાદાબાદનો ભાગ હતો. હવે સંભલમાં 5 વિધાનસભા બેઠકો છે - ચંદૌસી, બિલારી, કુંડારકી, અસમૌલી અને સંભલ. સંભલ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું જન્મસ્થળ હોવાનું કહેવાય છે. સંભલ લોકસભા સીટ 1977માં અસ્તિત્વમાં આવી હતી. 2014 સુધી આ બેઠક પર 11 વખત લોકસભા ચૂંટણી થઈ છે.
VIDEO | Security tightened in UP's Sambhal ahead of PM Modi’s visit.
He will lay the foundation stone of the Shri Kalki Dham Temple in Sambhal district later today. pic.twitter.com/a9G2ydZRSB— Press Trust of India (@PTI_News) February 19, 2024
જો તેની વાત કરીએ તો લગભગ 8.5 લાખ મુસ્લિમ મતદારો છે. તે જ સમયે, લગભગ 2.75 લાખ એસસી કેટેગરીના મતદારો, 1.5 લાખ યાદવ મતદારો અને 5.25 લાખ પછાત અને સામાન્ય મતદારો છે. અયોધ્યા બાદ પીએમ મોદી મુલાકાત માટે સંભલ પહોંચી રહ્યા છે. અહીં તેઓ ભગવાન વિષ્ણુના દસમા અવતાર ભગવાન કલ્કીના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Narendra-Modi-UAE-Visit-1.jpg)
ભગવાન કલ્કિ ધામનું મંદિર ભવ્ય બનશે
કલ્કીને ભગવાન વિષ્ણુનો 10મો અને છેલ્લો અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કલ્કી પ્રગટ થશે. કલ્કિ ધામને વિશ્વનું એક અનોખું મંદિર કહેવામાં આવે છે કારણ કે કલ્કી ધામ પહેલું ધામ છે જ્યાં ભગવાનના મંદિરનું નિર્માણ તેમના અવતાર પહેલા પણ થઈ રહ્યું છે. કલ્કી ધામ મંદિરમાં એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ બનાવવામાં આવશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર અલગથી સ્થાપિત કરવામાં આવશે.
VIDEO | Visuals from Uttar Pradesh's Sambhal where PM Modi will lay foundation stone of the Shri Kalki Dham Temple later today. pic.twitter.com/ksA5s6dkZ3
— Press Trust of India (@PTI_News) February 19, 2024
સંભલનું આ કલ્કી ધામ એ જ ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવી રહ્યું છે જેનો ઉપયોગ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કરવામાં આવ્યો હતો. કલ્કી ધામ મંદિરના શિખરની ઊંચાઈ 108 ફૂટ હશે અને કલ્કી ધામ મંદિરનું પ્લેટફોર્મ 11 ફૂટથી ઉપર બનાવવામાં આવશે. મંદિરમાં કોઈપણ પ્રકારના લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કલ્કિ મંદિરનું નિર્માણ અંદાજે 5 એકરમાં થશે અને તેના નિર્માણમાં 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us