scorecardresearch

આઈડિયા એક્સચેન્જમાં મલ્લિકાર્જુન ખડગે: ‘જે લોકો કોંગ્રેસને સમર્થન આપવા માગે છે તેઓ ડરે છે, અમે ડરવાના નથી, અમે સત્ય માટે લડીશું’

Mallikarjun Kharge at Idea Exchange : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આઇડિયા એક્સચેન્જ કાર્યક્રમમાં કર્ણાટકમાં ચૂંટણી વિશે વાત કરી હતી.

congress national president mallikarjun kharge, congress leader mallikarjun kharge on karnataka election, mallikarjun kharge interview
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી આગામી દિવસોમાં યોજાવા જઇ રહી છે ત્યારે દરેક પક્ષો કર્ણાટકમાં સત્તા બનાવવા માટે ચૂંટણી મેદનામાં ઉતરી ગયા છે. દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષને વિજય બનાવવા માટે કામ કરી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આઇડિયા એક્સચેન્જ કાર્યક્રમમાં કર્ણાટકમાં ચૂંટણી વિશે વાત કરી હતી. એસોસિએટ એડિટર મનોજ સીજી દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ આઇડિયા એક્સચેન્જમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંગે વાત કરતા જણાવ્યું હતું કે વિપક્ષી એકતા તરફ કામ કરે છે અને કોંગ્રેસ પાર્ટીમાં તેમની સ્વાયત્તતા છે.

મનોજ સીજી: તાજેતરનું સંસદનું સત્ર ઉગ્ર હતું પરંતુ અમે વિપક્ષની એકતાની ઝાંખી જોઇ. તમે આને ચૂંટણીના દૃષ્ટિકોણથી કેવી રીતે આગળ લઈ જશો?

સંસદની બહાર પણ દરેકે એક થવું જોઈએ. મેં બે-ત્રણ નેતાઓ સાથે ચર્ચા કરી છે. ઉદાહરણ તરીકે, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને મેં કહ્યું હતું કે ખાસ કરીને બીજેપી વિરુદ્ધ એકતા માટે લડવું અને એક થવું એ સમયની જરૂરિયાત છે. મેં એમકે સ્ટાલિન સાથે, ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી. આ (સંસદ) સત્ર પછી, અમે તમામ નેતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. તમામ રાજકીય પક્ષો લોકશાહી અને સંસ્થાઓ, ખાસ કરીને બંધારણના રક્ષણના મુદ્દે એકજૂથ છે.

સરકાર પોતાની સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે અને વિરોધ પક્ષોના અવાજને દબાવી રહી છે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC) બાબતે પણ અમને એક કર્યા છે,ખાસ કરીને રાહુલ ગાંધીની ગેરલાયકાત પછી. અમે બધાને મળવાનો પ્રયત્ન કરીશું. ચાલો જોઈએ કે કેટલા લોકો સાથે આવશે… જો કોઈ અમારી સાથે જોડાવા માટે સંમત ન થાય તો પણ અમે લડત છોડીશું નહીં. અમે સાથે મળીને લડવાનો પૂરો પ્રયાસ કરીશું.

મનોજ સીજી: તમારી પાર્ટીએ સંસદમાં વિરોધ કર્યો અને રાહુલ ગાંધીની ગેરલાયકાત સામે દેશભરમાં સત્યાગ્રહો યોજી રહ્યા છો. પણ શું જનતા તમારી સાથે છે?

લોકોના હૃદયમાં સહાનુભૂતિ છે. તેથી જ જો તમે બધા અખબારોના તંત્રીલેખ જોશો, તો દરેકે આ મુદ્દાને જે રીતે લેવામાં આવ્યો છે અને તેની સાથે કેવી રીતે અલગ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે તેની નિંદા કરી છે. રાહુલ ગાંધીની ગેરલાયકાત વીજળીની ઝડપે થઈ હતી પરંતુ ગુજરાતના ભાજપના સાંસદ નારણભાઈ ભીખાભાઈ કાછડિયાને જુઓ, તેમને ત્રણ વર્ષની સજા થઈ અને લોકસભા સ્પીકરે કોઈ નોંધ લીધી ન હતી.

રાહુલ ગાંધીને બપોરે દોષિત ઠેરવવામાં આવ્યા અને તરત જ સાંજે તેમને ગેરલાયક ઠરાવવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. 8થી 10 કલાક પછી તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે બીજી નોટિસ આપવામાં આવી હતી. તેમની ગેરલાયકાત તેમના મોં બંધ કરવા અને તેમને સંસદમાં ન આવવા દેવા માટે સર્જિકલ સ્ટ્રાઈક જેવી હતી. જ્યારે રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેઓ એટલા ડરી ગયા કે તેમને જવાબ આપવાને બદલે તેઓએ આ રસ્તો પસંદ કર્યો… જ્યારે બહારના લોકો આ બધું જોશે ત્યારે તેઓને દેશમાં લોકશાહીની સ્થિતિ સમજાશે.

વંદિતા મિશ્રા: શું તમને નથી લાગતું કે એક રાજકીય પક્ષ તરીકે તમારે તેને (લોકશાહી/બંધારણ)ને લોકો માટે મહત્ત્વના મુદ્દા તરીકે ઘડવા માટે કંઈક કરવાની જરૂર છે?

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું. ખાસ કરીને ભાજપના ટીકાકારો આશ્ચર્ય વ્યક્ત કરતા હતા કે જે વ્યક્તિ આરામ અને વૈભવી જીવન જીવે છે, તે કેવી રીતે કરી શકે છે. તેમણે 3,800 કિમીની મુસાફરી કરી, તમામ હવામાન પરિસ્થિતિઓનો સામનો કર્યો અને સમાજના તમામ વર્ગના લોકોને મળ્યા. તે લોકો સાથે સમય વિતાવતા અને તેમની સમસ્યાઓ વિશે પૂછતા હતા. આ યાત્રાનો ઉદ્દેશ્ય બંધારણ અને લોકશાહીને બચાવવા અને મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ સામે લોકોને સાથે રાખીને લડવાનો હતો. આ લડાઈ લાંબી છે અને અમે તેને 2024 સુધી એક યા બીજા સ્વરૂપે ચાલુ રાખીશું. અમે સંસદમાં લડ્યા અને બહાર પણ લડીશું.

આલોક દેશપાંડે: વિનાયક સાવરકર પર રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણીઓએ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને ઘેરી લીધા છે. તમારા એલાયન્સ પાર્ટનરને એક ખૂણામાં મૂકવાનો અર્થ શું છે?

દરેક જગ્યાએ વૈચારિક મતભેદો છે. હું તેને આ એકતામાં લાવવા માંગતો નથી. લોકો જ્યોતિબા ફૂલે, ડૉ. બી.આર. આંબેડકર, સાવરકર, જવાહરલાલ નેહરુ કે મહાત્મા ગાંધીને પસંદ કરી શકે છે. તે અલગ છે. અમે કોને કોને પસંદ કરે છે તેની લડાઈમાં પડવા માંગતા નથી. અમે રાજ્યના વિકાસ માટે સાથે મળીને લડવા માંગીએ છીએ. અમે વિકાસ પર કામ કરી રહ્યા હતા પરંતુ ભાજપે એક રમત રમી અને જેમને જનતાએ સરકાર બનાવવા માટે પસંદ કર્યા હતા તેમને દૂર કર્યા. તેઓએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, મણિપુર અને ગોવામાં આવું કર્યું… ભૂતકાળમાં કોઈ રાજકીય પક્ષે આવું કર્યું ન હતું.

શુભજીત રોયઃ તમે હવે કોંગ્રેસ અધ્યક્ષ છો. કોંગ્રેસને પરિવાર દ્વારા ચાલતી પાર્ટી તરીકે જોવામાં આવે છે. તમારી પાર્ટીમાં કેટલી સ્વાયત્તતા છે?

ગાંધી પરિવાર પક્ષના સભ્યોમાં ભેદ રાખતો નથી. તે ભાજપે ઉભી કરેલી અફવા છે. રાજીવ ગાંધી પછી બીજા કયા ગાંધી મંત્રી, વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રી બન્યા? હું ગ્રાસરૂટમાંથી આવું છું. હું છેલ્લા 52 વર્ષથી ચૂંટણી જીતી રહ્યો છું. અમે પાર્ટીની વર્કિંગ કમિટીને સ્ટીયરિંગ કમિટીમાં ફેરવી દીધી. જ્યારથી હું પાર્ટીનો અધ્યક્ષ બન્યો છું, અમે ઘણા ફેરફારો કર્યા છે. અમે બિહાર અને ઝારખંડ માટે પાર્ટી અધ્યક્ષ પસંદ કર્યા છે. અમે ઘણી જગ્યાએ સચિવો બદલ્યા છે. પક્ષ માટે 25 વર્ષથી અથાક મહેનત કરનાર વ્યક્તિની સલાહ લેવી શું ગુનો છે?

તેઓ અમારા પર રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવવામાં આવે છે તેવો આક્ષેપ કરે છે. મને કહો, પાર્ટી દ્વારા ભાજપના કયા વરિષ્ઠ નેતાની સલાહ લેવામાં આવે છે. ક્યાં છે લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોશી? સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનો ઇનકાર કરી દીધો અને એક અર્થશાસ્ત્રીને દેશના પીએમ બનાવ્યા હતા. તેમના (ભાજપના) કેબિનેટ મંત્રીઓ પણ અવાજ ઉઠાવતા નથી. કેરળના અમારા એક નેતા સીએમ સ્ટીફન ઈન્દિરા ગાંધીની ખૂબ ટીકા કરતા હતા. તેમ છતાં, ઈન્દિરાએ તેમને ચૂંટણી જીતીને વિપક્ષના નેતા બનાવ્યા છે.

ભાજપમાં અસંમતિને કોઈ સ્થાન નથી. અટલ બિહારી વાજપેયીના સમયમાં અસંમતિ માટે થોડી જગ્યા હતી. આજે તેઓ પારિવારિક રાજનીતિમાં વ્યસ્ત છે. પીએમ પૂછે છે કે નામ નેહરુ કેમ નથી. શું આ એવો પ્રશ્ન છે જે પીએમને પૂછવો જોઈએ? શું આ તેમની વિચારધારા છે? દેશ માટે મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરો. તમારી વિદેશ અને આર્થિક નીતિઓ વિશે વાત કરો. તેઓ પૂછતા રહે છે કે 70 વર્ષમાં અમે શું કર્યું. જો આપણે 70 વર્ષમાં કંઈ ન કર્યું હોત તો વિકાસ થયો ન હોત.

વંદિતા મિશ્રા: જ્યારે સીબીઆઈ અને ઈડીના દુરુપયોગ અથવા સત્તાના કેન્દ્રીકરણના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે કોંગ્રેસે પણ કર્યું છે. શું કોંગ્રેસે ભાજપની ટીકા કરતા પહેલા સ્વીકારવાની જરૂર છે કે તેઓએ આ ભૂલો કરી છે?

આ મુદ્દે તેઓ ઘણી ચૂંટણી લડ્યા છે. 25-30 વર્ષથી તેઓ આવું કહેતા આવ્યા છે. અમે ભૂલો કરી અને તમે લોકોના ધ્યાને દોર્યું. લોકશાહીમાં અમે હંમેશા પ્રગતિ અને વિકાસ ઈચ્છીએ છીએ. તેના બદલે તમે લોકશાહીનો નાશ કરવા અને વિપક્ષને ચૂપ કરવા પર ધ્યાન આપો છો. જો તમે આ રીતે આગળ વધવા માંગો છો, તો તે રાષ્ટ્ર માટે સારું નથી.

લીના મિશ્રાઃ લગભગ 30 વર્ષ થઈ ગયા છે, ગુજરાતમાં કોંગ્રેસ ફરી ક્યારે સત્તામાં આવશે?

તમે અમને મત આપો ત્યારે અમે સત્તામાં આવીશું.

લીના મિશ્રા: શા માટે લોકો તમને (ગુજરાતમાં) વોટ નથી આપતા?

મારા પોતાના મતવિસ્તારમાં મેં કર્ણાટકમાં આટલું કામ કર્યું. રાજ્યના સાત જિલ્લાઓને ભરતી, રોજગાર, વિકાસ અને શિક્ષણમાં મદદ કરવા માટે મેં બંધારણમાં સુધારો કર્યો… કામ ચાલી રહ્યું છે… તે વિસ્તારના લોકોએ મને 52 વર્ષ માટે ચૂંટ્યો છે. સારું કામ કરવા છતાં ભાજપ-આરએસએસના લોકો અમને નિશાન બનાવે છે.

મોદીએ 2018માં રાષ્ટ્રપતિના ભાષણના જવાબમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે ખડગેજી વરિષ્ઠ છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ પરંતુ આગામી ચૂંટણીમાં તેઓ ત્યાં બેઠા હશે કે નહીં, મને ખબર નથી. આવું તેમણે ગૃહમાં પીએમ તરીકે કહ્યું હતું. આનો અર્થ એ છે કે તમે લોકોને ટાર્ગેટ કરો છો અને કોઈ સારું કામ કરવામાં આવતું નથી. તમે પૈસા ખર્ચો છો અને ખોટો પ્રચાર કરો છો. જો આપણે લઘુમતી માટે ન્યાય માટે બોલીએ છીએ કે જેના પર હુમલો કરવામાં આવ્યો છે, તો તેઓ ત્યાં લોકોનું ધ્રુવીકરણ કરવા દોડે છે… (તેઓ) લોકો સાથે ખોટું બોલે છે અને તેનો ઉપયોગ કરે છે.

RSS અને રચનાત્મક નિષ્ણાતોને ડરાવીને સ્વાયત્ત સંસ્થાઓનું શોષણ કરે છે. આ રીતે તેઓ બધાને ડરાવે છે. કેટલાં અખબારો ભૂલ કરે ત્યારે હિંમતભેર લખે છે? કેટલી ટીવી ચેનલો પર લોકો ભાજપના વિચારોનો વિરોધ કરે છે? તેમની સામે કેટલા લોકો લખે છે? જો તેઓ કરે તો તેમને જેલમાં મોકલવામાં આવે છે. પ્રગતિશીલ લેખકોને ધમકાવવામાં આવે છે. જ્યારે મેં સંસદમાં વાત કરી ત્યારે મને કેનેડા અને ગુજરાત અને દુબઈથી ધમકીઓ મળી હતી. મેં ગૃહમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે. મેં ત્રણ જગ્યાએ કેસ નોંધ્યા છે. તુગલક (રોડ) પોલીસ સ્ટેશનમાં, દક્ષિણમાં અને બેંગલોરમાં પણ. આ બધા પછી પાંચ વર્ષથી તપાસ અટકી પડી છે. તેઓએ મને મારો મોબાઈલ અને PA અને લેન્ડલાઈન સોંપવા કહ્યું અને પછી તેઓ તપાસ કરશે. શા માટે? તમારી પાસે આખી સરકાર છે, ઇન્ટેલિજન્સ છે, પોલીસ અને ધારાસભ્યો પણ છે.

બધાને ડરાવીને મોદી આ લોકશાહીમાં ડર લાવ્યા છે અને સરમુખત્યારની જેમ સરકાર ચલાવી રહ્યા છે. વેપારીઓ પણ ડરી ગયા છે. કોંગ્રેસને સમર્થન આપવા માંગતા લોકો પણ ડરી ગયા છે. પરંતુ અમે ડરવાના નથી, અમે સત્ય માટે લડીશું.

મનોજ સીજી: કર્ણાટકની ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે. શું ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે જૂથવાદ સમસ્યા ઊભી કરી શકે છે? શું તમે તે રાજ્યમાંથી આવ્યા છો તેનાથી કોઈ ફરક પડશે?

હું માનતો નથી કે એક વ્યક્તિનો પ્રભાવ વધારે હોઈ શકે છે. આપણે ઘરે ઘરે જઈએ છીએ અને લોકો સાથે વાત કરીએ છીએ તેનાથી ફરક પડે છે. અમે બધા કાર્યકરોને સાથે રાખીને કામ કરી રહ્યા છીએ.અમારી પાસે 170 બેઠકો છે, અમે દરેકને સર્વસંમતિથી કામ કરવા કહ્યું છે. બધાએ કહ્યું કે અમે સાથે મળીને કરીશું.

બજરંગ દળ જેવી સંઘી સંસ્થાઓ નિર્દોષ લોકો અને લઘુમતીઓને પરેશાન કરે છે. આનાથી દેશ એકસાથે નહીં રહે, દેશને તોડવાનો તેમનો ઈરાદો છે. જો તમે મત માટે લોકોને નુકસાન પહોંચાડો છો અને લિંચ કરો છો, તો આનાથી લોકોમાં ખરાબ સંદેશ જશે.

Web Title: Karnataka assembly election indian national congress mallikarjun kharge at idea exchange

Best of Express