scorecardresearch

જ્યારે આર્મી કમાન્ડર ધિલ્લોનનો રાત્રે 2 વાગ્યે ફોન આવ્યો, સવારે 7 વાગ્યે અમિત શાહ સાથે મુલાકાત અને 40 દિવસ પછી ઈતિહાસ રચાયો

article 370 removal : જમ્મુ કાશ્મીરના તે સમયના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને (KJS Dhillon) તેમના નવા પુસ્તકમાં 370ની કલમ નાબુદ કરવા અંગે ઉલ્લેખ કર્યો છે, તેમણે જણાવ્યું કે, કેવી રીતે અમિત શાહ (Amit Shah)) સાથે સવારે 7 વાગ્યે મુલાકાત અને 40 દિવસ પછી ઈતિહાસ રચાયો

Amit shah interview loksabha election 2024, Amit shah interview
અમિત શાહ સાથે ખાસ મુલાકાત

article 370 removal : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવે તે પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) વર્ષ 2019માં શ્રીનગરની મુલાકાતે ગયા હતા. તેઓ આર્મી કમાન્ડર કેજેએસ ધિલ્લોનને મળ્યા હતા અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકના 40 દિવસ પછી, સરકારે વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી. ધિલ્લોન તે સમયે સેનાના વ્યૂહાત્મક શ્રીનગર સ્થિત XV કોર્પ્સના વડા હતા. ધિલ્લોને તેમના નવા પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

ટાઈમ્સ નાઉના સમાચાર અનુસાર, અમિત શાહ 26 જૂન, 2019ના રોજ શ્રીનગરની મુલાકાતે હતા. ધિલ્લોને તેમના પુસ્તકમાં જણાવ્યું હતું કે, તેમને રાત્રે 2 વાગ્યે ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસે સવારે 7 વાગ્યે તેમની ગૃહ પ્રધાન સાથે મુલાકાત છે. આ મુલાકાતને લઈને પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આગામી દિવસોમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. કલમ 370, જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો, તેને 2019 માં નાબૂદ કરવામાં આવ્યો હતો અને રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશો-જમ્મુ અને કાશ્મીર અને લેહ-લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ધિલ્લોન કાશ્મીરમાં સ્થાનિક આર્મી કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા.

ધિલ્લોન નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ છે. તેમણે કહ્યું કે, બેઠક દરમિયાન ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં “પાથ બ્રેકિંગ ડિક્લેરેશન” પર પાકિસ્તાનના પ્રતિભાવને સમજવાનો પણ સમાવેશ થાય છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલે તેમના પુસ્તકમાં જણાવ્યું હતું કે, જ્યારે મીટિંગના અંતે તેમના અંગત વિચારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઈતિહાસ રચવાની વાત કરી હતી. ધિલ્લોને કહ્યું, “મેં તરત જ એમ કહીને પ્રતિક્રિયા આપી હતી કે, જો ઇતિહાસ લખવો હોય તો કોઈએ ઇતિહાસ બનાવવો પડશે.” સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી તે પહેલા શ્રીનગરમાં અમિત શાહની આ છેલ્લી બેઠક હતી.

આ પણ વાંચોત્રિપુરા ચૂંટણી: PM મોદીની વિપક્ષ પર ગર્જના, ‘પહેલા ત્રિપુરાના પોલીસ સ્ટેશનો પર CPMનો કબજો હતો, હવે કાયદાનું શાસન

ધિલ્લોને તેમના પુસ્તકમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, તે સમયગાળા દરમિયાન રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવી પડી હતી કારણ કે, સરહદ પારથી જૂઠાણાના ફેલાવાને રોકવા માટે તે જરૂરી હતું. આ ઉપરાંત જાનમાલના નુકશાનનો ભય હતો. ધિલ્લોને લખ્યું, “અંતમાં, મારે મારા પૂરા ગર્વ સાથે કહેવું જ જોઇએ કે ઉદ્દેશ્ય હાંસલ થયો.” 2019માં દક્ષિણ કાશ્મીરના લેથપોરા પાસે આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં માર્યા ગયેલા 40 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોના સન્માનમાં ધિલ્લોનનું પુસ્તક ‘કિતને ગાઝી આયે કિતને ગાઝી ગયે’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે.

Web Title: Kjs dhillon mentioned book about meeting amit shah and removal article 370 jammu kashmir

Best of Express