/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Ladakh-army-Vehicle-Accident-javan-death.jpg)
સેનાના જવાનોને અકસ્માત નડ્યો - નવના મોત
Ladakh : લદ્દાખના લેહ જિલ્લામાં સેનાનું એક વાહન ખીણમાં પડી ગયું છે. આ અકસ્માતમાં 9 જવાનોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. પ્રારંભિક માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટના શનિવારે સાંજે દક્ષિણ લદ્દાખના ન્યોમાના ક્યારીમાં થઈ હતી. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
અત્યાર સુધી શું પ્રકાશમાં આવ્યું છે?
પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, ક્યારી શહેરથી 7 કિમી દૂર એક અકસ્માતમાં ભારતીય સેનાના 8 જવાનોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. સૈનિકો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ઈજાઓ પણ થઈ છે. અધિકારો દ્વારા વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, સેનાનું એક વાહન, જે લેહથી ન્યોમા તરફ કાફલાના ભાગરૂપે જઈ રહ્યું હતું તે સાંજે લગભગ 5:45 થી 6:00 વાગ્યે ક્યારીથી લગભગ 7 કિમી પહેલા ખીણમાં લપસી ગયું હતું. વાહનમાં 10 જવાન હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઘાયલ જવાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Ladakh | Seven Indian Army soldiers lost their lives in an accident 7 km short of Kyari town when their vehicle fell in a gorge. Many others are injured in the incident. The troops were moving from Karu garrison to Kyari near Leh. Many troops have suffered injuries also in the… pic.twitter.com/lAABfH5Zav
— ANI (@ANI) August 19, 2023
રક્ષા મંત્રી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખના લેહમાં થયેલી દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. રક્ષા મંત્રીએ સોશિયલ સાઈટ X પર લખ્યું કે, “લદ્દાખના લેહ પાસે એક અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના મોતથી દુઃખી છું. અમે અમારા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલ જવાનોને ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરો.
આ પણ વાંચો - શું સ્વેગ છે? લદ્દાખની સડકો પર રાહુલ ગાંધીએ દોડાવી બાઈક, સામે આવ્યા Photos
લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પીડી નિત્યાએ જણાવ્યું હતું કે, 10 સૈનિકોને લઈને સૈન્યનું વાહન ન્યોમા તરફ જઈ રહ્યું હતું ત્યારે તેના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને વાહન ખાડીમાં પડી ગયું હતું. તેઓને તબીબી સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓએ કહ્યું કે, આ પછી અન્ય એક જવાનનું મોત થયું. અધિકારીએ જણાવ્યું કે, અન્ય એક જવાનની સારવાર ચાલી રહી છે, અને તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us