લોકસભા ચૂંટણી 2024 : મુંબઈ બેઠક પહેલા ઇન્ડિયા ગઠબંધનને લાગી રહ્યા છે ચૂંટણી ઝટકા

lok sabha election 2024 : કેરળ, બંગાળની પેટાચૂંટણીઓ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર સુચવે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ઘણા પડકારો સામે આવશે

lok sabha election 2024 : કેરળ, બંગાળની પેટાચૂંટણીઓ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર સુચવે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ઘણા પડકારો સામે આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
lok sabha election 2024 | INDIA alliance

1 સપ્ટેમ્બરના રોજ 26 પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓ મુંબઈમાં ત્રીજી બેઠકમાં મળશે. (Express Photo)

મનોજ સીજી : 1 સપ્ટેમ્બરના રોજ 26 પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓ લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે પોતાની ચૂંટણી યોજનાઓને સ્પષ્ટ કરવા માટે મુંબઈમાં ભેગા થશે. પટના અને બેંગલુરુ પછી તેમની ત્રીજી બેઠક રહેશે. તે જ દિવસે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પુથુપ્પલ્લીમાં ચૂંટણી પ્રચાર કરશે, જ્યાં તેમની પાર્ટી સીપીઆઇ (એમ) અને કોંગ્રેસ એક બીજા સામે પેટા-ચૂંટણીમાં હરિફ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓમન ચાંડીના નિધન બાદ આ બેઠક ખાલી થઇ છે.

Advertisment

ઇન્ડિયા ગઠબંધનના બચાવમાં એ તર્ક આપી શકાય કે તેનો મુખ્ય હરીફ ભાજપ કેરળમાં મજબૂત પાર્ટી નથી, જે કોંગ્રેસ અથવા સીપીઆઈ (એમ) માટે તાત્કાલિક કોઈ જોખમ ઉભું કરશે નહીં. તે બંને કેરળમાં મુખ્ય પ્રતિસ્પર્ધી છે તે જોતાં સીપીઆઇ(એમ) પુથુપ્પલ્લીમાં કોંગ્રેસને વોકઓવર આપી શકે નહીં. જ્યારે 1970થી કોંગ્રેસની આ સીટ સાથે પ્રતિષ્ઠા જોડાયેલી છે, જે 1970થી દિવંગત ઓમન ચાંડી જીતતા હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ધુપગુરી પેટાચૂંટણીની રેસમાં કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) સાથે છે.

જોકે 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકના કારણે ઇન્ડિયા ગઠબંધન સહયોગી તૃણમૂલ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરે છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી છેલ્લી વિધાનસભાની પેટાચૂંટણીમાં તે હારી ગઈ હતી અને 2021માં ઉત્તર બંગાળમાં ભાજપને 54માંથી 30 બેઠકો મળી હતી. તે જોતાં લોકસભાની ચૂંટણી પહેલા ટીએમસી પાસે લડાઇમાં સાબિત કરવાનો મુદ્દો છે. ટીએમસીએ ધુપગુરીને જીતવામાં કોઈ કસર છોડી નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પ્રભાવશાળી ભત્રીજા અભિષેક બેનર્જી સહિત લગભગ 37 નેતાઓ સાથે ચૂંટણી પ્રચાર માટે તૈયાર છે.

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સપ્તાહના અંતમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં હતા અને તેમની પાર્ટીની "ગેરંટી" ને આગળ ધપાવી રહ્યા હતા. પટનામાં ઇન્ડિયા ગઠબંધન પક્ષોની પ્રથમ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યા પછી આ વાત કરવામાં આવી હતી કે તેઓ બધાએ લોકસભાની ચૂંટણી સુધી નવા પ્રદેશોમાં વિસ્તરણ માટેની યોજનાઓને સ્થગિત કરવી જોઈએ.

Advertisment

આ પણ વાંચો - વરુણ ગાંધીએ પોતાની સરકારને આપી સલાહ, ફક્ત ભારત માતા કી જય બોલવાથી દેશનો વિકાસ થતો નથી

છત્તીસગઢમાં કેજરીવાલે નવ મતદાન ગેરંટીની જાહેરાત કરી હતી. આ વાત તાજેતરની હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતની ફોર્મ્યુલાની યાદ અપાવે છે. જે ગેરંટી તરીકે ઓળખાતા કલ્યાણ/લોકપ્રિય વચનોની પીઠ પર સવાર છે.

મધ્ય પ્રદેશના સતનામાં કેજરીવાલે પોતાને "ચાચા" તરીકે રજૂ કર્યા હતા. જે ભાજપના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો સામનો કરી શકે છે. જેમને તેમના સમર્થકો દ્વારા પ્રેમથી "મામા" કહેવામાં આવે છે. રાજસ્થાનમાં આપ પાર્ટીએ અજમેર, ગંગાનગર, કોટા, દૌસા, બાંસવાડા, સીકર, હનુમાનગઢ, જયપુર અને અલવર જિલ્લામાં ફેલાયેલી 26 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની યોજનાની જાહેરાત કરી છે. ભાજપ તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરી રહેલી ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ પ્રબળ વિપક્ષી દળ છે.

કેજરીવાલની છત્તીસગઢ અને મધ્યપ્રદેશની મુલાકાત દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે કોંગ્રેસ તરફથી ઉભરી રહેલી આકરી વાતો પછી તરત જ આવી હતી. તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડે તેના દિલ્હીના નેતાઓને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સાત બેઠકો પર પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા જણાવ્યું હતું. જે ઇન્ડિયા ગઠબંધન ભાગીદારની યોજનાઓ અંગે 'આપ'માં ખતરાની ઘંટડી વગાડી હતી.

સાતેય બેઠકો પર કોંગ્રેસના દાવા સામે સવાલ ઉઠાવતા આપની પ્રતિક્રિયામાં એ રીતે સામે આવ્યું કે તે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન માટે ઉત્સુક છે. વળી તેણે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીના વ્યુહાત્મક મૌનને પણ દૃઢ કર્યું કે તે દિલ્હીમાં 'આપ' સાથે જોડાણ કરશે કે પછી પંજાબમાં. બંને રાજ્યોમાં કોંગ્રેસના રાજ્ય એકમો આપ સાથેના કોઈપણ જોડાણનો સખત વિરોધ કરે છે.

જ્યારે નેતાઓ આગળના માર્ગ પર મનોમંથન કરવા માટે મુંબઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે . જેમાં શક્ય તેટલી વધુ લોકસભા બેઠકો પર ભાજપ સામે એક સામાન્ય ઉમેદવાર ઊભો રાખવાનો મોટો વિચાર છે . આ તોફાની પેચનો વધુ એક સંકેત એ છે કે પક્ષોએ હજુ સુધી વચનબદ્ધ 11 સભ્યોની સંકલન સમિતિની રચનાની જાહેરાત કરવાની બાકી છે. બધા મુખ્ય પક્ષોએ સૂચિત સંસ્થા માટે એક-એક નામ સૂચવવાનું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે સમિતિમાં રહેવા માટે કેટલાક નેતાઓ દ્વારા કોંગ્રેસમાં લોબિંગ કરવામાં આવી રહ્યું છે.

મુંબઈની બેઠકને આડે હવે 10 દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, જ્યાં બેઠકોની વહેંચણીના મુશ્કેલ મુદ્દા પરની વાટાઘાટોને દેખીતી રીતે જ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે હવે પક્ષો સામેનો પડકાર એક સામાન્ય લઘુત્તમ કાર્યક્રમનો મુસદ્દો તૈયાર કરવાને બદલે તેમના સામાન્ય લઘુત્તમ હેતુને વધુ મજબૂત અને આંતરિક બનાવવાનો હોય તેવું લાગે છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 Express Exclusive દેશ ભાજપ