જયંત ચૌધરીની ભાજપ સાથે '4 + 1 + 2' ફોર્મ્યુલા પર બની વાત? ગઠબંધનની જાહેરાત માત્ર એક ઔપચારિકતા

Lok Sabha election 2024 : ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ આરએલડી ચીફ જયંત ચૌધરીએ પીએમ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી

Lok Sabha election 2024 : ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ આરએલડી ચીફ જયંત ચૌધરીએ પીએમ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
BJP : ભાજપને જયંત ચૌધરીનો કેમ લેવો પડ્યો સાથ? લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની આ બેઠકો વિશે કેમ સતાવી રહી છે ચિંતા

આરએલડી ચીફ જયંત ચૌધરી (Photo/Facebook/@JayantRLD)

Asad Rehman : આરએલડી હવે એનડીએનો ભાગ બનશે તેવી જાહેરાત માત્ર એક ઔપચારિકતા છે. ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ આરએલડી ચીફ જયંત ચૌધરીએ પીએમ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી અને ગઠબંધન અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું હતું કે હવે હું કયા ચહેરા સાથે તમારા સવાલોનો ઇન્કાર કરું.

Advertisment

ધ ઇન્ડિયન એક્સપ્રેસને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપે આરએલડીને ચાર લોકસભા સીટ, કેન્દ્ર સરકારમાં એક મંત્રાલય અને યોગી સરકારમાં બે મંત્રી પદની ઓફર કરી છે. આર.એલ.ડી. નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે વસ્તુઓ લગભગ ફાઇનલ થઈ ગઈ છે. એક કે બે દિવસમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

ભાજપે જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળને કેટલી સીટો ઓફર કરી

આરએલડીના એક નેતાએ આપેલી માહિતી મુજબ ભાજપ જયંત ચૌધરીને ચાર લોકસભા સીટ, કેન્દ્ર સરકારમાં એક મંત્રી પદ અને યૂપીની યોગી સરકારમાં બે પદ આપી રહી છે. કેટલીક બેઠકો પર કેટલાક મુદ્દાઓ છે પરંતુ તેનું નિરાકરણ લાવવામાં આવશે. ભાજપ અમને મુજફ્ફરનગર બેઠક આપવાનો ઇનકાર કરી રહી છે. કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને આ સીટ પર બે વાર જીત મેળવી છે.

આ પણ વાંચો - પાંચ ભારત રત્ન, પાંચ દાવ અને મોદી સરકારની ચૂંટણી બ્લૂપ્રિન્ટ તૈયાર

Advertisment

ભાજપ સાથે જોડાયેલા સૂત્રોએ પણ બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી વાતચીતની પુષ્ટિ કરી છે. દિલ્હીમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ભગવા છાવણી આરએલડીને બાગપત, મથુરા, હાથરસ અને અમરોહા ઓફર કરી રહી છે. ભાજપે આરએલડીને સ્પષ્ટ કરી દીધું છે કે તે મુજફ્ફરનગર અને કૈરાના બેઠકો નહીં આપે. અમે તેમને બિજનૌર અને સહારનપુર પણ ઓફર કરી રહ્યા છીએ.

સપાએ આરએલડીને કઈ બેઠકો આપી?

આરએલડીને સમાજવાદી પાર્ટીએ સાત સીટો આપી હતી. સપાના સૂત્રોએ જણાવ્યું હતું કે આમાં બાગપત, કૈરાના, મથુરા, હાથરસ અને ફતેહપુર સીકરી સામેલ છે. આ ઉપરાંત મુજફ્ફરનગર, મેરઠ, બિજનૌર અને અમરોહામાં ચર્ચાઓ ચાલી રહી છે. સપા આરએલડીની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો વિચાર કરી રહી છે. તેમાંથી એક કૈરાનાની છે, જ્યાં સપા ધારાસભ્ય નાહિદ હસનની બહેન ઇકરા હસનને સપા ચૂંટણી લડાવવા માંગે છે.

જો આરએલડી ઇન્ડિયા ગઠબંધન છોડી દે તો તે યુપીમાં ગઠબંધનને વધુ નબળું પાડશે. ગયા મહિને એસપી પ્રમુખ અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે સીટ-વહેંચણીની ગોઠવણના ભાગ રૂપે આરએલડીને સાત મતવિસ્તારો ફાળવવામાં આવશે. પરંતુ પક્ષને કયા મતવિસ્તારો મળશે તે અંગે સ્પષ્ટતાના અભાવે પક્ષની રેન્કમાં અનિશ્ચિતતાની લાગણી ઊભી કરી હતી.

અખિલેશે ગુરુવારે વારાણસીમાં પત્રકારો સાથે વાત કરતા એસપી-આરએલડી ભાગીદારીના ભાવિ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ જાણે છે કે કેવી રીતે પાર્ટીઓ તોડવી અને ક્યારે કોને લેવા. ભાજપ છેતરપિંડી કરવી જાણે છે. તમે જોયું છે કે તાજેતરની ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કેવી છેતરપિંડી થઈ હતી. ભાજપ પક્ષોને કેવી રીતે ખરીદવી તે જાણે છે. તે યોગાનુયોગ નથી કે ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. તેઓ જાણે છે કે ઈડી, સીબીઆઈ અને આઈટી વિભાગને ક્યાં મોકલવા.

2019માં આરએલડી સપા-બસપા સાથે ચૂંટણી લડ્યા હતા

ગત લોકસભા ચૂંટણીમાં આરએલડી સપા-બસપા સાથે ગઠબંધનમાં હતા. સપાએ આરએલડીને ત્રણ બેઠકો આપી હતી, પરંતુ આ ત્રણેય બેઠકો પર આરએલડીને હારનો સામનો કરવો પડ્યો હતો. મુજફ્ફરનગરથી અજીત સિંહ, બાગપતથી જયંત ચૌધરી અને મથુરા લોકસભા સીટથી કુંવર નરેન્દ્ર સિંહને હારનો સામનો કરવો પડ્યો. વિધાનસભા ચૂંટણી 2022માં આરએલડીએ 33 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 9 પર જીત મેળવી હતી. તેમણે આ ચૂંટણી સપા સાથે મળીને લડી હતી.

લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ Express Exclusive દેશ ભાજપ PM Narendra Modi