/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/uddhav.jpg)
ઉદ્ધવ ઠાકરે - PHOTO - ANI
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણી સમય પહેલા ડિસેમ્બર પહેલા જ કરાવવામાં આવશે. આ માટે દરેકને ખાનગી માના વિમાન, હેલિકોપ્ટર્સ બુક કરાવવાનું શરુ કર્યું છે. જેના પર શિવસેનાએ કહ્યું કે બીજેપી ચંદ્રયાન 3 થી પ્રચાર કરે તો પણ તેની જીત નહીં થાય.
સામનામાં લખ્યું છે કે એવું પ્રતીત થાય છે કે લોકસભા ચૂંટણી સમય પહેલા જ ડિસેમ્બર મહિનામાં કરાવવામાં આવી શકે છે. આવો દાવો પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કર્યો છે. ચૂંટણીના પ્રચાર માટે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં દેશભરના બધા હેલિકોપ્ટર બુક કરવાની શરુઆત થઈ ગઈ છે. અમે કહીએ છીએ કે તેમને જેમ કરવું હોય તેમ કરવા દો જો તેમને ચંદ્રયાન 3 લઇને તેના ઉપર પણ પ્રચાર કરવો હોય તો પણ તેમની તાનાશાહીનો પરાજય અટલ છે. તેમની કુંડળીમાં ખેંચતાણ કરીને લાવેલા સત્તાયોગની હવા નીકળી ગઈ છે.
ભાજપ અને તેમના સમર્થકો પાસે અસીમિત સંપત્તિ
સંપાદકીયમાં લખ્યું છે કે ખાનગી, નાના વિમાન, હેલિકોપ્ટરની બુકિંગ કરીને પોતાના રાજકીય વિરોધિયોને પરેશાનીમાં નાખવાનું છે. ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ વેગવાન સંસાધન વિરોધિયો માટે શરુ થયેલો સત્તાનો આ દુરુપયોગ આપત્તિજનક છે.
વધુમાં લખ્યું છે કે ભાજપ અને તેમના સમર્થકોની પાસે અસીમિત સંસાધન સંપત્તિ છે. આ સંપત્તિ કોઈ પ્રકારે આવી છે. લેખમાં લખ્યું છે કે ચંદ્રયાન 3 અભિયાનનો કુલ ખર્ચ 650 કરોડ રૂપિયા છે જ્યારે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેને ત્રણ કિલોમીચર રસ્તાનો ખર્ચો 750 કરોડથી ઉપર જવાનો ખુલાસો છે. આવી સ્થિતિમાં પાર્ટી ચૂંટણી પ્રચાર માટે દેશની બધા ખાનગી વિમાનો હેલિકોપ્ટર્સ બુક કરી લેતો તેમાં આશ્ચર્યું શેનું?
મોદી-શાહ 2023માં ચૂંટણી કરાવશે
સામનામાં એ પણ લખ્યું છે કે બીજેપીના સાંસદ ડી અરવિંદે કહ્યું કે ઈવીએમનું કોઇપણ બટન દબાવો, વોટ ભાજપના પક્ષમાં જ જાય છે. તેનો મતલબ છે કે હેલિકોપ્ટર્સની સાથે લાખો ઈવીએમ પણ ભાજપે બુક કરી રાખ્યા છે. તેના માટે તેનો અલગ ખર્ચ અને હિસાબ થશે. શિવસેનાએ લખ્યું છે તે તમે કેટલું પણ બુક કરી લો પરંતુ ભ્રષ્ટ ઈવીએમની છાતી પર પગ રાખીને તાનાશાહીનો પરાજય થઈને જ રહેશે.
શિવસેનાના મુખપત્રમાં આરોપ લગાવ્યો છે કે સરકારી જ્યોતિષાચાર્યોએ સલાહ આપી છે કે અત્યારે લોકસભાની અવધિ 2024માં ખતમ થાય છે. એ પહેલા મોદી શાહ વર્ષ 2023માં ચૂંટણી કરાવી શકે છે. જો 2024 હોય કે 2023 ચૂંટણી ગમે ત્યારે કરાઓ, તાનાશાહી રૂપી હિરણ્યકશ્યપનો અંત નક્કી જ છે. INDIA ગઠબંધનને દેશને ઝકઝોરી દીધું છે. જાગી ગઈ છે અને તે કોઈજ જાળમાં નહીં આવે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us