/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/pm-Narendra-modi-kalki-dham.jpg)
પીએમ મોદીએ સંભલમાં કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો (ટ્વિટર/નરેન્દ્ર મોદી)
lok sabha election 2024 : લોકસભાની ચૂંટણી નજીક છે અને પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા 370 બેઠકોના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ભાજપ એક-એક બેઠક પર પોતાની તાકાત લગાવી રહી છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશનું નામ એટલા માટે ટોચ પર છે કારણ કે પાર્ટીનું 2019નું પ્રદર્શન 2014 કરતા થોડું ઓછું હતું. આવી સ્થિતિમાં પાર્ટી તે ગેપને કવર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન આજે પીએમ મોદીએ સંભલમાં કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે.
કલ્કી ધામના શિલાન્યાસની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ અહીં લોકોને સંબોધિત પણ કર્યા હતા. ચૂંટણી નજીક આવી રહી હોવાના કારણે પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન વધુ મહત્વનું માનવામાં આવે છે. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. તમને જણાવી દઈએ કે કલ્કી ધામના પીઠાધિશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને શિલાન્યાસ માટે આમંત્રણ આપ્યું હતું અને મોદીએ તરત જ તેમનું આમંત્રણ સ્વીકારી લીધું હતું. આનું કારણ કલ્કી ધામનું સ્થાન છે, જે ચૂંટણીના સમયગાળામાં ભાજપ માટે પણ મહત્વનું છે.
વાસ્તવમાં કલ્કી ધામ સંભલમાં છે જે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારનો ભાગ છે. અહીં હિન્દુ મતદારોની સંખ્યા 40 ટકા છે, જ્યારે 55 ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે. મિશન 400ને સફળ બનાવવા માટે ભાજપ આ સીટ પર કોઇપણ ભોગે જીત મેળવવા માંગે છે. સંભલ લોકસભા સીટ પર ભાજપે 2014માં પહેલી અને છેલ્લી વાર જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર સત્યપાલ સૈની આ સીટ પર જીત મેળવીને સંસદ પહોંચ્યા હતા. પરંતુ 2019માં આ સીટ પર ફરી એકવાર સપાએ કબજો જમાવ્યો હતો. આ બેઠક શફીકુરરહેમાન બર્કે જીતી હતી.
આ પણ વાંચો - PM મોદીએ કલ્કી ધામ મંદિરનો કર્યો શિલાન્યાસ
ભાજપ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માંગે છે
આવી સ્થિતિમાં ભાજપ અહીં 2014ના ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગે છે. જોકે 2019માં સપા અને બસપાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. જ્યારે 2014ની જેમ આ વખતે પણ સપા અને બસપામાં ગઠબંધન થયું નથી અને કોંગ્રેસ અને સપા વચ્ચે સીટોની વહેંચણીને લઈને શંકા છે. આવી સ્થિતિમાં જો ગઠબંધન ન થાય તો ભાજપ માટે આ બેઠક પર સ્પર્ધા કરવી સરળ બની શકે છે. મહત્વની વાત એ છે કે ભાજપની નજર માત્ર સંભલ બેઠક પર જ નહીં પરંતુ સમગ્ર મુરાદાબાદ વિભાજન પર છે કારણ કે આ ક્ષેત્રમાં તેનો રેકોર્ડ બંને લોકસભા ચૂંટણીમાં ખાસ રહ્યો નથી.
સમગ્ર મુરાદાબાદ વિભાગ પર નજર?
મુરાદાબાદ વિભાગમાં મુરાદાબાદ, બિજનૌર, નગીના, અમરોહા, સંભલ અને રામપુર એમ છ બેઠકોનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તાર મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો ગણાય છે, પરંતુ ખાસ વાત એ છે કે ભાજપ માટે આ આખો પટ્ટો 2019માં ખાસ રહ્યો ન હતો. ગઠબંધનમાં રહીને સપા અને બસપાને 6માંથી 6 સીટો પર જીત મળી હતી, જેમાંથી ત્રણ બસપા અને ત્રણ સપાના હાથમાં હતી. જોકે રામપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તે સમય દરમિયાન તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી.
આવી સ્થિતિમાં ભાજપની યોજના આ મુરાદાબાદ વિભાગમાં 2014ના મોડેલને અપનાવવાની છે. નોંધનીય છે કે તે દરમિયાન પણ બંને મુખ્ય પક્ષોનું ગઠબંધન ન હતું અને ભાજપની કમાન અમિત શાહના હાથમાં હતી. ભાજપની રણનીતિ અહીં હિન્દુ વોટબેન્કને એક કરવાની છે કારણ કે જો વિરોધ પક્ષોનું ગઠબંધન નહીં બને તો મુસ્લિમ વોટબેંકને પણ સપા, બસપા અને કોંગ્રેસમાં વહેંચી જશે, જે ભાજપ માટે 2014ની જેમ સકારાત્મક સાબિત થઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us