I.N.D.I.A. માત્ર ઘમંડી, સ્થિરતા લાવવા માટે બન્યું હતું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA સાંસદોને કહ્યું

PM Narendra Modi, NDA government, INDIA Alliance : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 વર્ષ પહેલા એડીએ (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન)ની રચના રાષ્ટ્રીય રાજનીતિક પરિદર્શમાં સ્થિરતા લાવવા માટે કરી હતી. પરંતુ વિપક્ષી જૂથ I.N.D.I.A. નહીં પરંતુ ઘમંડિયા કહેવું જોઇએ.

PM Narendra Modi, NDA government, INDIA Alliance : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 વર્ષ પહેલા એડીએ (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન)ની રચના રાષ્ટ્રીય રાજનીતિક પરિદર્શમાં સ્થિરતા લાવવા માટે કરી હતી. પરંતુ વિપક્ષી જૂથ I.N.D.I.A. નહીં પરંતુ ઘમંડિયા કહેવું જોઇએ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Narendra Modi, PM Narendra Modi, NDA government, National Democratic Alliance

લોકસભા ચૂંટણી એક્સપ્રેસ ફોટો

PM Narendra Modi, NDA government, INDIA Alliance : લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને સાંસદોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બોઠકનો દોર ચાલું છે. આવી એક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 વર્ષ પહેલા એડીએ (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન)ની રચના રાષ્ટ્રીય રાજનીતિક પરિદર્શમાં સ્થિરતા લાવવા માટે કરી હતી. પરંતુ વિપક્ષી જૂથ I.N.D.I.A. નહીં પરંતુ ઘમંડિયા કહેવું જોઇએ. સૂત્રોએ પીએમ મોદીના હવાલાથી કહ્યું કે મને લાગે છે કે આ તેમનું વર્ણન કરવાની શાનદાર રીત છે.

Advertisment

લોકસભા ચૂંટણી 2024 પહેલા એનડીએના સાંસદો સાથે પીએમ મોદીની ક્ષેત્રવાર બેઠક

2024ની સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષી દળોએ એક છતરીની નીચે એક સાથે આવવાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ સાંસદોને ક્ષેત્રવાર સમૂહ બનાવીને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને ભરોસો અપાવ્યો છે કે 2024માં ભાજપ સત્તામાં વાપસી કરશે. ગુરુવારે સાંજે તેમણે પોતાના સાંસદોને કહ્યું કે તેમને પોતાના મત વિસ્તારમાં પરત જવું જોઇએ અને કડક મહેનત કરવી જોઈએ. નાની નાની ચીજો ઉપર ધ્યાન આપવું જોઈએ. આમી લોકસભા ચૂંટણીમાં હવે વધારે સમય બચ્યો નથી.

એક્તા અને સ્થિરતા માટે થયું એનડીએનું ગઠન, બિહારના સાંસદોને પીએમ મોદીએ કહ્યું

Advertisment

ભારતીય જનતા પાર્ટીના એક ઉચ્ચ સ્તરીય સૂત્રએ કહ્યું કે પીએમ મોદીએ બેઠકોમાં એનડીએના સાંસદોએ પોતાની ગતિવિધિઓ અને કાર્યક્રમોને જમીની સ્તર પર લોકો માટે અધિક આકર્ષક બનાવવા અને જાતિ અથવા ધર્મના છતાં સમાજના દરેક વર્ગ માટે કામ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ બિહારના સાંસદોને પણ સંબોધિક કર્યા હતા. બિહાર એક એવું રાજ્ય છે જ્યાં ભાજપ પોતાના પૂર્વ સહયોગી જનતા દળ અને રાષ્ટ્રીય જનતા દળના સત્તારૂઢ ગઠબંધનથી કડક ટક્કર મળવાની આશા છે. આ ગઠબંધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે એનડીએ એક્તા અને સ્થિરતા માટે ઊભો છું.

આ પણ વાંચોઃ-Jammu And Kashmir : જમ્મુ કાશ્મિરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ સાથે અથડામણ, ત્રણ જવાન શહીદ

ભાજપાએ હંમેશા પોતાના સહયોગીઓનું સમ્માન કર્યું, પીએમ મોદીએ કહ્યું કે બિહાર-મહારાષ્ટ્રની મિસાલ

સૂત્રોએ કહ્યું કે પીએમ મોદીએ સંસદ સભ્યોને એ પણ વિશ્વાસ અપાવ્યો કે 1967 બાદથી પ્રમુખ રાજનીતિક ઘટનાઓને યાદ કર્યું કે કોંગ્રેસના વિપરીત ભાજપા હંમેશા પોતાના સહયોગીની સાથે ઊભી રહી છે. તેમના સમર્થન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી પાર્ટી હોવા છતાં બિહાર અને મહારાષ્ટ્રમાં મુખ્યમમંત્રી પદ પોતાના સહયોગીઓને આપવાના પાર્ટીના નિર્ણયના હવાલો આપતા સાંસદોને યાદ અપાવ્યું હતું કે ભાજપે હંમેશા પોતાના સહયોગીઓનું સમ્માન કર્યું છે.

આ પણ વાંચોઃ-Today News Live Updates, 5 August 2023 : 31 ઓગસ્ટે મુંબઈમાં મળશે INDIA ગઠબંધનની ત્રીજી બેઠક

તેમણે સાંસદોને એ પણ કહ્યું કે રાજનીતિમાં ત્યાગ અને બલિદાનનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે આશ્વાસન આપ્યું છે કે ભાજપના નેતૃત્વવાળી સરકારે લોકો સાથે કરવામાં આવેલા બધા વાયદાઓ પુરા કર્યા છે.

લોકસભા ચૂંટણી 2024 politics PM Narendra Modi