India Alliance : મલ્લિકાર્જુન ખડગેને PM ચહેરો બનાવવા પર ઇન્ડિયા ગઠબંધનમાં ઘર્ષણ, નીતિશ બાદ હવે શરદ પવાર પણ નારાજ

India Alliance PM Candidate : ઇશારોમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા શરદ પવારે કહ્યું કે 1977ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યો ન હતો

India Alliance PM Candidate : ઇશારોમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા શરદ પવારે કહ્યું કે 1977ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યો ન હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sharad pawar | india alliance

એનસીપી નેતા શરદ પવાર (Express File Photo)

India Alliance : ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના દાવેદાર બનાવવાના સમાચાર આવ્યા હતા. ખડગેને પીએમ ચહેરો જાહેર કરવાના પ્રસ્તાવ પર ગઠબંધનમાં વિવાદ થયો છે. બિહારના સીએમ નીતિશ કુમારની નારાજગીના સમાચાર વચ્ચે એનસીપી સુપ્રીમો શરદ પવારની નારાજગીની માહિતી પણ સામે આવી છે. ઇશારોમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા શરદ પવારે કહ્યું કે 1977ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પીએમ ચહેરો જાહેર કરવામાં આવ્યો ન હતો.

Advertisment

શરદ પવારે કહ્યું કે ચૂંટણી બાદ વિપક્ષ દ્વારા મોરારાજી દેસાઈને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તે સમયે પણ એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ચહેરો આગળ નહીં લાવવામાં આવે તો પરિણામો પક્ષમાં નહીં આવે. જો લોકો પરિવર્તનના મૂડમાં હોય તો જરૂર પરિવર્તન માટે નિર્ણય કરશે.

કોંગ્રેસ અધ્યક્ષને PM ચહેરો બનાવવાની ચર્ચા

હાલમાં જ દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા અને પીએમ ચહેરાની ઘોષણા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ટીએમસી નેતા મમતા બેનર્જીએ ઈન્ડિયા બ્લોક વતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ ચહેરો જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત 12 પક્ષોએ ટેકો આપ્યો હતો.

મમતા બેનર્જીએ કહ્યું કે જો મહાગઠબંધનનો ચહેરો દલિત હોય તો ચૂંટણી ઘણી રસપ્રદ બની શકે છે. જોકે ખડગેએ તે જ સમયે આ પ્રસ્તાવને ફગાવી દીધો અને રાહુલ-સોનિયા તરફ આંગળી ચીંધી હતી. તેમનો કહેવાનો અર્થ એ હતો કે પીએમ ચહેરા અંગેનો નિર્ણય સોનિયા-રાહુલ જ લેશે. ઇન્ડિયા ગઠબંધનમાં સમાવિષ્ટ બાકીની 28 પાર્ટીઓના નેતાઓએ પણ તરત જ આ માટે તેમની સંમતિ આપી ન હતી, તેથી આ પ્રસ્તાવ આગળ વધી શક્યો ન હતો.

Advertisment

આ પણ વાંચો -  લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી સીટો પર લડશે, પાર્ટીને શું ચિંતા છે?

આ નેતાઓ નારાજ છે

મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા એલાયન્સનો પીએમ ચહેરો બનાવવાના સમાચાર વચ્ચે નીતિશ કુમારની નારાજગીની ચર્ચા હતી. જોકે, સોમવારે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ તિરાડ નથી. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે હું પીએમ પદની રેસમાં નથી કે નારાજ પણ નથી. આવી વસ્તુઓ બિલકુલ નકામી છે. ગઠબંધનની બેઠક સારી રીતે યોજાઈ હતી અને અમે કહ્યું છે કે જેને દાવેદાર બનાવવાની જરૂર હોય તે ઝડપથી કરો. અમે અમારા સ્તરે સંપૂર્ણ સહકાર આપીશું, અમે ઇચ્છીએ છીએ કે જે પણ થાય તે સમયસર થાય જેથી તૈયારીઓ કરી શકાય. અમે ક્યારેય પોતાને પીએમ પદ માટે દાવેદાર બનાવવાની કોશિશ કરી નથી.

પીએમ પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ રાખવા પાછળ ત્રણ મોટા કારણો છે જે તેમને આ રેસમાં વિજેતા બનાવી શકે છે. દક્ષિણ રાજ્યમાં સારી પકડ છે. ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસે કર્ણાટક બાદ તેલંગાણામાં પોતાની શાનદાર જીત નોંધાવી અને ભાજપને સત્તાથી દૂર રાખ્યો.

આ કારણોથી મલ્લિકાર્જુન ખડગે રેસમાં આગળ છે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે 80 વર્ષીય ખડગે અનુભવની સાથે સાથે તમામ પક્ષો સાથે કામ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. મલ્લિકાર્જુન ખડગે પણ વિજેતા નેતા છે. તેમણે 10 ચૂંટણી જીતીને રાજકારણમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ગાંધી પરિવાર સાથેની નિકટતાના કારણે ખડગે પણ આ રેસમાં આગળ આવી શકે છે. કોંગ્રેસ પર સતત પરિવારવાદનો આરોપ લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પોતાનું કામ સારી રીતે કરી રહેલા મલ્લિકાર્જુન ખડગે આ રેસમાં પ્રબળ દાવેદાર બની શકે છે.

રેસમાં ખડગેના નામને અન્ય પક્ષોના સમર્થનને કારણે નીતિશ કુમાર, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે જેવા નામો આ રેસમાંથી આપોઆપ દૂર થઈ ગયા છે. મલ્લિકાર્જુન ખડગે દેશના સૌથી મોટા દલિત નેતાઓમાંના એક છે. તેથી દલિત નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગે વધુ સારો વિકલ્પ છે. કોંગ્રેસ સહિત વિપક્ષો પણ આ મતોનું વિભાજન કરવામાં સફળ થઈ શકે છે.

ઇન્ડિયા ગઠબંધન શરદ પવાર લોકસભા ચૂંટણી 2024 મલ્લિકાર્જુન ખડગે