ઉત્તર પ્રદેશ રાજકારણ : કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટ વહેંચણી પર સમજૂતી થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 17 પર અને અખિલેશ યાદવની સપા બાકીની બેઠકો પર ચૂંટણી લડશે. જો કે, સપા મહિનાઓથી દાવો કરી રહી હતી કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં મજબૂત નથી, તેથી તેણે તેજ પ્રમાણે મુજબ બેઠકો માંગવી જોઈએ.
30 જાન્યુઆરીના રોજ, એસપીએ જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા કે, તે રાજ્યની કુલ 80 માંથી માત્ર 11 લોકસભા બેઠકો કોંગ્રેસને આપશે. જો કે, હવે કોંગ્રેસ 17 બેઠકો, જેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયા સીટ પર ચૂંટણી લડશે.
SPએ પોતાનું કડક વલણ કેમ છોડ્યું?
સપા નેતાઓનું કહેવું છે કે, કોંગ્રેસને મોટો હિસ્સો આપવાનું એક મુખ્ય કારણ મુસ્લિમ મતોના વિભાજનનો ડર હતો. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં SP મુસ્લિમ મતો પર ભારે બેંકિંગ કરી રહી હતી, અને તેણે તેને ઘણી હદ સુધી હાંસલ કરી હોવાનું જણાય છે કારણ કે, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર પાર્ટી વિજયી બની હતી. સપાના 30 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.
કારણ કે કોંગ્રેસ મુસ્લિમ મતો પર પણ નજર રાખી રહી છે અને તેમના સુધી પહોંચવા માટે કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, મૌલવીઓને મળી રહી છે, SP ને ડર છે કે જો સમુદાયના મતો વિભાજિત થશે તો તેમને મોટું નુકસાન થશે.
ઘણા લોકોનું માનવું છે કે, 2022 માં એસપીને મળેલા 32.06% મતોનો મોટો હિસ્સો મુસ્લિમ સમુદાયમાંથી આવ્યો હતો, જે રાજ્યની લગભગ 20% વસ્તી ધરાવે છે. એક વરિષ્ઠ સપા નેતાએ કહ્યું, “લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, અમે જાણતા હતા કે, જો મુસ્લિમ મતોનો મોટો હિસ્સો કોંગ્રેસ તરફ જશે તો, અમારે સીટો ગુમાવવી પડી શકે છે.”
યુપીમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહ્યું?
એવું લાગે છે કે, કોંગ્રેસે સખત સોદો કર્યો છે અને તેને 17 બેઠકો મળી છે. ઘણા સપા નેતાઓને લાગે છે કે, કોંગ્રેસ માટે 17 બેઠકો “ખૂબ વધારે” છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે 2.33% વોટ શેર સાથે 403 વિધાનસભા બેઠકોમાંથી માત્ર બે બેઠકો જીતી હતી. તેનાથી વિપરીત, સપાએ 111 બેઠકો જીતી અને મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. 2019 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન પણ નિરાશાજનક હતું કારણ કે, તેણે માત્ર એક જ સીટ (રાયબરેલી) જીતી હતી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીનો વોટ શેર 6.36% હતો. ખુદ રાહુલ ગાંધી પણ કોંગ્રેસના ગઢ અમેઠીમાં ભાજપની સ્મૃતિ ઈરાની સામે 55,000 મતોથી હારી ગયા હતા.
2014 ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે માત્ર બે બેઠકો જીતી હતી – અમેઠી (રાહુલ ગાંધી) અને રાયબરેલી (સોનિયા ગાંધી) અને તેમનો વોટ શેર 7.53% હતો. કોંગ્રેસે 2009 ની લોકસભા ચૂંટણીના પરિણામોનો બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કર્યો હોય તેમ લાગે છે, જ્યારે એસપી સાથે વાટાઘાટો કરતી વખતે તેણે રાજ્યમાં 21 બેઠકો જીતી હતી.
સપા-કોંગ્રેસના કરાર પર RLD ની વિદાયની શું અસર પડી?
એવું લાગે છે કે, જયંત ચૌધરીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકદળ (RLD) ના ભાજપના નેતૃત્વ હેઠળના NDA માં પ્રવેશે કોંગ્રેસને પણ સોદાબાજીની તકો પૂરી પાડી છે. અગાઉ, સપાએ આરએલડીને બોર્ડમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોંગ્રેસને ઓછી બેઠકોની ઓફર કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આરએલડી બહાર નીકળતાની સાથે કોંગ્રેસે વધુ બેઠકો માટે આક્રમક રીતે દબાણ કર્યું.
17 બેઠકોમાંથી પાંચ – બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સહારનપુર અને અમરોહા – જે કોંગ્રેસ લડશે તે પશ્ચિમ યુપીમાં છે, જેને આરએલડીનો ગઢ માનવામાં આવે છે. જો આરએલડી ઈન્ડિયા બ્લોક સાથે રહી હોત, તો કોંગ્રેસને આ બેઠકો મળે તેવી શક્યતા બહુ ઓછી હતી.
શું સહયોગીઓના અભાવે SP ને આ પગલાં ભરવાની ફરજ પડી?
જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં, સપાએ કેશવ દેવ મૌર્યની આગેવાની હેઠળની મહાન પાર્ટી, ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને આરએલડી જેવા અનેક નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું.
આ પણ વાંચો – PM મોદીએ કેબિનેટ મંત્રીઓ પાસે માંગ્યો 5 વર્ષનો રોડમેપ, 100 દિવસના એક્શન પ્લાનની પણ આપવી પડશે માહિતી
જોકે, વિધાનસભા ચૂંટણીમાં સપાની હાર બાદ આ સાથી પક્ષો દૂર થઈ ગયા હતા. જ્યારે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને આરએલડી એનડીએમાં જોડાયા છે, ત્યારે મહાન દળે પણ સપા સાથેના સંબંધો તોડી નાખ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સાથી પક્ષોના અભાવે પણ સપાને કોંગ્રેસને વધુ બેઠકો આપવા માટે પ્રેરિત કરી શકે છે.





