લોકસભા ચૂંટણી 2023 : અમિત શાહે રાહુલ ગાંધીના ઓબીસી કાર્ડ સામે ખાસ રણનીતિ બનાવી, બેઠક પછી લીધો આવો નિર્ણય

Loksabha election 2024 : છેલ્લી બે ચૂંટણીઓથી OBC સમુદાય મોટાભાગે ભાજપની સાથે છે. પરંતુ બિહારમાં જાતિ ગણતરી બાદ ભાજપ એલર્ટ થઇ ગઇ છે. પાર્ટી કોઈપણ કિંમતે તેના સૌથી ભરોસાપાત્ર મતદારોને ગુમાવવા માંગતી નથી. બીજેપી પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી વતી ઓબીસી મતો માટે વ્યૂહરચના બનાવવાની જવાબદારી સંભાળી છે

Loksabha election 2024 : છેલ્લી બે ચૂંટણીઓથી OBC સમુદાય મોટાભાગે ભાજપની સાથે છે. પરંતુ બિહારમાં જાતિ ગણતરી બાદ ભાજપ એલર્ટ થઇ ગઇ છે. પાર્ટી કોઈપણ કિંમતે તેના સૌથી ભરોસાપાત્ર મતદારોને ગુમાવવા માંગતી નથી. બીજેપી પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી વતી ઓબીસી મતો માટે વ્યૂહરચના બનાવવાની જવાબદારી સંભાળી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
BJP Party | PM Narendra Modi | Amit Shah | J P Nadda

અમિત શાહ, પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા. (Express Photo/File)

OBC Reservatin : બિહાર બાદ પોતાના સહયોગી પક્ષો તરફથી જાતિ ગણતરીની માંગણી કર્યા બાદ કેન્દ્રમાં સત્તામાં રહેલા ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે રીતે વિપક્ષી નેતાઓ ઓબીસી વોટ બેંકને આકર્ષવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે તે જોઈને ભાજપ હવે સતર્ક થઈ ગઈ છે. રાહુલ ગાંધીના 'જેટલી વસ્તી તેટલો હક' ના નિવેદન પછી ભગવા પાર્ટી હવે જમીની સ્તરે ઓબીસી સમુદાયને આકર્ષિત કરવાની તેની યોજનાનો ઉલ્લેખ કરશે.

Advertisment

છેલ્લી બે ચૂંટણીઓથી OBC સમુદાય મોટાભાગે ભાજપની સાથે છે. પરંતુ બિહારમાં જાતિ ગણતરી બાદ ભાજપ એલર્ટ થઇ ગઇ છે. પાર્ટી કોઈપણ કિંમતે તેના સૌથી ભરોસાપાત્ર મતદારોને ગુમાવવા માંગતી નથી. બીજેપી પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી વતી ઓબીસી મતો માટે વ્યૂહરચના બનાવવાની જવાબદારી સંભાળી છે.

OBC મતદારો ભાજપની સત્તાની ચાવી બન્યા

2014 હોય કે 2019ની લોકસભાની ચૂંટણી. આ બંને ચૂંટણીઓમાં ઓબીસી મતદારોએ દિલથી ભાજપને મત આપ્યા હતા. 2014ની સરખામણીએ 2019માં ઓબીસી મતદારોએ ભાજપને વધારે સમર્થન આપ્યું હતું. 2014માં અપર OBC વર્ગે ભાજપને લગભગ 30 ટકા મત આપ્યા હતા. 2019માં તેમનું સમર્થન વધીને 40 ટકા થઈ ગયું હતું. તેવી જ રીતે 2014માં લોઅર ઓબીસી કેટેગરીના 40 ટકા મતદારોએ ભાજપને મત આપ્યો હતો. 2019માં આ આંકડો વધીને લગભગ 44 ટકા થયો હતો. હવે વિપક્ષી પાર્ટીઓ પણ OBC મતદારોને પોતાના પક્ષમાં લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેથી ભાજપ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ મતદારોને પોતાની તરફ જાળવી રાખવા માટે મોટી રણનીતિ બનાવી રહી છે.

આ પણ વાંચો - બિહારમાં અનામતનો વ્યાપ વધારી શકે છે નીતિશ સરકાર, શિયાળુ સત્રમાં લાવી શકે છે બિલ

Advertisment

ગુરુવારે ભાજપે પાર્ટીએ હેડક્વાર્ટરમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર સહિત દસ રાજ્યોના પ્રદેશ પક્ષ પ્રમુખો અને અન્ય નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અનામત મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ માટે ઓબીસીનું સમર્થન ખૂબ મહત્વનું છે. ખાસ કરીને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે. તેથી ભાજપ આવી કોઈ ભૂલ થવા દેવા માંગતો નથી જેના કારણે તે આ મતો ગુમાવે. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, બીએલ સંતોષ, બિહાર ભાજપના અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, યુપી ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, ઓબીસી મોરચાના વડા કે લક્ષ્મણ હાજર હતા.

પાર્ટી ખાસ રણનીતિ બનાવી રહી છે

બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વએ OBC સમુદાયની પહોંચને વધુ વધારવા પર ભાર મૂક્યો હતો. પાર્ટીએ ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓબીસી સમુદાયને તેના પક્ષમાં જાળવી રાખવા પર વધુ ભાર મૂક્યો છે. પાર્ટીનું માનવું છે કે આ રાજ્યોના પરિણામો ચૂંટણી પર અસર કરશે. ભાજપના એક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઓબીસી મોરચાને કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી સમુદાય માટે ચલાવવામાં આવી રહેલી યોજના પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય પાર્ટીએ કહ્યું કે વિપક્ષી નેતાઓના નિવેદનોનો જોરદાર જવાબ આપવો જોઈએ જેથી કરીને OBC સમુદાય પર ભાજપની પકડ કોઈપણ રીતે નબળી ન થાય.

ભાજપે કમિટી બનાવી છે

OBC સમુદાય પર પોતાની પકડ જાળવી રાખવા માટે ભાજપે એક કમિટીની પણ રચના કરી છે. બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે ભાજપના નેતાઓએ ઓબીસી સમુદાયને જણાવવું જોઈએ કે ભાજપ સરકારે પછાત વર્ગના હિતમાં સૌથી વધારે કામ અને નિર્ણયો લીધા છે. આ સાથે ચૂંટણી પ્રચારને ઓબીસી કેન્દ્રિત બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

અનામત જે પી નડ્ડા લોકસભા ચૂંટણી 2024 અમિત શાહ congress ભાજપ