લોકસભા ચૂંટણી 2024 : સનાતન, રામ મંદિર, ભારત અને રીફોર્મ પોલિટિક્સ, ભાજપનો I.N.D.I.A ગઠબંધન સામે નેરેટિવ સેટ

લોકસભા ચૂંટણી 2024 : ઇન્ડિયા ગઠબંધન હજુ પણ વિચારમંથન મોડમાં ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓનો ટ્રેન્ડ દર્શાવે છે કે ભાજપે ગિયર બદલ્યા છે તે ફુલ એક્શન મોડમાં હોય તેવું લાગે છે. ભાજપ 2024ની લડાઈ કયા કયા મુદ્દાઓ પર લડવા જઈ રહી છે તે સ્પષ્ટ છે

Updated : September 06, 2023 21:56 IST
લોકસભા ચૂંટણી 2024 : સનાતન, રામ મંદિર, ભારત અને રીફોર્મ પોલિટિક્સ, ભાજપનો I.N.D.I.A ગઠબંધન સામે નેરેટિવ સેટ
અમિત શાહ અને નરેન્દ્ર મોદી (Express photo)

Loksabha Election 2024 : 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ આ રેસમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીમાં હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે, પરંતુ જે સ્પીડથી નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યા છે. તે સ્પષ્ટ છે કે ફરી એકવાર વિપક્ષ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવવાની તૈયારી છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા હજુ સુધી ચહેરો કોણ રહેશે તેના પર કોઇ નિર્ણય લઇ શકી નથી, બેઠકોની વહેંચણી અંગે કોઇ સર્વસંમતિ સધાઇ નથી કે કન્વીનરની પસંદગી હજુ સુધી થઇ નથી.

ઇન્ડિયા ગઠબંધન હજુ પણ વિચારમંથન મોડમાં ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓનો ટ્રેન્ડ દર્શાવે છે કે ભાજપે ગિયર ચેન્જ કરી લીધો છે. તે પુરી રીતે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભાજપ 2024ની લડાઈ કયા કયા મુદ્દાઓ પર લડવા જઈ રહી છે તે સ્પષ્ટ છે. આ મુદ્દાઓ દ્વારા હિન્દુત્વની પીચ પર રમવાની તૈયારી છે, રાષ્ટ્રવાદને ધાર આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને રિફોર્મ પોલિટિક્સ નેરેટિવ પર ભાર આપવામાં આવી રહ્યો છે. હવે આ કોઈ અટકળો નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપે જે રીતે અનેક પગલાં ભર્યા છે તે કહેવું પૂરતું છે કે આગામી લોકસભાની ચૂંટણી કયા મુદ્દાઓ પર લડશે.

હિન્દુત્વની પિચ ફરી તૈયાર

ભાજપને આજે પણ હિન્દી પટ્ટાનાં રાજ્યોમાં વધારે સ્વીકૃતિ મળે છે. આ સિવાય હિન્દુ મતદારોમાં પાર્ટીની વિચારધારા વધુ સહમતિ હોવાનું જણાય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ભાજપ હાર્ડ હિન્દુત્વ રમે છે, તે કોઈ પણ મુદ્દાની વિરુદ્ધ નથી, તે પોતાના સ્ટેન્ડમાં ખૂબ સ્પષ્ટ છે. તેમને બાબરી મસ્જિદને સ્થાને રામ મંદિર જોઇતું હતું, તે તેના માટે સ્પષ્ટ હતું. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તે વિવાદનો ઉકેલ આવી ગયો છે પરંતુ હજુ સુધી રામ મંદિરનું ઉદ્ઘાટન થયું નથી. આવી સ્થિતિમાં 2024ની લોકસભાની ચૂંટણી નજીક તે મોટા ઉદ્ઘાટનની પણ તૈયારી છે. એટલે કે ભાજપ રામમંદિરના મુદ્દાને ફરીથી ફાયદો ઉઠાવવા માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહ્યું છે. સીએમ યોગી આદિત્યનાથ પીએમ મોદીને આમંત્રણ પત્ર આપી ચૂક્યા છે.

હવે આ વખતે ભાજપ માટે હિન્દુત્વની પિચ સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયાનિધિએ પણ તૈયાર કરી છે. તેમના વતી સનાતન ધર્મ વિશે નિવેદન આપવામાં આવ્યું હતું જેના કારણે ઘણો હંગામો જોવા મળી રહ્યો છે. ઉદયાનિધિએ સનાતનની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. તેને સમાપ્ત કરવાની પણ વાત હતી. હવે જ્યારે સનાતનનો સીધો સંબંધ હિંદુત્વ સાથે છે અને ભાજપ હિન્દુત્વની રાજનીતિ કરે છે ત્યારે આ મુદ્દાએ પાર્ટીને ચૂંટણીની મોસમમાં મોટી નેરેટિવ સેટ કરવાની તક આપી છે. આ નિવેદન ડીએમકેના નેતાએ આપ્યું હતું, પરંતુ ભાજપે ટૂંક સમયમાં જ તેને ઇન્ડિયા ગઠબંધનનું નિવેદન ગણાવ્યું હતું. આ સ્પષ્ટતા ડીએમકે કે ઉદયાનિધિ પાસેથી નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ પાસેથી પણ માગવામાં આવી હતી.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી સનાતન ધર્મ વિવાદ પર પ્રથમ વખત બોલ્યા, કહ્યું – ઉદયનિધિને યોગ્ય રીતે જવાબ આપવો જરૂરી છે

ભાજપની પિચ સ્પષ્ટ છે કે વિપક્ષને હિન્દુ વિરોધી બતાવવા માંગે છે. તે કહેવા માંગે છે કે આખું ઇન્ડિયા ગઠબંધન દરેક તક પર માત્ર સનાતનનું અપમાન કરી રહ્યું છે. આમ જોવા જઈએ તો હિન્દુત્વની આ પિચ પર ભાજપને અન્ય એક મોટા મુદ્દા માટે સમર્થન મળ્યું છે. થોડા દિવસ પહેલા જ ઇન્ડિયા વિરુદ્ધ ભારતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવી અટકળો છે કે ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવી શકે છે. આ અટકળો એટલા માટે પણ શરૂ કરવામાં આવી હતી કારણ કે જી-20 સમિટ માટે વિદેશી મહેમાનોને મોકલવામાં આવેલા આમંત્રણ પત્રોમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા નહીં પણ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. સત્તાવાર રીતે મોદી સરકારના કોઈ મંત્રી આ મુદ્દે ખુલીને બોલી રહ્યા નથી પરંતુ ભાજપના પ્રવક્તાઓએ નેરેટિવ સેટ કરી દીધું છે કે ભારત દેશની સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે, જ્યારે ઇન્ડિયા ગુલામીનું પ્રતીક છે.

આ સમયે ઇન્ડિયા ગઠબંધન ચોક્કસ એવી દલીલ કરી રહ્યું છે કે મોદી સરકાર પોતાની એકતાના ડરથી નામ બદલવા માંગે છે, પરંતુ ભાજપે જે રીતે ઇન્ડિયા શબ્દને ગુલામીનું પ્રતિક ગણાવ્યું છે વિપક્ષ માટે આ નેરેટિવ દૂર કરવી મુશ્કેલ બનશે.

રાષ્ટ્રવાદ- આતંકવાદ અને અમૃતકાળ

હવે જો હિન્દુત્વ ભાજપનો જૂનો મુદ્દો રહ્યો છે તો 2014 બાદ હાઇપર નેશનલિઝમે પાર્ટી માટે નવી વોટબેંક બનાવી છે. ભાજપે હંમેશા આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની વાત કરી છે, પાકિસ્તાન સાથે વાત ન કરવી, હુર્રિયતનો બહિષ્કાર કરવો, આ કેટલાક એવા સ્ટેન્ડ છે જેણે ભાજપને કોંગ્રેસ અને જમ્મુ-કાશ્મીરના અન્ય ક્ષેત્રીય પક્ષોથી અલગ કરવાનું કામ કર્યું છે. હવે છેલ્લા 9 વર્ષમાં આ દેશે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકીઓનો ખાત્મો પણ કર્યો છે.

પાર્ટીના આ અભિગમથી દેશના એક વર્ગમાં એ નેરેટિવ સેટ કરી દીધો છે કે જો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો હોય તો કેન્દ્રમાં ભાજપની સરકાર હોવી જોઈએ. પાર્ટી ફરી એકવાર આ નેરેટિવ પર રમવા જઈ રહી છે. આ ઉપરાંત જે રીતે દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી છે, જે રીતે તેનું નામ અમૃતકાળ રાખવામાં આવ્યું છે, તેનાથી દેશના એક મોટા વર્ગ પર પણ તેની ઊંડી અસર પડી છે. તિરંગા યાત્રા કાઢવી, હર ઘર તિરંગા જેવા અભિયાનો શરૂ કરવા એ બધા સરકારી કાર્યક્રમો છે, પરંતુ નેરેટિવ સંપૂર્ણપણે ભાજપ અને પીએમ મોદીની તરફેણમાં તૈયાર કરવાની કવાયત છે.

રિફોર્મ પોલિટિક્સ વાળો નેરેટિવ

આઝાદી પછી દેશમાં ઘણા મોટા સુધારા જોવા મળ્યા છે, પરંતુ ઘણા એવા છે જેના પર માત્ર ચર્ચા ચાલી રહી હતી, એક્શન ક્યારેય થઈ ન હતી. આવો જ એક સુધારો જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો હતો. જે મુદ્દો ઉઠાવતા પહેલા બધા બચતા હતા. 2019ના જનાદેશે મોદી સરકારને એટલી તાકાત આપી કે સ્વતંત્ર ભારતનું એક સૌથી મહત્વપૂર્ણ પગલું એક જ ઝાટકે લેવામાં આવ્યું હતું. મેસેજ આપવામાં આવ્યો હતો કે જ્યારે પણ પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે ત્યારે આટલા મોટા નિર્ણયો લેવામાં કોઈ સંકોચ નહીં થાય.

હવે ભાજપ 370નો મુદ્દો ઉઠાવી રહી છે, આ સાથે જ તેણે અચાનક જ યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા તેજ કરી દીધી છે. તેનો અમલ થશે કે નહીં તે તો કોઈ જાણતું નથી, પરંતુ દેશના હિતમાં તે જરૂરી છે તેવું નેરેટિવ સેટ થઈ રહ્યું છે. તેના અમલથી મહિલાઓને સમાન અધિકાર મળશે. દેશનો એક વર્ગ એવો પણ છે કે જેમના માટે મુદ્દો શું છે એ બહુ મહત્ત્વનું નથી, તેમના માટે આ મુદ્દાને લઇને નેરેટિવ શું સેટ થઇ રહ્યો છે તે વધારે મહત્ત્વપૂર્ણ થઇ જાય છે. ભાજપ આવા મતદારોને પોતાના પક્ષમાં લાવવા માંગે છે, જમીન પર તેનું ઝડપી અભિયાન પણ આ વાતની પુષ્ટિ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ