શરદ પવાર સામે બળવો કરવા બદલ ભાજપે ‘રાજકીય ભેટ’ આપી? અજિત પવાર જૂથ આટલી બેઠકો પર લડી શકે છે લોકસભા ચૂંટણી

Maharashtra Political Crisis : અજિત પવાર કેમ્પના એનસીપીના એક વરિષ્ઠ નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે 90 વિધાનસભા બેઠકો વિશેનું નિવેદન ખૂબ જ તાર્કિક છે. પરંતુ એનસીપી 13-15 લોકસભા સીટો પર પણ ચૂંટણી લડશે તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાં ચાર બેઠકોનો સમાવેશ કરવામાં આવશે જેમાં એનસીપીના હાલના સાંસદ છે

July 06, 2023 22:41 IST
શરદ પવાર સામે બળવો કરવા બદલ ભાજપે ‘રાજકીય ભેટ’ આપી? અજિત પવાર જૂથ આટલી બેઠકો પર લડી શકે છે લોકસભા ચૂંટણી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Express Photo Ganesh Shirsekar)

Alok Deshpande : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમની નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે તેવું કહ્યાના એક દિવસ પછી એવું જાણવા મળ્યું છે કે પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે પણ એક સોદો કરી લીધો છે. લોકસભા ચૂંટણીમાં તે રાજ્યની 13-15 બેઠકો પરથી લડશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી હાલ કોંગ્રેસ પાસે રહેલી બેઠકો પરથી લડશે.

અજિત પવાર કેમ્પના એનસીપીના એક વરિષ્ઠ નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે 90 વિધાનસભા બેઠકો વિશેનું નિવેદન ખૂબ જ તાર્કિક છે. પરંતુ એનસીપી 13-15 લોકસભા સીટો પર પણ ચૂંટણી લડશે તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાં ચાર બેઠકોનો સમાવેશ કરવામાં આવશે જેમાં એનસીપીના હાલના સાંસદ છે અને ઔરંગાબાદ જેવી બેઠકો પણ શામેલ હશે જ્યાં વિપક્ષ 2019માં જીત્યો હતો.

નેતાએ કહ્યું કે પાર્ટીની સ્થાપનાની શરૂઆતથી જ પાર્ટી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં બે આંકડાનો આંકડો પાર કરી શકી નથી. તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આપણે આ વખતે બે આંકડાનો આંકડો પાર કરીશું. શિંદે જૂથના 13 સાંસદ છે. તેઓ નક્કી કરશે કે કેટલા લોકો લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ અમે સ્પષ્ટતા કરી છે કે અમે 13-15 બેઠકો પર ચૂંટણી લડીશું.

2019માં એનસીપીએ 4 લોકસભા બેઠકો જીતી હતી

2019માં પાર્ટીએ રાયગઢ, બારામતી, શિરુર અને સતારા લોકસભા બેઠકો જીતી હતી. ઔરંગાબાદમાં એઆઈએમઆઈએમનો વિજય થયો હતો. કોંગ્રેસ-એનસીપીએ અમરાવતીથી જીતેલા નવનીત રાણાને ટેકો આપ્યો હતો. જોકે બાદમાં તેમણે ભાજપને ટેકો આપ્યો હતો. એનસીપી સાથે ભાજપની સમજુતીથી મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના કેમ્પમાં તણાવ વધુ વધે તેવી શક્યતા છે.

90 બેઠકો પર ચૂંટણી લડવા પાછળનો તર્ક સમજાવતા એનસીપી નેતાએ કહ્યું કે અમારી પાસે હાલમાં 53 ધારાસભ્યો છે. જો આમાં બે અપક્ષ ધારાસભ્યો એટલે કે દેવેન્દ્ર ભુયાર અને સંજય શિંદેનો ઉમેરો કરવામાં આવે તો આ સંખ્યા 55 થશે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 45 બેઠકો જીતી હતી

એનસીપી નેતાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 45 વિધાનસભા બેઠકો જીતી છે. આ માત્ર કોંગ્રેસના જ વોટ નહીં પરંતુ એનસીપીએ જ તેમને જીતવામાં મદદ કરી છે. સ્વાભાવિક છે કે જો આપણે તેમની સામે ચૂંટણી લડીએ તો આ બેઠકો જીતવાની આપણી પાસે વધુ સારી તક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ