Maharashtra Politics : શરદ પવારને MVA માંથી બહાર કરવામાં આવશે? ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પ્લાન B પર કામ કરી રહ્યા છે

maharashtra politics : લોકસભા ચૂંટણી 2024 (lok sabha election 2024) પહેલા મહારાષ્ટ્ર રાજકારણમાં ઉથલ પાથલ થઈ છે, હવે શરદ પવાર (sharad pawar) અને અજિત પવાર (Ajit Pawar) ની બેઠકથી એમવીએ (MVA) માં નારાજગી, કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shivsena) પ્લાન બી પર વિચાર કરી રહ્યા.

maharashtra politics : લોકસભા ચૂંટણી 2024 (lok sabha election 2024) પહેલા મહારાષ્ટ્ર રાજકારણમાં ઉથલ પાથલ થઈ છે, હવે શરદ પવાર (sharad pawar) અને અજિત પવાર (Ajit Pawar) ની બેઠકથી એમવીએ (MVA) માં નારાજગી, કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shivsena) પ્લાન બી પર વિચાર કરી રહ્યા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
maharashtra politics lok sabha election 2024 MVA ajit pawar sharad pawar shivsena congress

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેનાની ચિંતા કેમ વધી રહી?

Maharashtra Politics : મહારાષ્ટ્રની રાજકારણ 2024 પહેલા કયો વળાંક લેશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ પાર્ટી અને શિવસેના UBT લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખીને પ્લાન B પર વિચાર કરી રહી છે. આ યોજનામાં શરદ પવારની કોઈ ભૂમિકા નથી, એટલે કે શિવસેના યુબીટી અને કોંગ્રેસ એનસીપી વિના ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. હવે મંગળવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે, આ અંગે અંતિમ નિર્ણય પાર્ટીના ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.

Advertisment

વાસ્તવમાં શરદ પવાર તેમના બળવાખોર ભત્રીજા અજિત પવારને વારંવાર મળી રહ્યા છે. કોંગ્રેસ અને શિવસેના તેમની આ યુક્તિથી યુબીટી મૂંઝવણમાં છે. સ્વતંત્રતા દિવસના અવસર પર પાર્ટીના તિલક ભવન કાર્યાલયમાં ધ્વજ ફરકાવ્યા બાદ નાના પટોલેએ મીડિયાને કહ્યું કે, તેમની બેઠક અમને પ્રભાવિત કરે છે. બંને વચ્ચેની ગુપ્ત બેઠક કોંગ્રેસ માટે ચિંતાનું કારણ છે. તેमણે આગળ કહ્યું, “પરંતુ હું આ અંગે અંતિમ નિર્ણય લઈ શકતો નથી. પાર્ટી હાઈકમાન્ડ આ અંગે નિર્ણય લેશે.

બીજી બાજુ, NCP નેતા અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ રવિવારે કહ્યું કે, તેમણે કોંગ્રેસ અને શિવસેના યુબીટી નેતાઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. તેઓ નથી માનતા કે તેમના વિશે અન્ય કોઈની ચિંતા કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, એનસીપીના વડા શરદ પવાર પહેલા જ ભાજપ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. તે ભાજપ સાથે હાથ નહીં મિલાવે.

UBT અને કોંગ્રેસ શરદ પવારથી નારાજ છે?

તમને જણાવી દઈએ કે, અજિત પવાર અને શરદ પવારની તાજેતરની બેઠક બાદ કોંગ્રેસ અને શિવસેના યુબીટીએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સાથે એમવીએ અને શરદ પવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે. નાના પટોલે રવિવારે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને મળ્યા હતા. તેમણે આ અંગે રાહુલ ગાંધી સાથે વાત કરી છે.

Advertisment

આ પણ વાંચો - article 370 : કલમ 370 ના પગલાના કારણે 2019 થી J&K માં પ્રગતિ અને શાંતિનો યુગ : જુઓ સરકારે સુપ્રીમ કોર્ટને શું-શું કહ્યું?

કોંગ્રેસ પાર્ટીએ તેમના નિરીક્ષકોને મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા બેઠકોની મુલાકાત લેવા અને ગ્રાઉન્ડ રિપોર્ટ લાવવા જણાવ્યું છે. 16 ઓગસ્ટે મુંબઈમાં યોજાનારી પાર્ટીની કોર કમિટીની બેઠકમાં આ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. શિવસેના યુબીટી પણ તેના મતવિસ્તારો પર કામ કરી રહી છે અને ચૂંટણી માટે યોજના તૈયાર કરી છે.

અજિત પવાર શરદ પવાર શિવસેના મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ politics congress