પક્ષપલટા કાયદો શું છે? અજિત પવારને કાર્યવાહીથી બચવા કેટલા ધારાસભ્યોના સમર્થનની જરૂર? જાણો બધુ

Maharashtra Politics : અજિત પવાર દ્વારા શરદ પવારની એનસીપી પાર્ટી સાથે પક્ષપલટો કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ગયું છે. તો જોઈએ પક્ષપલટાનો કાયદો શું કહે છે, અજિત ગેરલાયક ઠરવાથી બચવા માટેનો આંકડો પાર કરી શકશે કે નહીં.

Maharashtra Politics : અજિત પવાર દ્વારા શરદ પવારની એનસીપી પાર્ટી સાથે પક્ષપલટો કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ગયું છે. તો જોઈએ પક્ષપલટાનો કાયદો શું કહે છે, અજિત ગેરલાયક ઠરવાથી બચવા માટેનો આંકડો પાર કરી શકશે કે નહીં.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ajit Pawar Sharad Pawar Defection law

પક્ષપલટા વિરોધી કાયદો શું છે?

Maharashtra Politics : મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા અજિત પવારે પોતાની જ પાર્ટી સામે બળવો કર્યો અને શિંદે-ફડણવીસ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા. તેમની સાથે NCPના અન્ય 8 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સમગ્ર ઘટના બાદ 'આયા રામ ગયા રામ' કહેવત ફરી ચર્ચામાં આવી છે. અજિત પવારે 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો પરંતુ તેમની બેઠકમાં સંખ્યા દેખાઈ ન હતી. આવી સ્થિતિમાં, પક્ષપલટા વિરોધી કાયદાની કાર્યવાહીથી બચવા માટે, બંને જૂથોમાં આંકડો પોતપોતાની તરફેણમાં કરવા માટે ખેંચતાણ ચાલુ છે.

Advertisment

પક્ષપલટાનો કાયદો કેમ લાવવામાં આવ્યો?

જ્યારે, પક્ષપલટા વિરોધી કાયદો કેમ લાવવામાં આવ્યો તેની પાછળની કહાની પણ ઘણી રસપ્રદ છે. 1967ની વાત છે. હરિયાણાની હસનપુર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગયા લાલે જીત મેળવી હતી. તેઓએ એક જ દિવસમાં 3 વખત પાર્ટી બદલી હતી. પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાયા, પછી કોંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં જોડાયા અને 9 કલાકમાં જ તેમણે ફરી પાર્ટી બદલી અને ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા. આ ઘટના સાથે પક્ષપલટો કરનારાઓમાં 'આયા રામ ગયા રામ' કહેવત પ્રખ્યાત થઈ ગઈ.

પક્ષપલટા વિરોધી કાયદો શું છે?

1985 માં, રાજીવ ગાંધીની સરકારે વારંવાર રાજકીય ઉથલપાથલ અને હોર્સ ટ્રેડિંગને રોકવા માટે 92મા બંધારણીય સુધારા દ્વારા પક્ષપલટા વિરોધી કાયદો પસાર કર્યો હતો. આ કાયદાનો હેતુ રાજકીય લાભ માટે નેતાઓના પક્ષ પલટાને રોકવાનો હતો. આ કાયદો દસમી અનુસૂચિમાં મૂકવામાં આવ્યો છે.

દસમી અનુસૂચિ હેઠળ, વ્યક્તિને સભ્ય બનવા માટે ગેરલાયક ઠરાવી શકાય છે

અયોગ્યતાનો અર્થ એ છે કે, જે વ્યક્તિ ગેરલાયક ઠરે છે, તે લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા કે રાજ્ય વિધાન પરિષદ - આ કોઈપણ ગૃહનો સભ્ય બની શકતો નથી, અથવા ગણાતો નથી. આ અધિનિયમ પછી, પક્ષપલટાની પ્રક્રિયા ઘણી હદ સુધી ઓછી થઈ ગઈ.

Advertisment

અયોગ્યતાનો સામનો કર્યા વિના પક્ષ પલટો કરવો

જેમાં ધારાસભ્યો કે સાંસદો અયોગ્યતાનો સામનો કર્યા વિના પોતાનો પક્ષ બદલી શકે છે. પક્ષપલટા કાયદો રાજકીય પક્ષને અન્ય પક્ષ સાથે મર્જ કરવાની મંજૂરી આપે છે, જો તેના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ ધારાસભ્યો વિલીનીકરણ માટે સંમત થાય. વિલીનીકરણની સ્થિતિમાં, આવુ શક્ય બને તો પક્ષના ધારાસભ્ય સભ્યોને ગેરલાયકાતનો સામનો કરવો પડશે નહીં. તેઓ મર્જ કરવા માટે સંમત થયા છે કે કેમ, અથવા મર્જર વિના અલગ જૂથ તરીકે કામ કરવાનું પસંદ કર્યું છે.

ધારાસભ્યોને કોણ ગેરલાયક ઠેરવી શકે?

ધારાસભ્ય (સંસદમાં કોઈ સંસદ)ને ગેરલાયક ઠેરવવો જોઈએ કે નહીં, તે નિર્ણય સ્પીકર અથવા સ્પીકર એટલે કે વિધાનસભાના અધ્યક્ષ અધિકારી દ્વારા લેવામાં આવે છે. જોકે, પ્રિસાઇડિંગ ઓફિસરના નિર્ણય સામે ધારાસભ્યને કોર્ટમાં અપીલ કરવાની છૂટ છે.

પક્ષ બદલવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે

2016 - અરુણાચલ પ્રદેશની પીપલ્સ પાર્ટીના 43 ધારાસભ્યોમાંથી 33 ધારાસભ્યો ભાજપમાં જોડાયા.

2018 - ગોવામાં કોંગ્રેસ પાર્ટીના 2 ધારાસભ્યોએ પાર્ટી બદલી અને ભાજપમાં જોડાયા.

2020 - મધ્ય પ્રદેશમાં, કોંગ્રેસ પાર્ટીના 22 ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો અને 21 માર્ચે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા.

2022 - શિવસેનાના ધારાસભ્યોએ વિરોધ કર્યો અને શિવસેનાએ પાર્ટી તોડી અને ભાજપ સાથે સરકાર બનાવી

આ પણ વાંચો - Maharashtra Politics and NCP : અજિત પવાર vs શરદ પવાર, બેઠકમાં શું થયું? કોની પાસે વધુ શક્તિ? જાણો બધુ જ

મહારાષ્ટ્રમાં પક્ષપલટાની રમત

છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રમાં પક્ષપલટાના મામલામાં વધારો થયો છે. વર્ષ 2022માં શિવસેનાના એકનાથ શિંદેએ પોતાની પાર્ટીના બે તૃતીયાંશ ધારાસભ્યો સાથે પાર્ટી છોડી દીધી હતી. તેઓ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા હતા. આ કારણે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ. તેમાંથી એક જૂથે એકનાથ શિંદે અને બીજા જૂથે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ લીધો હતો. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2 જુલાઈ 2023ના રોજ, NCPના અજિત પવાર તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા. NCP પાસે કુલ 53 ધારાસભ્યો છે. જો અજિત પવારને ગેરલાયક ઠરવાથી બચવું હોય તો, તેમની પાસે ઓછામાં ઓછા 37 ધારાસભ્યોનું સમર્થન હોવું જોઈએ. અજિત પવારે દાવો કર્યો છે કે, 40થી વધુ ધારાસભ્યો તેમના સમર્થનમાં છે.

અજિત પવાર શરદ પવાર મહારાષ્ટ્ર એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ politics Express Exclusive ભાજપ