Maharashtra politics : ઉદ્ધવ ઠાકરે મૌખિક ચેલેન્જો આપી શકે… ચૂંટણીની રેસમાં મોદી-શાહથી ઘણા પાછળ છૂટી ગયા, આંકડા આપી રહ્યા સાક્ષી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્ર રાજકારણ (Maharashtra Politics) ના સમીકરણો બદલાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) હથિયાર વગર લડવા માટે ભાજપ (BJP) ને પડકારો ફેંકી રહ્યા, પરંતુ આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે કે, મોદી (Modi) અને શાહ (Shah) ની જોડી ભાજપને વધુને વધુ મજબૂત કરી રહી છે.

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્ર રાજકારણ (Maharashtra Politics) ના સમીકરણો બદલાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) હથિયાર વગર લડવા માટે ભાજપ (BJP) ને પડકારો ફેંકી રહ્યા, પરંતુ આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે કે, મોદી (Modi) અને શાહ (Shah) ની જોડી ભાજપને વધુને વધુ મજબૂત કરી રહી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Maharashtra Politics, Lok Sabha Election 2024, Uddhav Thackeray, Shiv Sena, BJP

મહારાષ્ટ્ર રાજકારણ - ઉદ્ધવ ઠાકરે આક્રમક નિવદનો આપી શકે છે, પરંતુ મોદી-શાહની તાકાત હવે વધી ગઈ

શુભાંગી ખાપરે : છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણું બદલાઈ ગયું છે. શિવસેના જે ભાજપ સાથે હતી, તે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. જે શરદ પવાર ભાજપને પડકારવાની વાત કરતા હતા, તેમના ભત્રીજા અજિતે NDA સાથે હાથ મિલાવ્યા છે. આવી સ્થિતિમાં, જમીન પરના સમીકરણો સતત બદલાઈ રહ્યા છે અને તે જ બદલાતા સમીકરણોએ ઘણા નેતાઓની રાજકીય શક્તિમાં વધારો અને ઘટાડો કર્યો છે. એવું જ એક નામ છે ઉદ્ધવ ઠાકરે. સ્વભાવે શાંત, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે પોતાની રાજનીતિથી રાજ્યની સીએમની ખુરશી સંભાળી હતી.

Advertisment

ઉદ્ધવનો ઓછો થતો જનાધાર

હાલમાં ઉદ્ધવ તેમની રાજકીય કારકિર્દીના સૌથી પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમની પાસે ન તો શિવસેના છે, કે ન તો ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ. પરંતુ તેમના નિવેદનોથી તેઓ ફરીથી સક્રિય થવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. આ જ એપિસોડમાં તેમની તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સીધો પડકાર આપવામાં આવ્યો છે. એક નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જો તમે મને ખતમ કરવા માંગો છો, તો હું તમને પડકાર આપું છું, પ્રયાસ કરો, અમે પણ જોઈશું. હવે આ નિવેદનને ટિપિકલ શિવસેના સ્ટાઈલ કહી શકાય, પરંતુ શિવસેનાની તાકાત ગાયબ છે.

દર નવી ચૂંટણીએ કેવી રીતે સમીકરણ બદલાયા

એ સ્વીકારી શકાય છે કે, શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી, જેના કારણે ઉદ્ધવની શક્તિ ઘટી ગઈ છે, પરંતુ જ્યારે આ પક્ષ એક હતો ત્યારે પણ તેની રાજકીય શક્તિ ભાજપ સામે ક્યાંય ટકી નહોતી. એક સમય હતો, જ્યારે શિવસેના ચોક્કસપણે મોટા ભાઈની ભૂમિકામાં જોવા મળતી હતી, પરંતુ સમયની સાથે અને બાલા સાહેબ ઠાકરેના મૃત્યુ પછી, જમીન પરના સમીકરણો બદલાઈ ગયા. આ સમીકરણો એક તરફ શિવસેનાને 1999માં 69 બેઠકોથી 2019માં 56 બેઠકો પર લઈ આવ્યા, તો બીજી તરફ ભાજપનો ગ્રાફ 56 બેઠકોથી વધીને 105 બેઠકો પર એટલે કે 49 બેઠકોનો વધારો થયો.

ભાજપે ઉદ્ધવની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો

એક આંકડો એ પણ જણાવે છે કે, સમય જતાં શિવસેના પોતાના વિસ્તારોમાં સંકોચાતી ગઈ છે. સાથે જ એ રાજકીય પતનનો પૂરો ફાયદો ભાજપને મળ્યો છે. આ કારણોસર, જ્યારે ભાજપ અને શિવસેનાએ 2014ની ચૂંટણીમાં અલગ-અલગ લડવાનું નક્કી કર્યું, ત્યારે પરિણામો આશ્ચર્યજનક હતા. એક તરફ શિવસેનાનો ગ્રાફ 63 સીટો પર થંભી ગયો હતો, જ્યારે બીજેપીએ પોતાના દમ પર 122 સીટો જીતી છે.મહારાષ્ટ્રમાં ભાજપે 100નો આંકડો પાર કર્યો તેવો આ પ્રથમ પ્રસંગ હતો.

Advertisment

આ પણ વાંચો - Madhya Pradesh Election | મધ્યપ્રદેશ ચૂંટણી: કમલનાથે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે રેડ કાર્પેટ બિછાવી

ઉદ્ધવનું નિવેદન આક્રમક, ભાજપને ચિંતા નથી

શિવસેના એ હકીકતથી ચોક્કસપણે રાહત લઈ શકે છે કે, તેણે લોકસભા ચૂંટણીમાં હજુ પણ પોતાની બેઠકો પર મજબૂત પકડ જાળવી રાખી છે. આ કારણોસર, ગત લોકસભા ચૂંટણીમાં તેણે 18 બેઠકો જીતી હતી, તો 1999માં, પાર્ટીએ 15 બેઠકો જીતી હતી. પરંતુ હવે શિવસેનાના બે ભાગ થઈ ગયા હોવાથી આ આંકડાનું પુનરાવર્તન કરવું ઉદ્ધવ ઠાકરે માટે મુશ્કેલ બની શકે છે. આ કારણોસર ભાજપના નેતાઓ પણ ઉદ્ધવ ઠાકરેના પડકારને ગંભીરતાથી લઈ રહ્યા નથી.

લોકસભા શિવસેના મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ભાજપ