મમતા બેનરજી : શું પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે દીદીનું વલણ નરમ પડી રહ્યું?

Mamata Banerjee : પશ્ચિમ બગાળ સીએમ મમતા બેનરજીનું વલણ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમિત શાહ (Amit Shah) પ્રત્યે કેમ નરમ પડ્યું છે, શું છે તેની પાછળનું કારણ? તૃણમૂલ કોંગ્રેસના સૂત્ર અને વરિષ્ઠ અધિકારીએ.

Mamata Banerjee : પશ્ચિમ બગાળ સીએમ મમતા બેનરજીનું વલણ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમિત શાહ (Amit Shah) પ્રત્યે કેમ નરમ પડ્યું છે, શું છે તેની પાછળનું કારણ? તૃણમૂલ કોંગ્રેસના સૂત્ર અને વરિષ્ઠ અધિકારીએ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (ફાઇલ ફોટો)

અત્રિ મિત્રા : તાજેતરમાં બનેલી બે ઘટનાઓ બાદ પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં હલચલ જોવા મળી રહી છે. આ ઘટનાઓને 16 ડિસેમ્બરની અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી વચ્ચે થયેલી બેઠક અને વિપક્ષી નેતાઓ પર કેન્દ્રીય એજન્સીના દરોડા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દોષી ઠેરવવાનો ઇનકાર કર્યો હતો.

Advertisment

મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, આવતા અઠવાડિયે તેઓ વડાપ્રધાન મોદી સાથે કોલકાતામાં યોજાનાર એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. અટકળોને એવી પણ ચાલી રહી છે કે, રાજ્ય સરકારની આર્થિક સંકડામણ અને કેન્દ્ર તરફથી કોઈ આર્થિક મદદ ન મળવાને કારણે મમતા બેનર્જીને મોદી-શાહ પર પોતાનું વલણ નરમ પાડવાની ફરજ પડી રહી છે.

મમતા બેનર્જી અને અમિત શાહની મુલાકાત

ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક બાદ 16 ડિસેમ્બરે મમતા બેનર્જી અને ગૃહ પ્રધાન અમિત શાહે બંગાળના રાજ્ય સચિવાલય નબન્નાના 14મા માળે મુખ્ય પ્રધાનના રૂમમાં 15 મિનિટની બેઠક યોજી હતી. તે સમયે રાજ્ય પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, અમારી પાસે કેન્દ્ર પાસેથી બાકી રકમ છે. કેન્દ્ર સરકારે ગયા જાન્યુઆરીથી મનરેગામાં એક પૈસા (પશ્ચિમ બંગાળ) ચૂકવોયા નથી. બાકી રકમ રૂ. 6,000 કરોડથી વધુ છે. મમતા બેનર્જી બેનર્જીએ શનિવારે આ મુદ્દે ગૃહમંત્રીને પત્ર આપ્યો હતો અને અમે આશા રાખીએ છીએ કે, મુખ્યમંત્રી આ મુદ્દાને ગૃહમંત્રી સાથે બેઠક દરમિયાન ઉઠાવશે.

દીદીના આ વલણનું કારણ શું હોઈ શકે?

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ધન વિતરણને રોકવાના કેન્દ્રના નિર્ણયથી રાજ્યના વહીવટને ફટકો પડ્યો છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમની સરકાર પર નાણાકીય બોજ ઘટાડવા માટે PM અને કેન્દ્રીય ગૃહ પ્રધાનની મદદ લેવાનો પ્રયાસ કરી રહી છે.

Advertisment

આ પણ વાંચો - ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ લાલ કિલ્લાથી કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું – પીએમ પર લગામ, આ અંબાણી-અદાણીની સરકાર

પરંતુ વિપક્ષનો આરોપ છે કે, આ વર્ષની શરૂઆતમાં કથિત સ્કૂલ નોકરી કૌભાંડ સામે આવ્યું ત્યારથી બેનર્જી બેકફૂટ પર છે અને ભાજપ સાથે રાજકીય સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કેન્દ્રીય એજન્સીઓ પાછળ પડી જાય. બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સહિત પાર્ટીના અનેક નેતાઓ તપાસ એજન્સીઓના નિશાના પર છે.

politics Express Exclusive અમિત શાહ ભાજપ PM Narendra Modi