Manipur Violence : મણિપુર હિંસામાં લૂંટાયેલા સરકારી હથિયારો અને દારૂગોળામાંથી માત્ર 25 ટકા જ જપ્ત થયા

Manipur Violence Looted Arms Seizure : મણિપુરમાં હિંસા વખતે સરકારી શસ્ત્રાગારમાંથી આશરે 5,600 હથિયારો અને લગભગ 6.5 લાખ રાઉન્ડ દારૂગોળોની લૂંટ કરવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધી માત્ર 25 ટકા જ હથિયારો જપ્ત કરી શકાયા છે

Written by Ajay Saroya
October 29, 2023 07:58 IST
Manipur Violence : મણિપુર હિંસામાં લૂંટાયેલા સરકારી હથિયારો અને દારૂગોળામાંથી માત્ર 25 ટકા જ જપ્ત થયા
મણિપર હિંસા દરમિયાન લગભગ 80% લૂંટાયેલા હથિયારો 3 જિલ્લાઓમાં પોલીસ અને રાજ્યના શસ્ત્રાગારના હતા. (Express File Photo)

(Ritika Chopra) Manipur Violence Looted Arms Seizure : મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાના લગભગ છ મહિના પછી , રાજ્ય સરકાર માત્ર ચોથા ભાગના શસ્ત્રો અને મે મહિનામાં હિંસા ચરમસીમા દરમિયાન ચોરાયેલા દારૂગોળાના 5 ટકાથી પણ ઓછા જથ્થાને પરત મેળવી શકી છે, એવું ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મણીપુર હિંસામાં વખતે આશરે લૂંટાયેલા 5,600 હથિયારોમાંથી આશરે 1,500 પરત મેળવવામાં આવ્યા છે, અને લગભગ 6.5 લાખ રાઉન્ડ દારૂગોળો જે ગુમ થયો હતો, તેમાંથી લગભગ 20,000 અત્યાર સુધીમાં પોલીસ પાસે પાછા આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહે ગેરકાયદેસર હથિયારો સાથે મળી આવેલા લોકો સામે કાર્યવાહી કરવાની વારંવાર ધમકી આપી હોવા છતાં હજી સુધી લૂંટાયેલા ઘણા હથિયાર અને દારૂગોળો પરત આવ્યો નથી.

manipur violence
manipur violence between meiteis kuki

હકીકતમાં, રાજ્ય સરકારે સપ્ટેમ્બરમાં પણ મેની શરૂઆતથી મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચેના વંશીય સંઘર્ષને પગલે પોલીસ અને રાજ્યના શસ્ત્રાગારોમાંથી ચોરાયેલા શસ્ત્રો અને દારૂગોળાની રિકવરી અંગેનો સ્ટેટસ રિપોર્ટ સબમિટ કર્યો હતો.

લગભગ 80% લૂંટાયેલા હથિયારો ત્રણ જિલ્લાઓમાં આવેલા પોલીસ અને રાજ્યના શસ્ત્રાગાર – ઇમ્ફાલ પૂર્વ, ચુરાચંદપુર અને બિષ્ણુપુરમાંથી હતા

આ ત્રણ જિલ્લાઓમાં ઇમ્ફાલ પૂર્વમાંથી સૌથી વધુ 3,500થી વધુ ચોરાયેલા શસ્ત્રો (કુલ 5,600માંથી) અને લગભગ 4 લાખ દારૂગોળો (આશરે 6.5 લાખમાંથી) લૂંટવામાં આવ્યો હતો. મણિપુર રાઈફલ્સની 7મી બટાલિયન, 8મી ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (બંને ખાબેસોઈ ગામમાં) અને મણિપુર પોલીસ ટ્રેનિંગ કૉલેજ (પાંગેઈ ગામમાં)ના કેમ્પસ ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં આવેલા છે.

તેવી જ રીતે લગભગ 1,000 શસ્ત્રો (5,600 માંથી) બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં શસ્ત્રાગારોમાંથી ચોરાઈ ગયા હતા.

જો કે મોટાભાગના લૂંટાયેલા શસ્ત્રો ઇમ્ફાલ પૂર્વના છે, અનુમાનિત રીતે આજની તારીખમાં મોટા ભાગના શસ્ત્રો પણ ઇમ્ફાલ પૂર્વના (650 થી વધુ) જિલ્લાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હથિયારો અને દારૂગોળાની લૂંટ મોટાભાગે મે મહિનામાં થઈ હતી જ્યારે હિંસા ચરમસીમાએ પહોંચી હતી. “અમુક છુટપૂટ બનાવોને બાદ કરતાં, મે પછી કોઈ લૂંટફાટ થઈ નથી.”

Manipur News | Manipur Violence | Rice cultivation | Manipur News Gujarati
મણિપુર હિંસા ને પગલે અહીં ચોખાની ખેતીને ભારે અસર થઇ છે. (તસવીર- એક્સપ્રેસ)

લૂંટની ઘટનાઓથી, રાજ્ય સરકારે તમામ શસ્ત્રાગારોની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કર્મચારીઓને નિયુક્ત કર્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત શસ્ત્રાગારોમાં જ્યાં CRPF જવાનોની નિયુક્તિ કરવી શક્ય ન હતી, ત્યાંથી શસ્ત્રોને સંપૂર્ણપણે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે,”

મણિપુરમાં મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ ભલામણ રજૂ કરવા મણિપુર હાઈકોર્ટના આદેશ બાદ મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા વિરોધને પગલે 3 મેના રોજ ચુરાચંદપુર અને બિષ્ણુપુર જિલ્લાની સરહદ પરના વિસ્તારમાં હિંસક ઘટનાઓ બની હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ