Manipur Violence News: મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી, વહેલી સવારે ટોળુ ગામમાં ઘૂસ્યું, ત્રણની કરી હત્યા

Manipur Violence News: ઉખરુલના એસપી નિંગશેમ વાશુમે કહ્યું કે, માર્યા ગયેલા લોકોની ગામની સુરક્ષા માટે જવાબદારી હતી. તેમણે તેમને કહ્યું, “રાજ્યમાં ચાલી રહેલી જાતિ સમસ્યાને કારણે આ ઘટના બની છે. કેટલાક સશસ્ત્ર બદમાશો ગામમાં ઘૂસી ગયા અને ગામની રક્ષા કરતા આ ત્રણ લોકોને ગોળી મારી દીધી

Written by Kiran Mehta
August 18, 2023 14:44 IST
Manipur Violence News: મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી, વહેલી સવારે ટોળુ ગામમાં ઘૂસ્યું, ત્રણની કરી હત્યા
મણિપુર હિસાના સમાચાર - ત્રણની હત્યા

Manipur Violence News : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યના નાગા પ્રભાવિત ઉખરુલ જિલ્લાના એક ગામમાં શુક્રવારે સવારે ત્રણ લોકોના મોત થયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ ઘટના સવારે લગભગ 4.30 વાગ્યે બની હતી. અજાણ્યા લોકોના ટોળાએ ગામની રક્ષા કરતા ત્રણ માણસોની હત્યા કરી હતી. ઉખરુલ ગામ અત્યાર સુધીની અથડામણમાં પ્રમાણમાં શાંત હતું, પરંતુ શુક્રવારે સવારની ઘટના બાદ તણાવ છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના સવારે લગભગ 4.30 વાગ્યે બની હતી. થોવાઈ કુકી ગામમાં કુકી સમુદાયના લોકો રહે છે, તે ઉખરુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ થંગખોકાઈ હાઓકીપ, જામખોગિન હાઓકીપ અને હોલેન્સન બાઈટ તરીકે થઈ છે.

ઉખરુલના એસપી નિંગશેમ વાશુમે કહ્યું કે, માર્યા ગયેલા લોકોની ગામની સુરક્ષા માટે જવાબદારી હતી. તેમણે તેમને કહ્યું, “રાજ્યમાં ચાલી રહેલી જાતિ સમસ્યાને કારણે આ ઘટના બની છે. કેટલાક સશસ્ત્ર બદમાશો ગામમાં ઘૂસી ગયા અને ગામની રક્ષા કરતા આ ત્રણ લોકોને ગોળી મારી દીધી. તેમણે એમ પણ કહ્યું કે, ગામ એક દૂર દરાજ વિસ્તારમાં છે. અહીંથી સૌથી નજીકની સુરક્ષા ચોકી 3 કિમી દૂર છે, તેથી ઘટના સમયે સુરક્ષા દળોના જવાનો ત્યાં હાજર ન હતા.

આ પણ વાંચોરેલવે સ્ટેશન પર એક વ્યક્તિને કપલ સાથે બબાલ બાદ મોટો અકસ્માત, VIDEO જોઈ આત્મા કંપી જશે

અત્યાર સુધી ઉખરુલ હિંસાથી દૂર હતું

થોવાઈ કુકી ગામ ઉખરુલ પોલીસ વિસ્તારમાં આવે છે. તે કામજોંગજીઓન જિલ્લાનો ભાગ છે. ઉખરુલમાં હજુ સુધી કુકી અને મીતાઈ સમુદાયો વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો નથી. ઉખરુલના એસપી નિંગશેમ વાશુમે જણાવ્યું કે, હિંસાની બીજી ઘટના લગભગ એક મહિના પહેલા કામજોંગજોના અન્ય કુકી ગામમાં બની હતી. રાજ્યમાં 3 મેથી હિંસા ચાલુ છે. મણિપુર રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મેઇતેઇ પ્રભુત્વ ધરાવતા બિષ્ણુપુર, ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ અને કાકચિંગ અને કુકી-ઝોમી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર અને કાંગપોકપી જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ