જમ્મુ-કશ્મીરમાં કટરા ખાતે આવેલા પ્રખ્યાત માતા વૈષ્ણો દેવી મંદિરના દર્શન કરવા માટે ભક્તો ગણતરીની મિનિટમાં પહોંચી શકે તેવી મહત્વપૂર્ણ યોજના સરકાર શરૂ કરવા જઇ રહી છે. હાલ માતા વૈષ્ણો દેવીના ભવન સુધી પહોંચવા માટે ભક્તોએ ત્રિકુટ પર્વતનું 12 કિમી જેટલું ચઢાણ ચઢવું પડે છે. જેમાં વૃદ્ધ શ્રદ્ધાળુઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર્શનાર્થીઓને સુવિધા માટે સરકારે 250 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેનાથી જે યાત્રામાં 12 કલાક જેટલો સમય લાગતો હતો હવે તેમાં માત્ર 6 મિનિટ લાગશે.
લગભગ 5200 ફૂટની ઉંચાઈ પર છે માતાનો દરબાર
જમ્મુના કટારા ખાતે આવેલું માતા વૈષ્ણો દેવીનું મંદિર ઘણુ પ્રસિદ્ધ છે અને દર વર્ષે દૂર દૂરથી લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. વર્ષ 2022ના આંકડા મુજબ સમગ્ર વર્ષમાં લગભગ 91 લાખ ભક્તો દર્શન માટે આવ્યા હતા. માતા વૈષ્ણો દેવીનું મંદિર ત્રિકુટ પર્વત પર આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે 12 કિલોમીટર લાંબું ચઢાણ કરવી પડે છે, કારણ કે માતાનું ભવન લગભગ 5200 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.
હાલ ભક્તોએ માતાના ભવન સુધી પહોંચવા માટે પગપાળા 12 કિમી જેટલું ચાલવું પડે છે. ઉંમરલાયક કે અશક્ત વ્યક્તિઓ પિટ્ટુ, ખચ્ચર, પાલકી કે હેલિકોપ્ટરની મદદથી મંદિર સુધી પહોંચે છે, તેની માટે ચાર્જ ચૂકવવો પડે છે. ત્રિકુટ પર્વત પર 12 કિલોમીટરની મુસાફરી કરવામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે.
પરંતુ રોપ-વે બન્યા બાદ 12 કિલોમીટરની યાત્રા થોડીવારમાં પૂર્ણ થઈ જશે. કૃપા કરીને જણાવો કે રોપ-વેની લંબાઈ 2.4 કિમી હશે. RITES (રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ) એ આ માટે બિડ કરી છે.
ત્રિકુટ પર્વત પર રોપ-વે શરૂ કરાશે, માત્ર 6 મિનિટમાં ભવન સુધી પહોંચાશે
કેન્દ્ર સરકારે ગિરનારની જેમ હવે માતા વૈષ્ણો દેવી મંદિરની યાતાને સરળ અને સુવિધાજનક બનાવવા માટે ત્રિકુટ પર્વત પર રોપ-વે બનાવાની યોજના બનાવી છે. 5200 ફુટની ઉંચાઇએ પર સ્થિત માતા વૈષ્ણો દેવીની યાત્રા કરવામાં ભક્તોને 12 કિલોમીટરનું અંતર કાપવા 12 કલાક જેટલો સમય લાગે છે. જો કે રોપ-વેની સુવિધાથી માત્ર 6 મિનિટમાં ભક્તો માતાના દરબાર સુધી પહોંચી શકશે.
રોપ-વે પ્રોજેક્ટ પાછળ 250 કરોડ રૂપિયા ખર્ચાશે
પવિત્ર યાત્રાધામ ત્રિકુટ પર્વત પર રોપ-વે સુવિધા ઉભી કરવા સરકારે મંજૂરી આપી દીધી છે. આ રોપ-વે પ્રોજેક્ટ પાછળ લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ રોપ-વે કટરા સ્થિત બેઝ કેમ્પ તારાકોટથી શરૂ થશે અને મંદિરની નજીક સાંજી છત સુધી જશે. તમને જણાવી દઈએ કે આ રોપ-વેમાં ગોંડોલા કેબલ કાર સિસ્ટમ લગાવવામાં આવશે.
માતા વૈષ્ણો દેવીનું મંદિર ઘણી ઉંચાઇ પર હોવાને કારણે ઘણા સમયથી ભક્તો રોપ-વે બનાવવાની માંગ કરી રહ્યા હતા, કારણ કે હેલિકોપ્ટર અથવા ખચ્ચરથી યાત્રા કરવા પાછળા વધારે નાણાં ખર્ચાતા હતા.