મિઝોરમ વિધાનસભા ચૂંટણી : ક્રિશ્ચિયન વિરોધી ઇમેજથી છૂટકારો મેળવવા માટે ભાજપની નજર બિન-મિઝો મતદાતાઓ પર, આવો છે પ્લાન

Mizoram Assembly Election 2023 : મિઝોરમની 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે, મામિત મિઝોરમનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે એક રેલીને સંબોધિત કરવાના છે

Mizoram Assembly Election 2023 : મિઝોરમની 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે, મામિત મિઝોરમનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે એક રેલીને સંબોધિત કરવાના છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
mizoram assembly election 2023 | mizoram assembly election | mizoram

મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2023 (Express photo/Surkita Baruah)

Sukrita Baruah : મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યની 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બર 2023ના રોજ થશે. ચૂંટણી પહેલા રાજધાની આઈઝોલથી 80 કિમી દૂર ભાજપ કાર્યાલયમાં હલચલ શરૂ થઈ ગઈ છે. 2018માં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી.

Advertisment

ભાજપના નેતા અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી વાય પૈટનને જિલ્લાના ત્રણ મતવિસ્તારો - મામિત, ડંપા અને હચેક માટે અભિયાનની દેખરેખ માટે કેટલાક અઠવાડિયાઓ માટે અહીં તૈનાત કરવામાં આવ્યા છે. અહીંના દાવેદારો રાજ્યમાં ભાજપના સૌથી મોટા નામ છે, જેમાં સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)માંથી આવેલા અને મામિતના ઉમેદવાર લાલરિનલિયાના સેલો પણ સામેલ છે. ભાજપના મિઝોરમના પ્રમુખ વનલાલહમુઅકાએ ડંપાથી ચૂંટણી લડી રહ્યા છે અને અગ્રણી વેપારી સ્વામી માલસાવમતલુંગા, હચેકથી ઉમેદવાર છે.

મિઝોરમમાં પીએમ મોદીની રેલી

મામિત મિઝોરમનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે એક રેલીને સંબોધિત કરવાના છે. મામિત કાર્યાલય તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી નોન મિઝો બ્રુ અને ચકમા પર ભરોસો કરી રહી છે. કેન્દ્રએ તેમને પાર્ટીને ટેકો આપવા માટે અનેક સુવિધાઓ પ્રદાન કરી છે કારણ કે તે મિઝો ખ્રિસ્તીઓ વચ્ચે પોતાની પહોંચ બનાવવા માંગે છે.

મિઝોરમની લગભગ 87 ટકા વસ્તી ખ્રિસ્તી છે. મણિપુરમાં કુકી, બહુમતી મૈતેઈ અને મિઝોની વસ્તી છે. મણિપુર હિંસામાં ચર્ચોને નષ્ટ કરવાના અહેવાલોએ મિઝોરમમાં ભાજપ માટે પહેલાથી જ સાધારણ સમર્થન પર અસર કરી છે. આઇઝોલના એક ભાજપ કાર્યકર્તાનું કહેવું છે કે મિઝોની વસ્તી પહેલાથી જ ભાજપને ખ્રિસ્તી વિરોધી માને છે. જોકે લઘુમતીઓ પક્ષ પ્રત્યે એટલા ઉદાસીન નથી અને તે જ શક્યતા છે.

Advertisment

નોન-મિઝો લોકોના મત પર ભાજપનું ફોકસ

પાર્ટીની ગણતરી મુજબ મામિત જિલ્લામાં આશરે 12,739 મિઝો મતદારો, 8,020 બ્રુ, 3,491 ચકમા, 161 ગોરખા અને 19 બંગાળી મતદારો છે. જો તેમને નોન મિઝો લોકોમાં પૂરતા મત મળશે તો ભાજપને લડવાની તક મળશે. મામિત ઉપરાંત ભાજપનું ધ્યાન દક્ષિણ મિઝોરમ મતવિસ્તારો પર કેન્દ્રિત છે. જ્યાં તુઇચાવાંગ, પલક અને સિયાહા જેવા બિન-મિઝો મતદારો મોટી સંખ્યામાં છે.

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે, આમંત્રણનો સ્વીકાર કર્યો

મિઝોરમ વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય બીડી ચકમા 2018માં તુઇચાવાંગથી ચૂંટાયા હતા. તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તે સમયે ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા કુલ 39 ઉમેદવારોમાંથી મોટા ભાગના ઉમેદવારો ત્રીજા, ચોથા કે પાંચમા ક્રમે રહ્યા હતા. પાર્ટીના તુઇચાવાંગના ઉમેદવાર જીત્યા હતા અને પશ્ચિમ તુઇપુઇ અને પાલકમાં તેમના ઉમેદવારો બીજા સ્થાને રહ્યા હતા.

આ વખતે ભાજપે માત્ર 23 ઉમેદવાર ઉતાર્યા

આ વખતે ભાજપે માત્ર 23 ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ધ્યાન એવા ક્ષેત્રો પર છે જ્યાં પાર્ટીનો વિકાસ થશે. અમે લઘુમતી મતદારો વાળી તમામ 14 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ. રાજ્યમાં કોંગ્રેસ અને એમએનએફ વચ્ચે દાયકાઓથી ચાલી રહેલી દ્વિધ્રુવીય લડાઇમાં લઘુમતી મતદારો ઉપરાંત ભાજપ સત્તા વિરોધી લહેરનો સહારો લઇ રહ્યું છે.

ભાજપના એક વરિષ્ઠ નેતા આની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે કે ક્ષેત્રીય વિકલ્પ (એમએનએફ) માટે 10 વર્ષ અને રાષ્ટ્રીય વિકલ્પ (કોંગ્રેસ) માટે 10 વર્ષ. તેમણે આગળ કહ્યું કે એક નવા પ્રાદેશિક પક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટનો ઉદય, એમએનએફના સ્થાનને ખાઈ રહ્યો છે. ભાજપનું લક્ષ્ય પાર્ટી માટે જગ્યા મેળવવાનું છે. ખ્રિસ્તી બહુમતી ધરાવતા રાજ્યમાં ચિંતાજનક એવી એ રાષ્ટ્રીય છબીમાં આક્રમક હિન્દુત્વનો સંકેત પણ મળી રહ્યો છે. ભાજપને આશા છે કે કેન્દ્રીય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેમના પ્રત્યે સતર્કતા વધશે.

મિઝોરમ ચૂંટણી મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2023 ચૂંટણી 2023 Express Exclusive ભાજપ