Home Loan Subsidy : ઘર ખરીદવું સરળ બનશે, મોદી સરકાર નવી હોમ લોન વ્યાજ સબસિડી સ્કીમ શરૂ કરશે, 60000 કરોડ રૂપિયા ખર્ચ કરશે

Home Loan Interest Subsidy Scheme : મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકારી નવી હોમ લોન સબસિડી યોજના હેઠળ પાછળ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે

Home Loan Interest Subsidy Scheme : મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકારી નવી હોમ લોન સબસિડી યોજના હેઠળ પાછળ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Home loan | Home Loan Interest Subsidy Scheme

નવું ઘર ખરીદવું એ કોઈપણ વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય હોય છે. (પ્રતિકાત્મક ફોટો)

Modi Government Home Loan Interest Subsidy Scheme : હવે ગરીબ અને ઓછી આવકવાળા લોકોની પોતાનું ઘર ખરીદવાની ઇચ્છા પૂરી થશે. કેન્દ્ર સરકાર નાના ઘર ખરીદનારાઓ માટે નવી હોમ લોન સબસિડી સ્કીમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજનાથી શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા જૂથોના અંદાજે 25 લાખ હોમ લોન અરજદારોને ફાયદો થવાની સંભાવના છે. જો કે, અધિકારીઓએ સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે સબસિડીની રકમ આવા મકાનોની માંગ પર નિર્ભર રહેશે.

Advertisment

આ યોજના પાછળ આગામી 5 વર્ષમાં આશરે 60,000 કરોડ રૂપિયા (લગભગ 7.2 અબજ ડોલર)નો ખર્ચ થશે. આ યોજના આગામી થોડાક મહિનામાં લાગુ થઈ શકે છે. જો કે, આ યોજના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

સ્વતંત્રતા દિવસ 2023ના ભાષણ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સરકાર નવી યોજના દ્વારા શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા લોકોને સસ્તી હોમ લોન આપશે. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર એક નવી યોજના લઈને આવી રહી છે જેનો લાભ એવા પરિવારોને મળશે જેઓ શહેરોમાં છે પરંતુ ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અથવા ચાલીઓ અને ગેરકાયદેસરની સોસાયટીમાં રહે છે.

આ પણ વાંચો | માત્ર 5 ટકાના વ્યાજે મળશે 3 લાખની લોન, 8 ટકા સબસિડી પણ મળશે: સરકારી લોન માટે જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીત જાણો

Advertisment

રોઇટર્સના રિપોર્ટ મુજબ, આ નવી યોજના હેઠળ 9 લાખ રૂપિયા સુધીની લોનની રકમ પર 3-6.5% ની વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સબસિડી 20 વર્ષની મુદ્દત માટે લેવામાં આવેલી 50 લાખ રૂપિયાથી ઓછી રકમની હોમ લોન પર મળી શકે છે. વ્યાજ રાહતની રકમ લાભાર્થીઓના હોમ લોન ખાતામાં જમા થવાની શક્યતા છે. આ યોજના તેના અંતિમ તબક્કામાં છે અને તેના અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરીની જરૂર પડશે.

બેંક કેન્દ્ર સરકાર હોમ લોન બિઝનેસ PM Narendra Modi