Mumbai Police: 26/11 મુંબઇ હુમલામાંથી પણ કોઈ બોધપાઠ ન શીખ્યા! દરિયા કિનારીની સુરક્ષા માટે ખરીદેલી કરોડોની 38 બોટ ધૂળ ખાઈ રહી છે

26/11 Mumbai Terror Attacks: મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલા બાદ દરિયા કિનારાની સુરક્ષા માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક 46 સ્પીડબોટ ખરીદવામાં આવી હતી, જે વર્ષોથી ધૂળ ખાઇ રહી છે. પ્રજાના પૈસાની બરબાદી.

Written by Ajay Saroya
Updated : November 25, 2023 12:11 IST
Mumbai Police: 26/11 મુંબઇ હુમલામાંથી પણ કોઈ બોધપાઠ ન શીખ્યા! દરિયા કિનારીની સુરક્ષા માટે ખરીદેલી કરોડોની 38 બોટ ધૂળ ખાઈ રહી છે
મુંબઈના મઝગાંવ પોલીસ લૉન્ચ વિભાગના પાછળના ભાગમાં નિષ્ક્રિય પડેલી ચાર સ્પીડબોટ પેકીની એક બોટ નજરેર પડે છે. (Photo - Sagar Rajput)

26/11 Mumbai Terror Attacks: મુંબઈ પોલીસે 2008ના આતંકવાદી હુમલા પછી શહેરના દરિયાકિનારાની આસપાસ કડક દેખરેખ રાખવા માટે 46 સ્પીડબોટ ખરીદી હતી. આ પીળી અને વાદળી રંગની આ એન્ફિશિયસ બોટ – જે જમીન અને સમુદ્ર બંને પર નેવિગેટ કરવા સક્ષમ છે, તે શહેરના પૂર્વમાં મઝગાંવના લકડી બંદર ખાતે મુંબઈ પોલીસ પ્રક્ષેપણ વિભાગના પેવર-બ્લોક બેકયાર્ડમાં મુકાઈ છે. આ ઓફિસની એકદમ સામે લગભગ એક ડઝન જેટલી સ્પીડબોટ ધૂળ ખાઇ રહી છે. અહીંયા અત્યાધુનિક સ્પીડ બોટને તાડપત્રીથી ઢાંકીને મૂકવામાં આવી છે. આ બોટ 46 બોટના કાફલાનો ભાગ છે જે મુંબઈ પોલીસે 2008માં મહારાષ્ટ્રમાં થયેલા આતંકી હુમલા પછી ખરીદી હતી.

આ સ્પીડ બોટ ખરીદવાનો હેતુ શહેરના 114 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર બાજ નજર રાખવાનો હતો. ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે આ મોંઘીદાટ અત્યાધુનિક સ્પીડબોટમાં 38 બોટ તો 15 વર્ષથી ઓછા સમયમાં નકામી કે બિનઉપયોગી બની ગયા છે. 26 નવેમ્બર 2008ના રોજ, પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ કરાચીથી અરબી સમુદ્ર પાર કરીને પોરબંદરથી એક ફિશિંગ ટ્રોલરને હાઈજેક કરીને મુંબઈના દરિયા કિનારે પહોંચ્યા હતા.

મુંબઇના 26/11ના આતંકવાદી હુમલામાં 160 લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા. 26/11ના હુમલા પહેલા મુંબઈ પોલીસ પાસે દરિયામાં પેટ્રોલિંગ કરવા માટે માત્ર ચાર ફાઈબર ગ્લાસ બોટ હતી. મર્યાદિત સંસાધનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ ભયંકર હુમલા બાદ હાઇ-સ્પીડ બોટ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો |  રાજસ્થાનમાં 199 બેઠકો માટે મતદાન શરૂ, કોંગ્રેસ – ભાજપ વચ્ચે રાજકીય જંગ; રિવાજ બદલાશે કે ઇતિહાસ રચાશે

હકીકતમાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં સુરક્ષા દળોના જવાબી કાર્યવાહીની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ (HLEC) દ્વારા આ સંશાધનોનો અભાવ અને જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિને મુખ્ય તપાસ પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ