નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ 2023ને કેબિનેટની મંજૂરી, પીએમ મોદીના હાથમા કમાન, સંશોધન અને વિકાસ માટે આગામી 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે

NRF Bill 2023 : સરકારનું કહેવું છે કે પેરિફેરલ, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ફંડિંગ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

Written by mansi bhuva
Updated : June 29, 2023 09:49 IST
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ 2023ને કેબિનેટની મંજૂરી, પીએમ મોદીના હાથમા કમાન, સંશોધન અને વિકાસ માટે આગામી 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ 2023ને કેબિનેટની મંજૂરી

પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ ગઇકાલે 28 જૂનના રોજ કેન્દ્રીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નેશલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) બિલને સંસદમાં રજૂ કરાયું હતું. આ બિલને લીલીઝંડી મળી ગઈ છે. તેથી બિલ NRFની સ્થાપના કરવાનો માર્ગ મોકળો કરશે જે સંશોધન અને વિકાસ (R&D) ને બીજ, વૃદ્ધિ અને પ્રોત્સાહન આપશે અને સમગ્ર ભારતની યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને R&D પ્રયોગશાળાઓમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.

સંસદમાં મંજૂર થયા બાદ આ બિલ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની ભલામણો અનુસાર દેશમાં વૈજ્ઞાનિક સંશોધનની ઉચ્ચ-સ્તરની વ્યૂહાત્મક દિશા પ્રદાન કરવા માટે એક સર્વોચ્ચ સંસ્થા NRFની સ્થાપના કરશે,. પાંચ વર્ષ (2023-28) દરમિયાન જેની કુલ અંદાજિત કિંમત રૂ. 50,000 કરોડ રહેશે.

કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરએફ)ની સ્થાપના માટે સંસદમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ 2023 લાવવામાં આવશે. આ સાથે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ એક્ટ 2008 રદ્દ કરવામાં આવશે. એનઆરએફને ગવર્નિંગ બોર્ડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. તેમાં 15 થી 25 પ્રતિષ્ઠિત સંશોધકો અને વ્યાવસાયિકો સામેલ થશે. આ ગવર્નિંગ બોર્ડનું સોપાન વડાપ્રધાનના હાથમાં હશે.

સંસદમાં બિલ મંજૂર થયા બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની ભલામણો અનુસાર દેશમાં વૈજ્ઞાનિક સંશોધનની ઉચ્ચ-સ્તરની વ્યૂહાત્મક દિશા પ્રદાન કરવા માટે NRF એક સર્વોચ્ચ સંસ્થાની સ્થાપના કરશે. જેની અંદાજિત કુલ કિંમત પાંચ વર્ષ (2023-28) દરમિયાન 50 હજાર કરોડ રૂપિયા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) એ NRFનું વહીવટી અંગ હશે. જેનું સંચાલન વિવિધ શાખાઓના જાણીતા સંશોધકો અને વ્યાવસાયિકો ધરાવતા ગવર્નિંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : bakri Eid 2023 | બકરી ઈદઃ પરવાનગી વગર હાઉસિંગ સોસાયટીમાં ન આપવામાં આવે કુર્બાની, બોમ્બે હાઈકોર્ટનો બીએમસીને આદેશ

વડાપ્રધાન બોર્ડના હોદ્દેદાર અધ્યક્ષ હશે. કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ઉપાધ્યક્ષ હશે. NRFની કામગીરી ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની આગેવાની હેઠળની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા સંચાલિત કરવામાં આવશે.

મહત્વનું છે કે, ભારત સંશોધન અને વિકાસ માટે અન્ય દેશોની તુલનાએ માત્ર જીડીપી (GDP) ના 0.7 ટકા ખર્ચ કરે છે. આ ખર્ચ અન્ય દેશોની સરખામણીઓ ઘણો ઓછો છે. ખરેખર તો સંશોધન અને વિકાસના ખર્ચમાં 2018માં 0.84 ટકાથી ઘટીને લગભગ 0.69 ટકા થયો હતો. બીજી બાજુ અન્ય દેશો જેમકે અમેરિકા 2.83, ચીન 2.14 ટકા અને ઈઝરાયેલે 4.9 ટકા જેટલો સંશોધન અને વિકાસ પાછળ ખર્ચ કર્યો છે. આ સિવાય બ્રાઝિલ, મલેશિયા અને ઇજિપ્ત પણ તેમના જીડીપીનો વધુ ખર્ચ સંશોધન પર કરે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા સૌપ્રથમ 3 જાન્યુઆરી 2019માં NRF માટેની દરખાસ્ત જાહેર ક્ષેત્રમાં લાવવામાં આવી હતી. આ પછી 20 જાન્યુઆરીએ સંસદના સંયુક્ત સત્ર દરમિયાન અને જુલાઈ 2019માં નાણામંત્રીના બજેટ સત્રમાં NRF વિશે ઉલ્લેખ થયો હતો. NRFની રચના પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મુખ્ય ભલામણોમાંની એક હતી.

વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, NRF પહેલા જ અસ્તિત્વમાં આવી ગયુ હોય, પણ કોરોના મહામારીને કારણે તેમાં વિલંબ થયો. આ સાથે જીતેન્દ્ર સિંહે કહ્યું કે, NRF બિલ વિશ્વના તમામ શ્રેષ્ઠ મોડેલનો અભ્યાસ કર્યા બાદ અને તેને ભારતીય પરિસ્થિતિ અનુરૂપ ઢાંચો આપીને તૈયાર કરવામાં આવ્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, અત્યાર સુધીમાં વૈજ્ઞાનિક સંશોધનો સાયલોમાં હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સરકારી વિભાગ,પ્રયોગશાળા તેમજ કેન્દ્રીય-રાજ્ય યુનિ.માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ સમાનતા નથી. જેમ કે દેશમાં આઈઆઈટી પાસે છે. વૈજ્ઞાનિક સંશોધનના ભંડોળમાં પણ એકરૂપતાનો અભાવ જોવા મળ્યો છે. આ મુદ્દાઓને બિલમાં સમાવવાયા છે.

યુનિવર્સિટીઓમાં સંશોધનની સુવિધા એ NRF માટે મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક હોવાની અપેક્ષા છે. આ સાથે NRF માત્ર પ્રાકૃતિક વિજ્ઞાન અને ઈજનેરીમાં જ નહીં, પરંતુ સામાજિક વિજ્ઞાન, કલા અને માનવતામાં પણ સંશોધનને પ્રોત્સાહન આપશે, જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય સમાજને સામનો કરતી મુખ્ય સમસ્યાઓના ઉકેલો શોધવાના છે. ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજયરાઘવને જણાવ્યું હતું કે NRF ભારતમાં વિજ્ઞાન માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે.

NRF વહીવટી રીતે DSTમાં રાખવામાં આવશે અને તેમાં 16-સદસ્યનું ગવર્નિંગ બોર્ડ હશે જેમાં DSTમાંથી બે સભ્યો, ઉદ્યોગમાંથી પાંચ, માનવતામાંથી એક અને છ નિષ્ણાત સામેલ હશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે NRF પોસ્ટ-ડોક્ટરલ સંશોધન માટે ફેલોશિપ પણ પ્રદાન કરશે, જેના માટે અત્યારે ભંડોળ ઉપલબ્ધ નથી. વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, 50,000 કરોડના અંદાજિત ભંડોળમાંથી રૂ. 36,000 કરોડ ઉદ્યોગમાંથી આવશે. NRF હેઠળના વૈજ્ઞાનિક સંશોધન પ્રોજેક્ટ્સને DST અને ઉદ્યોગ દ્વારા 50:50 ના ધોરણે ભંડોળ પૂરું પાડવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ