/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/JP-Nadda.jpg)
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (તસવીર - બીજેપી ટ્વિટર)
ભાજપે લોકસભા ચૂંટણી 2024ને લઇને પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.જેના પગલે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પોતાની ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. જેપી નડ્ડાની નવી ટીમમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા તો તેલંગણાના પૂર્વ બીજેપી અધ્યક્ષ બંદી સંજય કુમારને નેશનલ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે.
બીજેપીની સેન્ટ્રલ ટીમમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ પણ જગ્યા બનાવી છે. આ ઉપરાંત એએમયુના પૂર્વ વીસી અને પસમાંદા મુસ્લિમ સમાજના આવનારા યુપીના એમએલસી તારીક મંસૂરને પણ ટીમમાં સામેલ કર્યા છે.
શનિવારે રજૂ કરેલી નવી યાદીમાં 13 ઉપાધ્યક્ષ અને નવ મહાસચિવને સામેલ કર્યા છે. નવી યાદીમાં મોટાભાગના પદાધિકારીઓને ઉપાધ્યક્ષ, મહાસચિવ અને સચિવના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે.
બંદી સંજય કુમાર બન્યા રાષ્ટ્રીય મહાસચિવ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ શનિવારે પોતાની રાષ્ટ્રીય ટીમમાં ફેરફાર કરતા ઉત્તર પ્રદેશના એક પસમાંદા મુસલમાને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને તેલંગાણા એકમના પૂર્વ અધ્યક્ષ બંદી સંજય કુમારને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ભાજપના કર્ણાટકના નેતા સી ટી રવિ અને અસમના લોકસભા સાંસદ દિલીપ સૈકિયાને મહાસચિવ પદથી હટાવી દીધા છે.
Bharatiya Janata Party releases list of its central office bearers - Bandi Sanjay Kumar, Radhamohan Agrawal inducted as general secretaries pic.twitter.com/vFfZscJI0B
— ANI (@ANI) July 29, 2023
અનિલ એન્ટનીને બનાવ્યા રાષ્ટ્રીય સચિવ
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ તારિક મંસૂરને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ અત્યારે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય છે. તેમને નવી ટીમમાં સામેલના નિર્ણયને પસમાંદા મુસલમાનો માટે પાર્ટીની પહેલાનો એક ભાગ માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશથી જ પાર્ટીના સાંસદ રાધામોહન અગ્રવાલને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. બિહારના લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહને પાર્ટી ઉપાધ્યક્ષના પદથી હટાવી દીધા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીને રાષ્ટ્રીય બનાવ્યા છે.
રાજેશ અગ્રવાલ બન્યા કોષાધ્યક્ષ
બીએલ સંતોષને રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બનાવવામાં આવ્યા છે. જ્યારે શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રીની જવાબદારી આપવામાં આવી છે. કોષાધ્યક્ષની જવાબદારી ઉત્તર પ્રદેશના રાજેશ અગ્રવાલને આપવામાં આવી છે. ઉત્તરાખંડના નરેશ બંસલને સહ કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજેપીએ 8 રાષ્ટ્રીય મહામંત્રી પણ બનાવ્યા છે. આમાં અરુણ સિંહ, કૈલાશ વિજયવર્ગીય, દુષ્યંત કુમાર ગૌતમ, તરુણ ચુગ, વિનોદ તાવડે, સુનિલ બંસલ, સંજય બંદી અને રાધામોહન અગ્રવાલનો પણ સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us