Nuh violence : નૂહના એસપીની ટ્રાન્સફર, રોહિંગ્યાઓની વસ્તી પર ફર્યું બૂલડોઝર, હિંસા બાદ એક્શનમાં આવી હરિયાણા પોલીસ

Nuh Violence Latest Update : અત્યાર સધી 5 જિલ્લામાં 93 ફરિયાદ નોંધાઈ છે અને 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ નૂહના એસપી વરુણ સિંગલાની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.

Nuh Violence Latest Update : અત્યાર સધી 5 જિલ્લામાં 93 ફરિયાદ નોંધાઈ છે અને 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ નૂહના એસપી વરુણ સિંગલાની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Nuh Violence | haryana Violence

હરિયાણાના નૂહમાં હજુ પણ તણાવ યથાવત છે (Express photo by Abhinav Saha)

હરિયાણામાં થયેલી હિંસાના આરોપીઓ પર પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સધી 5 જિલ્લામાં 93 ફરિયાદ નોંધાઈ છે અને 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ નૂહના એસપી વરુણ સિંગલાની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમની જગ્યાએ નરેન્દ્ર બિજારનિયા નવા એસપી થશે. વરુણ સિંગલા બૃજમંડળ શોભાયાત્રા પહેલા છુટ્ટી પર ગયા હતા.

Advertisment

એક સત્તાવાર આદેશમાં સુક્રવારે કહ્યું કે નૂહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલા જેઓ જિલ્લામાં સાંપ્રદાયિક ઘર્ષણ ભડકવા સમયે સજા પર હતા તેમની બદલી કરવામાં આવી છે. સિંગલાને ભિવાનીના પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે. અગ્ર મુખ્ય સચિવ ગુહી ટીવી એસ એન પ્રસાદ દ્વારા 3 ઓગસ્ટે રજૂ કરેલા એક સરકારી આદેશ અનુસાર નરેન્દ્ર બિજારનિયા સિંગલાની અનુપસ્થિતિમાં વધારાની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ નૂહના નવા એસપી હશે.

નરેન્દ્ર બિજારનિયાને બનાવવામાં આવ્યા નૂહના નવા એસપી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે સિંગલા જે વર્તમાનમાં નૂહના એસપી છે તેમની બદલી ભિવાનીના એસપી તરીકે કરવામાં આવી છે. ભિવાનીના એસપી નરેન્દ્ર બિજારનિયા જેઓ પોતાના વર્તમાન કર્તવ્યો ઉપરાંત નૂહની આસપાસના ક્ષેત્રોમાં અગ્ર ડીજીપીના ઓએસડીના રૂપમાં પમ કાર્ય કરી રહ્યા હતા. તેમની બદલી કરીને નૂહના એસપી તરીકે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે વિશ્વ હિન્દુ પરિષદના જુલુસને રોકવાની કોશિશને લઇને સોમવારે નૂહમાં હિંસા ભડકી હતી. જે ગત દિવસોમાં ગુરુગ્રામ સુધી ફેલાઈ હતી. હિંસામાં બે હોમગાર્ડ અને મૌલવી સહિત છ લોકોના મોત થયા છે.

Advertisment
હિંસા બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ