Odisha train accident: ઓડિશા ટ્રેન અકસ્માત| રેલવેએ CBI તપાસની કરી માંગ, વૈષ્ણવે કહ્યું - અમે જવાબદારની ઓળખ કરી લીધી છે

Odisha train accident : ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) દુરદર્શનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, અકસ્માતનું "મૂળ કારણ" અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવી છે, સીબીઆઈ (CBI) ની તપાસ બાદ બધુ જણાવવામાં આવશે.

Odisha train accident : ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) દુરદર્શનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, અકસ્માતનું "મૂળ કારણ" અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવી છે, સીબીઆઈ (CBI) ની તપાસ બાદ બધુ જણાવવામાં આવશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Odisha train accident may be investigated by CBI

ઓડિશા ટ્રેન અકસ્માતની તપાસ સીબીઆઈ કરી શકે છે

અવિશેક જી દસ્તીદાર: ઓડિશા ટ્રેન અકસ્માતની CBI તપાસ થઈ શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, રેલવે તરફથી તેની ભલામણ આવી છે, આવી સ્થિતિમાં હવે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી શકે છે. મોટી વાત એ છે કે, ગઈકાલે એક પૂર્વ રેલ મંત્રીએ પણ આ સમગ્ર ઘટનાને કાવતરું ગણાવ્યું હતું, આ દરમિયાન સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. કેન્દ્ર આ ભલામણને ક્યારે મંજૂર કરશે, તે હજુ સ્પષ્ટ નથી.

Advertisment

મંત્રીએ વહેલી સવારના ઈન્ટરવ્યુમાં સરકારી માલિકીના બ્રોડકાસ્ટર દૂરદર્શનને કહ્યું કે અકસ્માતનું "મૂળ કારણ" અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ થઈ ગઈ છે તે પછી આ જાહેરાત થઈ.

વૈષ્ણવે રવિવારે ભુવનેશ્વરમાં પછીથી જણાવ્યું હતું કે, "અકસ્માત જે પરિસ્થિતિ અને સંજોગોમાં થયો હતો તેને ધ્યાનમાં રાખીને અને અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલી વહીવટી માહિતીને ધ્યાનમાં રાખીને, રેલ્વે બોર્ડ સીબીઆઈ દ્વારા આ મામલે વધુ તપાસ અને તપાસની ભલામણ કરી રહ્યું છે."

દૂરદર્શનને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, 'જેણે પણ આ કર્યું છે તેણે આમાં ફેરફાર કર્યો છે - પોઈન્ટ મશીન પર, ટ્રેકનું કન્ફિગરેશન - જેના આધારે બધું ચાલે છે. તે કન્ફિગરેશન બદલાઈ ગયું છે. કારણ કે જેના કારણે આ એક દર્દનાક અકસ્માત થયો છે. પરંતુ સ્વતંત્ર એજન્સીનો રિપોર્ટ આવ્યા બાદ જ હું તેના પર ટિપ્પણી કરીશ.

Advertisment

ઈલેક્ટ્રીક પોઈન્ટ મશીન વૈષ્ણવ એ રેલ્વે સિગ્નલિંગ માટેનું એક મહત્વનું ઉપકરણ છે, જે પોઈન્ટ સ્વીચોને ઝડપી કામગીરી અને લોકીંગ માટે મહત્વનું છે. તે ટ્રેનોને સુરક્ષિત ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ મશીનોની નિષ્ફળતા ટ્રેનની હિલચાલને ગંભીર રીતે અસર કરે છે અને ઇન્સ્ટોલેશન સમયે ખામીઓને કારણે અસુરક્ષિત પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે.

શા માટે સીબીઆઈ તપાસ

વૈષ્ણવે કહ્યું કે, પોઈન્ટ મશીન કે, ટ્રેકનું કન્ફિગરેશન બદલાઈ ગયું છે. અધિકારીઓનું કહેવું છે કે, આ એક ગંભીર શોધ છે. કદાચ આ જ કારણ છે કે, રેલવે બોર્ડે વધુ તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે. કમિશનર ઑફ રેલવે સેફ્ટી દ્વારા આજજુ-બાજુની તપાસ કરવામાં આવશે. રેલ્વે મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી (CRS) દ્વારા વૈધાનિક તપાસ એકસાથે ચાલુ રહેશે.

બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડી ટ્રેન વચ્ચે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. રવિવારે, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 275 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારબાદ મોતનો આંક 288 થયો હતો.

નવી દિલ્હીમાં, રેલ્વે બોર્ડના સભ્ય (ઓપરેશન્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ) જયા વર્મા સિન્હાએ મીડિયાને જણાવ્યું કે, લોકો (જવાબદાર)ની ઓળખ કરવામાં આવી છે. 'લોકોની ઓળખ થઈ ગઈ છે. પરંતુ અમે તેને સીઆરએસ તપાસ પછી જ શેર કરી શકીશું."

તેમણે કહ્યું કે, ડેટા-લોગર ઇનપુટ (સિગ્નલિંગ સિસ્ટમનું ડિજિટલ ઇન્ટરફેસ) કોઈ ખામી દર્શાવતું નથી. “આપણે બધાએ ડેટા-લોગર રિપોર્ટ્સ જોયા છે. અવલોકન કરેલ સિગ્નલના તર્કમાં કોઈ ખામી નથી."

રવિવારે સવારે દુર્ઘટના સ્થળે, વૈષ્ણવે દૂરદર્શનને કહ્યું હતું: “રેલ્વે સુરક્ષા કમિશનર ગઈકાલે (શનિવારે) સ્થળ પર હતા… CRS એ તમામ લોકોના નિવેદન લીધા છે, અને ઝડપથી આગળ વધ્યા છે. મૂળ કારણની ઓળખ કરવામાં આવી છે - આ કામ કરનારા લોકોની પણ ઓળખ કરવામાં આવી છે. CRS તપાસ રિપોર્ટ - અકસ્માત કેમ થયો, તે પણ ટૂંક સમયમાં જાણવા મળશે.

શનિવારે બાલાસોરની હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ટ્રેન અકસ્માતની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

સીબીઆઈ તપાસની શક્યતા

મીડિયા સાથે વાત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આટલી મોટી દુર્ઘટનામાં બધાએ સાથે મળીને બચાવ કાર્ય કર્યું. અત્યાર સુધી ટ્રેકનું સમારકામ થયું છે, હજુ ઓવરહેડ ઈલેક્ટ્રીક વાયર રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. પરિસ્થિતિને જોતા, રેલવે બોર્ડ તરફથી સીબીઆઈ તપાસની ભલામણ આવી છે, તેને આગળ વધારવામાં આવશે. હવે એક તરફ આ મામલે CBI તપાસ થઈ શકે છે તો, બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પર મોટો આરોપ લગાવ્યો છે.

મમતાએ કેન્દ્ર પર આરોપ લગાવ્યા

મમતા બેનર્જીના કહેવા પ્રમાણે, કેન્દ્ર મૃત્યુઆંક છુપાવી રહ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમારી યાદીમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. કેન્દ્રની યાદીમાં મૃત્યુનો આંકડો કેવી રીતે ઘટી રહ્યો છે તે સમજની બહાર છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે જેઓ ઈતિહાસ બદલી નાખે છે તેઓ ગમે તેટલા આંકડા બદલી શકે છે. પરંતુ હજુ પણ અમે બદલાની વાત નથી કરતા, પરિવર્તનની રાજનીતિ કરીએ છીએ. હવે મમતાના નિવેદન પર કેન્દ્રએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ શનિવારે રેલવે પ્રધાને ચોક્કસ કહ્યું હતું કે, કવચને અકસ્માત સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો - Odisha Train Accident : ઓડિશા ટ્રેન અકસ્માત કેવી રીતે થયો? સમજીએ સરળ શબ્દોમાં

આ સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રેલ મંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 270+ મૃત્યુ પછી પણ કોઈની જવાબદારી સામે આવી નથી! મોદી સરકાર આવા દર્દનાક અકસ્માતની જવાબદારીથી ભાગી શકે નહીં. વડાપ્રધાને તાત્કાલિક રેલ્વે મંત્રીનું રાજીનામું માંગવું જોઈએ!.

ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઓડિશા ટ્રેન અકસ્માત ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ રેલવે Express Exclusive દેશ