સંસદના વિશેષ સત્રની જાહેરાતના એક દિવસ બાદ સરકારે શુક્રવારે એક દેશ એક ચૂંટણીની સંભાવના શોધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. રામનાથ કોવિંદ એ અધ્યયન કરશે કે દેશમાં કેવી રીતે એક સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણી કરાવી શકે છે.
એક દેશ એક ચૂંટણીને લાગુ કરવા પર કામ કરતા પહેલા બંધારણમાં વ્યાપક ફેરફાર, નવા કાયદા, રાજ્યો વચ્ચે સામાન્ય સહમતિ અને ચૂંટણી બાદ જટીલતાઓને ધ્યાનમાં રાખવી આ સરકાર માટે મુખ્ય પડકાર છે. એક સાથે ચૂંટણી કરાવવા માટે લોકસભા અથવા રાજ્ય વિધાનસભાના કાર્યકાળમાં ફેરફાર કરવામાં પહેલો પડકાર પાંચ વર્ષના કાર્યકાળને બંધારણના રૂપથી નિર્ધારિત સીમા છે.
બંધારણના આર્ટીકલ 83 (2) અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓ માટે પાંચ વર્ષના કાર્યકાળ નિર્ધારિત છે. ચૂંટાયેલી સરકારને પડવા પર સંસદનો સમયે પહેલા જ ભંગ થવા ઉપરાંત આ જોગવાઇના કેટલાક અપવાદ પણ છે.
જન પ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 14 અને 15 ચૂંટણી કરાવવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. આ અનુસાર ચૂંટાયેલા આગોયને સંવિધાન દ્વારા નિર્ધારિત પાંચ વર્ષની સીમા અનુસાર ચૂંટણી કરાવવાની જરૂરત હોય છે.





