One Nation One Election : એક દેશ એક ચૂંટણી સમિતિમાં સામેલ એક માત્ર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચ્યું

One Nation One Election Committee : એક દેશ એક ચૂંટણી સંબંધિત આઠ સભ્યોની સમિતિમાં સામેલ એક માત્ર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પોતાનું નામ પાછું ખેંચ્યુ છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તે સમિતિમાં સામેલ ન કરીને મોટું અપમાન કરાયુ છે.

Written by Ajay Saroya
Updated : September 03, 2023 08:57 IST
One Nation One Election : એક દેશ એક ચૂંટણી સમિતિમાં સામેલ એક માત્ર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચ્યું
અધીર રંજન ચૌધરી - કોંગ્રેસ નેતા. (Photo- Adhir Ranjan Chowdhury Facebook)

Congress Adhir Ranjan Chowdhur Name Withdraws from One Nation One Election Committee : એક દેશ એક ચૂંટણીને લઈને કેન્દ્ર સરકાર વતી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં કુલ આઠ સભ્યો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ કરાયો છે. જો કે તેમણે કમિટીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. અધીર રંજને ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં ઉપરોક્ત કમિટીમાં સામેલ થવા સ્પષ્ટપણે ના પાડી દીધી છે.

આ કમિટીમાં કોંગ્રસના અધ્યક્ષ મલિલ્કાર્જુન ખડેગને સામેલ ન કરાયા

અધીર રંજન ચૌધરીએ ભારપૂર્વક કહ્યુ કે, તેમને આ બધુ ઘોખો – છેતરપીંડિ જેવુ લાગે છે. તેઓ એવું પણ માને છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તે સમિતિમાં સામેલ ન કરવુ, એક અપમાન જેવુ છે. આ કારણસર તેમણે અમિત શાહને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. જો કે, રાજકીય નિષ્ણાતોને આ પગલાથી આશ્ચર્ય થયું નથી, કારણ કે અત્યાર સુધી આ દાવ પર વિપક્ષની રણનીતિ સ્પષ્ટ નથી.

એક દેશ એક ચૂંટણીની સમિતિમાં કોણ કોણ છે?

જાણકારી માટે તમને જણાવી દઈએ કે એક દેશ એક ચૂંટણી સંબંધિત આઠ સભ્યોની કમિટીમાં દેશના રાષ્ટ્રયપતિ રામનાથ કોવિડ અને કેન્દ્રય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત સાથે અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, અધીર રંજન, હરીશ સાલ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંજય કોઠારીને પણ આ મહત્વની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે આ બધા એક દેશ એક ચૂંટણી પ્રક્રિયા પર મંથન કરવા જઈ રહ્યા છે, રામનાથ કોવિંદના નેતૃત્વમાં તેમની તરફથી એક માળખું તૈયાર કરવામાં આવશે, તમામ પાસાઓ પર ચર્ચા પણ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, આ આઠ સભ્યોમાં કોંગ્રેસના માત્ર એક જ અધીર રંજનને સામેલ કર્યા છે.

આ પણ વાંચો | એક દેશ એક ચૂંટણી : બંધારણમાં ફેરફાર, નવા કાયદો, સરકાર સામે શું છે મોટો પડકાર?

સંસદના ચોમાસુ સત્રમાં એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવ રજૂ થવા સંભવ

વાસ્તવમાં સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવી રહ્યું છે. એવી અટકળો છે કે તે સત્ર દરમિયાન સરકાર એક દેશ એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કરી શકે છે. જો આમ થશે તો તે પોતાનામાં એક મોટો સુધારો સાબિત થશે. પરંતુ વિપક્ષ આ પગલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય તેવું લાગતું નથી, ભારત ગઠબંધનની બેઠકમાં ચોક્કસપણે વિચાર-મંથન થયું છે, પરંતુ તેનો વિરોધ કરવો કે સમર્થન કરવું તે અંગે કંઈપણ કહેવાનું તેઓ ટાળી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ