કોંગ્રેસે ‘વન નેશન, વન ઈલેક્શન’ નો કર્યો વિરોધ, મલ્લિકાર્જુન ખડગેએ સમિતિને 17 મુદ્દામાં મોકલ્યા સૂચનો

One Nation One Election - Congress protested : વન નેશન, વન ઈલેક્શન (એક રાષ્ટ્ર, એક ચૂંટણી) નો કંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, મલ્લિકાર્જુન ખડગેએ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને સૂચનો મોકલ્યા.

Written by Kiran Mehta
January 19, 2024 18:39 IST
કોંગ્રેસે ‘વન નેશન, વન ઈલેક્શન’ નો કર્યો વિરોધ, મલ્લિકાર્જુન ખડગેએ સમિતિને 17 મુદ્દામાં મોકલ્યા સૂચનો
વન નેશન, વન ઈલેક્શન માટે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો

One Nation, One Election : કોંગ્રેસ પાર્ટીએ ‘વન નેશન વન ઈલેક્શન’ સિસ્ટમનો વિરોધ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે આ કામ માટે સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના સચિવને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ ‘વન નેશન વન ઇલેક્શન’ના વિચારનો સખત વિરોધ કરે છે. તેમણે આ હેતુ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિમાં ભેદભાવનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમાં વિરોધ પક્ષોને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. દેશના અનેક રાજ્યોમાં વિપક્ષની સરકાર છે. આવી સ્થિતિમાં સમિતિની ભલામણોને અસર થશે.

મજબૂત લોકશાહી માટે આવા વિચારો ન અપનાવવાની સલાહ આપી

મલ્લિકાર્જુન ખડગેએ પત્રમાં કહ્યું છે કે, સંસદીય શાસન પ્રણાલી અપનાવનારા દેશમાં એક સાથે ચૂંટણીની કલ્પનાને કોઈ સ્થાન નથી. તેમની પાર્ટી ‘વન નેશન, વન ઈલેક્શન’ના વિચારનો સંપૂર્ણ વિરોધ કરે છે. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ આ વિચારનો સખત વિરોધ કરે છે. મજબૂત અને સમૃદ્ધ લોકશાહી માટે આવા વિચારોને દૂર કરવા યોગ્ય છે. અહીં એક સાથે તમામ ચૂંટણીઓ થઈ શકે નહીં.

સરકાર અને સમિતિની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા

ગત વર્ષે 18 ઓક્ટોબરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિ વતી સૂચનો માટે કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખવામાં આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે સમિતિને 17 મુદ્દાઓમાં પોતાના સૂચનો મોકલ્યા છે. ખડગેએ કહ્યું, “સરકાર અને આ સમિતિએ શરૂઆતમાં જ આ અંગે પ્રમાણિક રહેવું જોઈતું હતું. તેઓ જે પ્રયાસો કરી રહ્યા છે તે બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધ છે અને જો એકસાથે ચૂંટણી યોજવી હોય તો, બંધારણના મૂળભૂત માળખામાં નોંધપાત્ર ફેરફારો કરવાની જરૂર પડશે.

તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી અને દેશની જનતા વતી હું ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ (કોવિંદ) ને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે, તેઓ સંવિધાન અને સંસદીય લોકતંત્રને નષ્ટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તેમના વ્યક્તિત્વ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિના પદનો દુરઉપયોગ ન કરવા દે.

આ પણ વાંચોહેલિકોપ્ટરમાં બેસી અયોધ્યાના દર્શન કરવા માંગો છો? જાણો કેટલો સમય લગશે અને ભાડું શું છે

‘વન નેશન વન ઇલેક્શન’ કમિટીને એક સાથે ચૂંટણીઓ અંગે હજારો સૂચનો અને પ્રતિસાદ મળ્યા છે, સૂચનો આપનારા કેટલાક લોકોએ શૈક્ષણિક સંશોધન પત્રો મોકલ્યા છે, કેટલાકે તમામ સંભવિત ચૂંટણી સુધારાઓ પર પોતાના મંતવ્યો શેર કર્યા છે અને કેટલાક લોકોએ આ વિચારનો વિરોધ કર્યો છે. ઉચ્ચ સ્તરીય સમિતિએ 5 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રકાશિત જાહેર સૂચના દ્વારા લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ