scorecardresearch

સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઇએ, નહીં કે પીએમ નરેન્દ્ર મોદીએ : રાહુલ ગાંધી

parliament building inauguration : દિલ્હીમાં નવનિર્મિત સસંદ ભવનનું 28 મે, 2023ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે, જેને લઇને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષોનો વડાપ્રધાન પર શાબ્દિક હુમલો.

Rahul Gandhi parliament
લોકસભા સચિવાલયે ઘોષણા કરી હતી કે, પીએમ મોદી 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં નવ નિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતું કે, ભારતના આ નવા સંસદનું ઉદ્ઘાટન દેશના રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, વડા પ્રધાને નરેન્દ્ર મોદી એ નહીં.

ગયા ગુરુવારે એક નિવેદનમાં, લોકસભા સચિવાલયે ઘોષણા કરી હતી કે, પીએમ મોદી 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. “નવી સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારત (આત્મનિર્ભર ભારત”) ની ભાવનાનું પ્રતીક છે. એવું લોકસભાના નિવેદનમાં જણાવ્યું હતું.

આ અગાઉ પણ વિરોધ પક્ષોના સભ્યોએ પૂછ્યું હતું કે વડા પ્રધાન શા માટે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આરજેડી નેતા મનોજ કુમાર ઝાએ કહ્યું કે, “શું માનનીય @rashtrapatibhvn નવા ‘સંસદ ભવન’નું ઉદ્ઘાટન ન કરવું જોઈએ? હું ત્યાંથી નીકળી જઇશ…જય હિંદ.”

તો સીપીઆઈ નેતા ડી રાજાએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, “મોદી જીની વાત આવે ત્યારે સેલ્ફ- ઇમેજ અને કેમેરા પ્રત્યેનું વળગણ શિષ્ટાચાર અને નીતિમત્તાને બાજુમાં હડસેલી દે છે.” તેમણે ટ્વીટ કર્યું કે, “ પીએમ રાજ્યના કાર્યકારી અંગનું નેતૃત્વ કરે છે અને સંસદ એ વિધાયક હિસ્સો છે. નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે દેશના પ્રમુખ તરીકે શ્રી દ્રૌપદી મુર્મુ યોગ્ય છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ પીએમ મોદી દ્વારા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા પર સવાલો ઉઠાવ્યા હતા. ઓવૈસીએ ટ્વિટરમાં લખ્યું કે,“તેઓ કારોબારીના વડા છે, ધારાસભાના નહીં. અમારી પાસે સત્તાઓનું વિભાજન છે અને માનનીય લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષ તેનું ઉદ્ઘાટન કરી શક્યા હોત. તે જનતાના પૈસાથી બનેલું છે, શા માટે પીએમ એવું વર્તન કરી રહ્યા છે કે તેમના ‘મિત્રો’એ સંસદ ભવન માટે તેમના વ્યક્તિગત ફંડમાંથી સ્પોન્સર કર્યું છે,” .

આ દરમિયાન, 28 મેના રોજ હિન્દુત્વના વિચારક વીડી સાવરકરની જન્મજયંતિ પણ હોવાથી, કોંગ્રેસે અગાઉ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની નિંદા કરી હતી, અને આ નિર્ણયને દેશના સંસ્થાપક પિતાઓનું “સંપૂર્ણ અપમાન” ગણાવ્યું હતું.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર કહ્યું, “આપણા તમામ સંસ્થાપક પિતા અને માતાઓનું સંપૂર્ણ અપમાન. ગાંધી, નેહરુ, પટેલ, બોઝ, વગેરેને સંપૂર્ણ નજર અંદાજ કરવા સમાન છે. ડૉ. આંબેડકરનું સ્પષ્ટ અપમાન છે.”

Web Title: Parliament building inauguration narendra modi rahul gandhi opposition leaders

Best of Express