Lok Sabha : અમિત શાહે લોકસભામાં પંડિત નેહરુના બે 'બ્લન્ડર' ગણાવ્યા, નારાજ થયો વિપક્ષ, કર્યો હંગામો

Amit Shah : અમિત શાહે બુધવારે લોકસભામાં કહ્યું કે પંડિત નહેરુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો થઈ હતી જે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે હતી. જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું

Amit Shah : અમિત શાહે બુધવારે લોકસભામાં કહ્યું કે પંડિત નહેરુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો થઈ હતી જે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે હતી. જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
અમિત શાહ સીએએ : અમિત શાહનું મોટું નિવેદન, લોકસભા ચૂંટણી પહેલા લાગુ થશે CAA

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ (Photo: Screengrab from X/SansadTV)

Amit Shah Lok Sabha : ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે બે બ્લન્ડર્સ સહન કર્યા છે. પ્રથમ યુદ્ધવિરામની જાહેરાત કરવી અને બીજું કાશ્મીરના મુદ્દાને યુએનમાં લઈ જવાનો. અમિત શાહના આ નિવેદન બાદ બુધવારે લોકસભામાં હોબાળો થયો હતો. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ તેમની વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય બાદ વિપક્ષી સાંસદોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

Advertisment

અમિત શાહે ગૃહમાં કહ્યું કે પંડિત નહેરુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો થઈ હતી જે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે હતી. જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. એક - જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબનો વિસ્તાર આવતા જ સિઝફાયર કરી દીધું હતું અને પીઓકેનો જન્મ થયો. જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત તો પીઓકે ભારતનો ભાગ હોત. આ પછી તેમણે આગળ કહ્યું કે પહેલા આખા કાશ્મીરને જીત્યા વગર યુદ્ધવિરામ આપી દીધો અને બીજું આ મુદ્દોને યુએનમાં લઈ જવાની મોટી ભૂલ કરી.

આ પણ વાંચો - પ્રણવ મુખર્જીને પ્રધાનમંત્રી બનાવવા માંગતા ન હતા સોનિયા ગાંધી? પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીએ પુસ્તકમાં કર્યો ચોંકાવનારો દાવો

Advertisment

જેકે રિઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને જેકે પુનર્ગઠન (એમેન્ડમેન્ટ) બિલ, 2023માં શું છે ખાસ?

  1. સીમાંકનની ભલામણના આધારે ત્રણ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
  2. જમ્મુ કાશ્મીર એસેમ્બલીમાં કાશ્મીરમાંથી વિસ્થાપિત લોકો માટે બે સીટ અને પીઓકેમાંથી વિસ્થાપિત લોકો માટે એક સીટ છે.
  3. JK વિધાનસભામાં ST માટે નવ બેઠકો અનામત રાખવામાં આવી છે.
  4. પીઓકે માટે 24 બેઠકો અનામત રાખવામાં આવી છે.
લોકસભા જમ્મુ અને કાશ્મીર અમિત શાહ દેશ