PM-E Bus : મોદી સરકારનો મોટો નિર્ણય, 100 શહેરોમાં દોડશે 10 હજાર ઇલેક્ટ્રિક બસ, કેન્દ્ર સરકાર આપશે 20 હજાર કરોડ

PM electric bus Yojna : ભારતના 100 શહેરોમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના શરૂ કરવામાં આવશે. આના માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે. આ સિવાય 7 સપ્ટેમ્બરે ઓબીસી માટે વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે.

PM electric bus Yojna : ભારતના 100 શહેરોમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના શરૂ કરવામાં આવશે. આના માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે. આ સિવાય 7 સપ્ટેમ્બરે ઓબીસી માટે વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
PM electric bus Yojna

પીએમ ઈલેક્ટ્રીક બસ યોજના શરૂ કરાશે (ફોટો - પ્રતિકાત્મક - એક્સપ્રેસ)

PM-E Bus Yojna : મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 100 શહેરોમાં 10,000થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડશે. આ માટે કેન્દ્ર સરકાર 57,613 કરોડ રૂપિયા આપશે. આ યોજનાને PM-e બસ નામ આપવામાં આવ્યું છે.

Advertisment

વિશ્વકર્મા યોજનાને કેન્દ્રીય કેબિનેટની પણ મંજૂરી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ યોજનાનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કર્યો હતો. આ યોજના દ્વારા દેશના નાના કામદારોને આર્થિક મદદ કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, નાના કામદારોને લોન અને તાલીમ, એડવાન્સ ટેક્નોલોજીની માહિતી, કૌશલ્ય સંબંધિત તાલીમ આપવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, 13,000 કરોડ રૂપિયાની વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ કારીગરોને 5% વ્યાજ પર એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને 30 લાખ કારીગર પરિવારોને તેનો લાભ મળશે.

આ પણ વાંચો - Independence Day : સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન દ્વારા, લાલ કિલ્લા પરથી જ શા માટે ભાષણ આપવામાં આવે છે? જાણો ઇતિહાસ

Advertisment

મોદી સરકાર ડિજિટલ ઈન્ડિયાને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ અંગે માહિતી આપતાં કેબિનેટે જણાવ્યું કે, 14,903 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને પણ મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર ગુજરાતી ન્યૂઝ દેશ PM Narendra Modi