/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Pm-modi-rozgar-mela.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - Photo- ANI
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસિયાન (દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંઘ) શિખર સમ્મેલન માટે જકાર્તા જવા માટે રવાના થશે. પીએમ મોદી બુધવારે રાત્રે ઇન્ડોનેશિયાની રાજધાની માટે રવાના થસે. જ્યાં 20માં આસિયાન ભારત શિખર સમ્મેલન અને 18માં ઈસ્ટ એશિયા શિખર સમ્મેલનમાં ભાગ લેશે.
બીજી તરફ અધિકારી ભારત - આસિયાન સમુદ્રી સુરક્ષા સહયોગને પ્રોત્સાહન વધારવા માટે એક નવી પહેલનું કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયમાં સચિવ સૌરભ કુમારે કહ્યું કે પીએમ મોદી શિખર સમ્મેલનમાં આસિયાન - ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે. અને તેમણે આગળની દિશા પ્રદાન કરશે.
આ પણ વાંચોઃ- Bharat : ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, સરકારે કહ્યું કે ભારતનું નામ બદલવાની વાત અફવા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન છ ડિસેમ્બરની રાતે દિલ્હીથી પ્રસ્થાન કરશે અને 7 સપ્ટેમ્બરે પરત આવશે. આ ધ્યાનમાં રાખતા આસિયાન શિખર સમ્મેલન તરત બાદ જી 20 શિખર સમ્મેલન થશે. આ એક નાની યાત્રા હશે. એ પૂછવા પર શું ચીનના નવા માનક મેપ રજૂ કરવાના મુદ્દો શિખર વાર્તામાં ઉઠશે. કુમારે કહ્યું કે એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે જ્યારે નેતા મળશે તો શું ચર્ચા થશે પરંતુ જે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા આંતરીક ચિંતાનો છે જે બધા મુદ્દા ઉઠાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટે બીજિંગના ચીનના માનક માનચિત્રને 2023 સંસરણ રજૂ કર્યો હતો. જેમાં તાઈવાન, દક્ષિણ ચીન સાગર, અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ચીની ક્ષેત્રોના રૂપમાં શામિલ કરવામાં આવ્યા છે. ભારતના નક્શાને નકારી દીધો છે. આના પર ચીનની સમક્ષ કડક વિરોધ દર્શાવવામાં આવ્યો છે. દક્ષિણ ચીન સાગર પર ચીનના ક્ષેત્રીય દાવા બાદ મલેશિયા, વિયતનામ અને ફિલીપીંસ પહેલા જ દાવાને નકારી ચૂક્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us