એલકે અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરી પીએમ મોદીએ આપી ગુરુદક્ષિણા; લોકસભા ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક?

Lal Krishna Advani Bharat Ratna Award : લાલકૃષ્ણ અડવાણી માટે ભારત રત્ન પુરસ્કારની ઘોષણા ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે તે અયોધ્યા રામ મંદિર કાર્યક્રમના થોડાક દિવસ બાદ અને લોકસભા ચૂંટણી 2024ના થોડાક મહિના પહેલા થઇ છે.

Lal Krishna Advani Bharat Ratna Award : લાલકૃષ્ણ અડવાણી માટે ભારત રત્ન પુરસ્કારની ઘોષણા ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે તે અયોધ્યા રામ મંદિર કાર્યક્રમના થોડાક દિવસ બાદ અને લોકસભા ચૂંટણી 2024ના થોડાક મહિના પહેલા થઇ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pm modi | pm modi lk advani bharat ratna award | lk advani bharat ratna | lk advani | Lal Krishna Advani bharat ratna | PM Modi with LK Advani

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાલકૃષ્ણ અડવાણી (Photo - @narendramodi)

(Deeptiman Tiwary) |Lal Krishna Advani Bharat Ratna Award : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મોદી સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કર્યાના દિવસો બાદ આ ઘોષણા થઇ છે. આને લોકસભા ચૂંટણી 2024 પહેલા માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.

Advertisment

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન મળવો મહત્વપૂર્ણ

96 વર્ષીય ભારત નેતા લાલકૃષ્ણ અડવાણીની સાથે પીએમ મોદીના ગાઢ સંબંધોને જોતા તેમના માટે ભારત રત્નની ઘોષણા મહત્વની છે. એવું માનવામાં આવે છે કે લાલકૃષ્ણ અડવાણી જ હતા જેમણે નરેન્દ્ર મોદીને આરએસએસના યુવા કાર્યકર તરીકે આગળ વધાર્યા હતા અને તેમને 2000ના દાયકાની શરૂઆતમાં ગુજરાતના સીએમ બનવામાં મદદ કરીને તેમને ભાજપની અગ્ર હરોળમાં લાવ્યા હતા. એવું પણ કહેવાય છે કે, એ અડવાણી જ હતા, જેમણે 2002ના ગુજરાત રમખાણો પછી નરેન્દ્ર મોદીની સીએમની ખુરશી બચાવી હતી, જ્યારે તત્કાલિન પીએમ અટલ બિહારી વાજપેયી તેમનાથી નારાજ હતા.

જો કે, 2012 બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના અગ્રણી ચહેરા તરીકે ઉભરવા લાગ્યા, લાલ કૃષ્ણ અડવાણીએ અસ્વસ્થતા દર્શાવી. સત્તામાં આવ્યા બાદ લાલકૃષ્ણ અડવાણીને ભાજપના માર્ગદર્શક મંડળમાં મોકલવામાં આવ્યા હતા.

Advertisment

અડવાણી માટે ભારત રત્નની ઘોષણા એટલા માટે મહત્વની છે કારણ કે તે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પછી જ થઈ છે. અડવાણીને વ્યાપકપણે અયોધ્યા રામ મંદિર આંદોલનના મુખ્ય કાર્યકર્તા માનવામાં આવે છે જેમણે ભાજપને આગળ ધપાવી હતી. આ સમયે અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાથી આગામી લોકસભા ચૂંટણી પહેલા મંદિરનો ભાજપનો દાવો વધુ મજબૂત બનશે.

રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ

પદ્મ અને ભારત રત્ન પુરસ્કારો હંમેશા વ્યક્તિના યોગદાનને માન્યતા આપવા ઉપરાંત રાજકીય સંદેશ આપવાનો એક માર્ગ રહ્યો છે. જેમાં કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનો મુદ્દો પણ સામેલ છે. આ એવા સમયે આવે છે જ્યારે વિરોધ પક્ષ રામ મંદિર પછીના ભાજપના હિંદુત્વના ઉત્સાહનો સામનો કરવા માટે જાતિની વસ્તી ગણતરીની તેમની માંગને એક મજબૂત મુદ્દો બનાવવાની આશા રાખે છે.

L K Advani | L K Advani history | L K Advani bjp | L K Advani rath yatra | L K Advani bjp leaders | lal krishna advani
L K Advani : લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે. (એક્સપ્રેસ આર્કાઇવ)

પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી જે પાંચ લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે જેમાં શિક્ષણવિદ અને સ્વાતંત્ર્ય સેનાની અને એક સમયના કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન માલવિયાનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના નેતા પ્રણવ મુખર્જી, આસામી ગાયક અને સંગીતકાર ભૂપેન હજારિકા અને આરએસએસ નેતા નાનાજી દેશમુખનો પણ સમાવેશ થાય છે. મદન મોહન માલવિયા અને અટલ બિહારી વાજપેયીને 2015માં મોદી સરકારની રચનાના એક વર્ષમાં જ આ સન્માન મળ્યું હતું.

મદન મોહન માલવિયા કોંગ્રેસનો હિસ્સો હતા અને ચાર કાર્યકાળ સુધી તેના અધ્યક્ષ રહ્યા. તેમને સંઘ પરિવારે હંમેશા પોતાની વિચારધારાની નજીકના માન્યા છે. માલવિયા અખિલ ભારતીય હિંદુ મહાસભા (1906) અને બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક પણ હતા. તેમણે 1919 થી 1938 સુધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. ભારત રત્ન એ સંઘના એ દ્રષ્ટિકોણનું પ્રતીક હતું કે માલવિયાને તેના હેઠળ તેમનો હક મળ્યો નથી.

અટલ બિહારી વાજપેયી ભાજપના દિગ્ગજ નેતા હતા જેમના તમામ પક્ષોમાં મિત્રો હતા અને તેમની સંસદીય કારકિર્દી ચાર દાયકાથી વધુ લાંબી હતી, જેમાં લોકસભામાં નવ ટર્મ અને રાજ્યસભામાં બે ટર્મનો સમાવેશ થાય છે. તેમણે 1977-79ની જનતા પાર્ટીની સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી અને પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર હેઠળ 1994માં 'શ્રેષ્ઠ સંસદસભ્ય' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો | ભારત રત્ન કેમ આપવામાં આવે છે, આ પુરસ્કાર સાથે શું રોકડ ઇનામ કે સુવિધાઓ મળે છે?

2019 માં, મોદી સરકારે પ્રણવ મુખર્જીની પસંદગી કરી, જે કોંગ્રેસના સૌથી જૂના દિગ્ગજો નેતા પૈકીના એક હતા, તેમને ભારત રત્ન માટે પસંદ કર્યા. પ્રણવ મુખર્જીએ નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યાના બરાબર એક વર્ષ બાદ આ એવોર્ડ મળ્યો હતો.

Ayodhya લોકસભા ચૂંટણી 2024 એક્સપ્રેસ એક્સપ્લેન politics ભાજપ PM Narendra Modi