PM Modi Visit Lakshadweep: લક્ષદ્વીપ એક સમયે હિંદુ અને બોદ્ધ લોકોથી સમૃધ્ધ હતું, જાણો ઇસ્લામનું પ્રભુત્વ કેવી રીતે વધ્યું

PM Modi Visit Lakshadweep, Maldives Row With India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતથી આ ટાપુ ચર્ચામાં આવ્યો છે. અહીંયા 96 ટકાથી વધુ વસ્તી ઇસ્લામમાં માને છે. જો કે, એક સમયે લક્ષદ્વીપમાં મુસ્લિમ બહુમતી ન હતી.

PM Modi Visit Lakshadweep, Maldives Row With India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતથી આ ટાપુ ચર્ચામાં આવ્યો છે. અહીંયા 96 ટકાથી વધુ વસ્તી ઇસ્લામમાં માને છે. જો કે, એક સમયે લક્ષદ્વીપમાં મુસ્લિમ બહુમતી ન હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
PM Modi Visit Lakshadweep | PM Narendra Modi Visit Lakshadweep | PM Narendra Modi | Lakshadweep

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના પ્રવાસ ગયા હતા તે સમયે દરિયા કિનારાની સુંદરતા માણી હતી. (Photo- @narendramodi)

(Adrija Roychowdhury)PM Narendra Modi Visit Lakshadweep : સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ અને માલદીવને લઈને ચર્ચા ચાલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને ત્યાંથી સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી, માલદીવના કેટલાક નેતાઓને આ વાત ન ગમી. તેમણે ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. વિવાદ બાદ EaseMyTrip એ મોટો નિર્ણય લીધો અને માલદીવની તમામ ટિકિટો કેન્સલ કરી દીધી. તો બીજી બાજુ માલદીવને પોતાના જ ઘરઆંગણે સિનિયર નેતાઓ તરફથી ઠપકો પણ મળ્યો હતો.

Advertisment

હાલ માલદીવ અને લક્ષદ્વીપ બંનેને સોશિયલ મીડિયા પર સર્ચ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન લક્ષદ્વીપની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો લક્ષદ્વીપ વિશે સર્ચ કરી રહ્યા છે. એકંદરે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાતે સમગ્ર દેશમાં તેને ચર્ચામાં લાવી દીધી છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે એક સમયે હિન્દુ અને બૌદ્ધ વસ્તી ધરાવતો ટાપુ પર મુસ્લિમ પ્રભુત્વ વધ્યું.

PM Narendra Modi Visit Lakshadweep | PM Modi Lakshadweep Visit | PM Modi In Lakshadweep
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની બે દિવસની મુલાકાતે ગયા હતા. તેમણે લક્ષદ્વીપના દરિયામાં ડુબકી લગાવી અને સમુદ્રની અંદરની દુનિયાનો નજારો માણ્યો હતો. (Photo- @narendramodi)

મોટાભાગના મુસ્લિમ રહેવાસીઓ

હકીકતમાં લક્ષદ્વીપ કેરળના દરિયાકિનારાથી લગભગ 400 કિમી દૂર આવેલું છે. તે ભારતીય પ્રવાસીઓ માટે છુપાયેલા ખજાના તરીકે ઓળખાય છે. આ ટાપુ તેના સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. જોકે અહીં રહેતા મોટાભાગના લોકો મુસ્લિમ છે. જો કે, લક્ષદ્વીપમાં ઇસ્લામની સંસ્કૃતિ ભારતના અન્ય શહેરોમાં રહેતા મુસ્લિમોની જીવનશૈલીથી તદ્દન અલગ છે. અહીંના મુસ્લિમોની જીવનશૈલી અને ખાનપાન તદ્દન અલગ છે. લક્ષદ્વીપમાં રહેતા મુસ્લિમ લોકો મલયાલમ, આરબ, તમિલ અને કન્નડની જેમ રહે છે. તેમની ભાષા અને સંસ્કૃતિ હિંદુ લોકો સાથે ઘણી મળતી આવે છે.

Advertisment

શું લક્ષદ્વીપ પર રહેતા લોકો પહેલા હિંદુ હતા?

હિન્દુ અને બૌદ્ધોની ભૂમિ લક્ષદ્વીપ કેવી રીતે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું બન્યું? હકીકતમાં, અહીંની 96 ટકાથી વધુ વસ્તી ઇસ્લામમાં માને છે. જો કે, લક્ષદ્વીપ પર પહેલા મુસ્લિમ બહુમતી ન હતું. અહીં હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ રહેતા હતા. ઇસ્લામના નિષ્ણાત એન્ડ્રુ ડબલ્યુ ફોર્બ્સે કહ્યું છે કે લક્ષદ્વીપમાં પ્રથમ વસાહતીઓ માલાબારી નાવિક હતા. ટાપુ પર રહેતા લોકોને જોઈને આવું જ લાગે છે. જોકે તે સાબિત કરવું થોડું મુશ્કેલ છે. ફોર્બ્સે લખ્યું છે કે ઇ.સ. સાતમી સદી દરમિયાન સ્થળાંતરની લહેર ચાલી હોવાના મજબૂત પુરાવા છે. જોકે આ ક્યારે શરૂ થયું તે કહેવું મુશ્કેલ છે, આ સ્થળાંતર કરનારાઓ મોટાભાગે માલાબારી હિંદુઓ હતા.

તેમણે આગળ લખ્યું કે જાતિ સિવાય, ટાપુમાં પૂર્વ-ઇસ્લામિક હિન્દુ સમાજના અસ્તિત્વના ઘણા પુરાવા છે. અહીં જમીનમાંથી મૂર્તિઓ મળી આવી છે. રામની ભક્તિમાં ઘણા પરંપરાગત ગીતોના પુરાવા છે. આ ઉપરાંત અહીં સાપની પૂજા કરવામાં આવે છે. આ બધા ઈસ્લામિક હિન્દુ સમાજના પુરાવા છે.

આ પણ વાંચો | એક પગલું અને ખતમ થઇ જશે માલદીવની બધી અકડ, જાણો કેવી રીતે ભારત પર છે નિર્ભર

ટાપુ પર રહેતા લોકોએ ઇસ્લામ શા માટે અપનાવ્યો?

ફોર્બ્સ માને છે કે અરબ અને માલાબાર દરિયાકાંઠે મુસાફરી કરતા વેપારીઓ અને નાવિકો સાથે સતત સંપર્કમાં રહેવાથી ધીમે ધીમે ઇસ્લામમાં પરિવર્તિત થયા. ખાસ કરીને, લક્ષદ્વીપમાં ઇસ્લામિક પ્રભાવ અરબથી આવ્યો હતો. ફોર્બ્સનું કહેવું છે કે, લક્ષદ્વીપ પર રહેતા લોકો મેપિલાસને બદલે અરબી સાથે મલયાલમ બોલે છે અને અરબીમાં મલયાલમ લખે છે. આવી રીતે લક્ષદ્વીપમાં રહેતા મુસ્લિમોની સંસ્કૃતિ અન્ય સ્થળો કરતા અલગ છે.

એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi