પીએમ મોદીએ કહ્યું - હવે પછીના 100 દિવસ નવી ઊર્જા, નવા ઉમંગ, નવા આત્મવિશ્વાસ સાથે કામ કરવાનું છે

PM Narendra Modi : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા. કહ્યું - હું પોતાના સુખ-વૈભવમાં જીવનારો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ, સત્તા ભોગવવા માટે નથી માગતો. હું રાષ્ટ્રના સંકલ્પ લઇને નીકળેલો માણસ છું.

PM Narendra Modi : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા. કહ્યું - હું પોતાના સુખ-વૈભવમાં જીવનારો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ, સત્તા ભોગવવા માટે નથી માગતો. હું રાષ્ટ્રના સંકલ્પ લઇને નીકળેલો માણસ છું.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi, BJP

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા (તસવીર - બીજેપી ટ્વિટર)

BJP national convention : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વર્ષના દરેક દિવસે, 24 કલાક ભાજપનો કાર્યકર દેશની સેવા માટે કંઈક ને કંઈક કરી રહ્યો છે. પરંતુ હવે પછીના 100 દિવસ નવી ઊર્જા, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવા આત્મવિશ્વાસ અને નવા જોશ સાથે કામ કરવાનું છે. આજે વિપક્ષના નેતાઓ પણ એનડીએ સરકારના 400 પારના નારા લગાવી રહ્યા છે. 400ને પાર કરવા ભાજપે 370નો માઇલસ્ટોન પાર કરવો પડશે. પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા તેને અસ્થિરતા, પરિવારવાદ અને તુષ્ટિકરણની જનની ગણાવી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ષડયંત્ર રચી રહી છે.

Advertisment

પીએમ મોદીએ કહ્યું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં જે ઝડપ હાંસલ કરી છે, મોટા લક્ષ્યોને હાંસલ કરવાની હિંમત અભૂતપૂર્વ છે. ભારતે આજે દરેક ક્ષેત્રમાં જે ઊંચાઈઓ હાંસલ કરી છે, તેણે દરેક દેશવાસીઓને એક મહાન સંકલ્પ સાથે જોડ્યા છે. આ એક વિકસિત ભારતનો સંકલ્પ છે. હવે દેશ ન તો નાના સપના જોઈ શકે છે કે ન તો નાના સંકલ્પો લઈ શકે છે. સપના પણ વિરાટ હશે અને સંકલ્પો પણ વિરાટ હશે. તે આપણું સ્વપ્ન છે અને સંકલ્પ પણ છે કે આપણે ભારતને વિકસિત બનાવવું છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણે છત્રપતિ શિવાજીને માનનારા લોકો છીએ. છત્રપતિ શિવાજી મહારાજનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેમણે એવું ન કર્યું કે સત્તા મળી ગઇ છે તો ચાલો આનંદ લઈએ. તેમણે પોતાનું મિશન ચાલુ રાખ્યું. હું પોતાના સુખ-વૈભવમાં જીવનારો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ, સત્તા ભોગવવા માટે નથી માગતો. હું રાષ્ટ્રના સંકલ્પ લઇને નીકળેલો માણસ છું.

આ પણ વાંચો - ઝારખંડ રાજકારણ : નવી સરકાર ખતરામાં! કોંગ્રેસના 8 ધારાસભ્યો નારાજ, ધારાસભ્યોના દિલ્હીમાં ધામા

Advertisment

સદીઓથી જે કામો પડ્યા હતા તેના સમધાન માટે અમે સાહસ બતાવ્યું

પોતાની સરકારના કાર્યકાળમાં મહિલા સશક્તિકરણની દિશામાં કરવામાં આવેલા કાર્યો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભાજપ યુવા શક્તિ, મહિલા શક્તિ, ગરીબો અને ખેડૂતોની શક્તિને વિકસિત ભારતની શક્તિ બનાવી રહી છે. જેમને કોઈએ પૂછ્યું નથી, તેમને અમે પૂછ્યું છે, એટલું જ નહીં, અમે તેમની પૂજા કરી છે. આવનારા સમયમાં આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ માટે અવસરો બનવાના છે. મિશન શક્તિ દેશમાં મહિલા શક્તિના સંરક્ષણ અને સશક્તિકરણની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરશે. 15 હજાર મહિલા એસએચજીને ડ્રોન મળશે. હવે ડ્રોન દીદી ખેતીમાં વૈજ્ઞાનિકતા અને આધુનિકતા લાવશે.

7 દાયકા સુધી રાહ જોયા બાદ દેશને કલમ 370થી આઝાદી મળી

પીએમે કહ્યું કે અમે સદીઓથી બાકી રહેલા કાર્યોને હલ કરવાની હિંમત બતાવી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીને અમે 5 સદીઓનો ઇંતજાર ખતમ કર્યો છે. ગુજરાતના પાવાગઢમાં 500 વર્ષ બાદ ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. 7 દાયકા પછી આપણે કરતારપુર સાહિબ રાહદારી ખોલ્યા છે. 7 દાયકા સુધી રાહ જોયા બાદ દેશને કલમ 370થી આઝાદી મળી છે.

પીએમ મોદીએ કહ્યું કે 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોંચવામાં ભારતને 60 વર્ષ લાગ્યા હતા. અમે અમારા 10 વર્ષમાં 3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવ્યું છે. આજે ભારત પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને આપણું માળખાગત બજેટ રૂ. 11 લાખ કરોડને વટાવી ગયું છે. અમે 2029માં ભારતમાં યોજાનારા યુથ ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છીએ. જેમણે આઝાદી પછી વર્ષો સુધી આપણા દેશ પર શાસન કર્યું હતું, તેમણે એક સિસ્ટમ બનાવી હતી. એ વ્યવસ્થામાં સત્તાના કેન્દ્રમાં કેટલાક મોટા પરિવારના લોકો જ હતા. તેમની આસપાસ રહેતા લોકોને રાજકીય સત્તા મળતી રહી. માત્ર નજીકના પરિવારના સભ્યોને જ મહત્વપૂર્ણ હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. અમે આ સિસ્ટમ પણ બદલી નાખી.

2036માં ઓલિમ્પિકની યજમાની માટે ભારત કામ કરી રહ્યું છે કામ - પીએમ મોદી

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે કામ કરી રહ્યું છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના આપણા શાસનમાં પણ પ્રતિબિંબિત થાય છે. અમે દરેક ક્ષેત્રના વિકાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉત્તર-પૂર્વનું ઉદાહરણ તમારી સામે છે. અગાઉની સરકારોમાં પૂર્વોત્તરની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી હતી. પરંતુ અમે મત અને બેઠકો માટે કામ કરતા નથી. આપણા માટે દેશનો એક-એક ખૂણો સમૃદ્ધ અને વિકસિત હોવો જોઈએ, આ જ અમારી ભાવના છે. અમારી કેબિનેટમાં પૂર્વોત્તરના રેકોર્ડ સંખ્યામાં મંત્રીઓ છે. પહેલીવાર નાગાલેન્ડની કોઇ મહિલા રાજ્યસભામાં સાંસદ બની છે. અમને ગર્વ છે કે અમે પહેલીવાર ત્રિપુરાના કોઈ વ્યક્તિને મંત્રીપરિષદમાં સ્થાન આપ્યું છે. અરુણાચલ પ્રદેશને પહેલીવાર અમારી સરકારમાં કેબિનેટ મંત્રી મળ્યા છે.

લોકસભા ચૂંટણી 2024 નરેન્દ્ર મોદી દેશ ભાજપ PM Narendra Modi