પીએમ નરેન્દ્ર મોદીએ સૈનિકોને કહ્યું - મારી ભારતીય સેના જ્યાં છે, તે સ્થળ કોઈ મંદિરથી ઓછું નથી

PM Narendra Modi : હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સૈનિકો સાથે દિવાળી મનાવ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરવી એ એક ગર્વનો અનુભવ રહ્યો છે

PM Narendra Modi : હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સૈનિકો સાથે દિવાળી મનાવ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરવી એ એક ગર્વનો અનુભવ રહ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | Diwali 2023

પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દિવાળી સૈનિકો સાથે ઉજવી હત (તસવીર - @narendramodi)

PM Narendra Modi Diwali : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દિવાળીનો તહેવાર સૈનિકો સાથે ઉજવ્યો હતો. હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સૈનિકો સાથે દિવાળી મનાવ્યા પછી પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરવી એ એક ગર્વનો અનુભવ રહ્યો છે. મને વિશ્વાસ છે કે સંતોષ અને આનંદથી ભરેલી આ પળ મારા માટે, તમારા માટે, દેશવાસીઓ માટે પણ દીપાવલીમાં નવી રોશની લાવશે.

Advertisment

સૈનિકોના કારણે જ દેશ સુરક્ષિત છે: પીએમ મોદી

સૈનિકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણા સૈનિકો દરેક પડકાર સાથે ટકરાય છે. જ્યાં સુધી મારા બહાદુર સાથીઓ સરહદો પર હિમાલયની જેમ ઉભા છે ત્યાં સુધી ભારત સુરક્ષિત છે. તમારી સેવાને કારણે ભારત સુરક્ષિત છે અને સમૃદ્ધિના માર્ગે અગ્રેસર છે. ગત દિવાળીથી આ દિવાળીનો સમયગાળો રહ્યો છે તે ભારત માટે અભૂતપૂર્વ સિદ્ધિઓથી ભરપૂર છે. ભારતે ચંદ્રયાન મિશનને ચંદ્ર પર ઉતાર્યું છે, આપણે આદિત્ય એલ 1 ને લોન્ચ કર્યું, આ એક વર્ષમાં, સરહદી વિસ્તારોમાં વાઇબ્રેન્ટ વિલેજની શરૂઆત થઇ. રમતના મેદાનમાં પણે ભારતે પોતાની કાબેલિયત બતાવી છે.

આ પણ વાંચો - શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપીના અન્ય પડકારો, યાદી લાંબી છે

દેશની ઉપલબ્ધિઓનો શ્રેય સૈનિકોને આપતા પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી તમે સરહદ પર ઉભા છો ત્યાં સુધી દેશ વિકાસ માટે વધુ સારા પ્રયાસો કરી રહ્યો છે. ભારત જે સિદ્ધિઓ મેળવી રહ્યું છે તેનો શ્રેય તમને પણ જાય છે.

Advertisment

જ્યાં સૈનિકો તૈનાત છે તે કોઈ મંદિરથી ઓછું નથી

સૈનિકોની બહાદુરીના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે મારા માટે મારી ભારતીય સેના જ્યાં છે, જ્યાં મારા દેશના સુરક્ષા દળોના સૈનિકો તૈનાત છે તે સ્થળ કોઈ મંદિરથી ઓછું નથી. જ્યાં તમે છો તે જ મારો તહેવાર છે. દરેક વ્યક્તિ પરિવારની યાદ આવે છે, પરંતુ તમારા ચહેરા પર કોઈ ઉદાસી નથી. તમારા ઉત્સાહની કમીનું નામોનિશાન નથી. તમે ઉત્સાહથી ભરપૂર છો, ઊર્જાથી ભરપૂર છો, કારણ કે તમે જાણો છો કે 140 કરોડનો પરિવાર તમારો પોતાનો પણ છે. તેથી દેશ તમારો આભારી અને ઋણી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય સેના અને સુરક્ષા દળોના શૌર્યનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ભૂમિ અને દીવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદભૂત સંયોગ છે, આ અદ્ભુત મિલન, સંતોષ અને આનંદથી ભરેલી આ પળ મારા માટે, તમારા માટે, દેશવાસીઓ માટે દીવાળીમાં નવો પ્રકાશ પહોંચાડશે.

Indian army diwali નરેન્દ્ર મોદી PM Narendra Modi