વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના નવ વર્ષ પૂરા થતાં ભાજપના ટોચના નેતૃત્વએ શુક્રવારે જણાવ્યું હતું કે 2014થી “સાર્વત્રિક વૃદ્ધિ”ના તેના મોડલને પ્રતાપે રેલ્વે, હવાઈ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને મોટાભાગના ક્ષેત્રોમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન રસી અને રાશન વિતરણ, ટેક્નોલોજી અને સામાજિક કલ્યાણની પહેલ દ્વારા લાખો લોકોનું સશક્તિકરણ થયુ છે.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટેની એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાનના તાજેતરના ત્રણ દેશોના પ્રવાસે વૈશ્વિક મંચ પર પરિવર્તનશીલ ભારતની છબીને મજબૂત બનાવી છે જ્યારે સ્થાનિક મોરચે, મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓએ “ઉદ્દેશ્ય” ને સમૃદ્ધ બનાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ , અશ્વિની વૈષ્ણવ , અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી.
કરોડો લોકોને LPG અને મફત અનાજનું વિતરણ
આ કાર્યક્રમમાં પાર્ટીએ એક પુસ્તિકા બહાર પાડી – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ – જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) જેવી “સમાવેશક” કલ્યાણ યોજનાઓને રેખાંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ કોરોના મહામારી દરમિયાન હેઠળ 9.6 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા અને 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યા હતા.
આયુષ્માન ભારત યોજનાના રૂપમાં ભારત પાસે વિશ્વનો સૌથી મોટો જાહેર આરોગ્ય સંભાળ કાર્યક્રમ હોવા છતાં પણ 11.72 કરોડ જેટલા “સમ્માન ઘર” અથવા મહિલાઓ માટે જાહેર શૌચાલયો દેશના ગામડાઓમાં બાંધવામાં આવ્યા હતા. શૌચાલયનો અભાવ એ ગ્રામ્ય વિસ્તારોમાં લાખો મહિલાઓને તેમના દિવસની શરૂઆતમાં સૌથી પહેલા સામનો કરવામાં આવતી સમસ્યા છે.
ભાજપ પક્ષે માળખાગત સુવિધાઓને હાઇલાઇટ કરી હતીઃ 17 વંદે ભારત ટ્રેનો અને 400 શરૂ થવાની તૈયારી; છેલ્લા નવ વર્ષમાં 74 નવા એરપોર્ટ બનાવવામાં આવ્યા છે જ્યારે 2014માં દેશમાં એરપોર્ટની સંખ્યા 74 હતી; 54,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 111 જળમાર્ગો અને 15 શહેરોમાં મેટ્રો રેલ કનેક્ટિવિટી નક્કી કરવામાં આવી છે.
આર્થિક રીતે નબળાં વર્ગોને ‘અનામત’
ભાજપે આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવાનો “ઐતિહાસિક” નિર્ણય લીધો છે. ઉપરાંત વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ લોક પ્રોજેક્ટ્સ, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને અન્ય વિવિધ પ્રોજેક્ટ્સના નામનો ઉલ્લેખ કર્યો હતો, જે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસ અને સંસ્કૃતિને યોગ્ય સમ્માન મળે તેની ખાતરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.