પીએમ મોદીએ એકસમયે મનમોહન સિંહને ‘મૌન-મોહન’, નાઇટ વોચમેન કહ્યા હતા, હવે કર્યા વખાણ

પીએમ મોદીએ એકસમયે મનમોહન સિંહને 'મૌન-મોહન', નાઇટ વોચમેન કહ્યા હતા. હવે તેમણે ગૃહને માર્ગદર્શન આપવા અને દેશને માર્ગદર્શન આપવા બદલ મનમોહન સિંહનો આભાર માન્યો

Written by Ashish Goyal
Updated : February 09, 2024 20:37 IST
પીએમ મોદીએ એકસમયે મનમોહન સિંહને ‘મૌન-મોહન’, નાઇટ વોચમેન કહ્યા હતા, હવે કર્યા વખાણ
પીએમ નરેન્દ્ર મોદી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ (ફાઇલ ફોટો)

Lalmani Verma : ગુરુવારે રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષ બંનેમાં કેટલાક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેમણે રાજ્યસભાના વિદાય લેતા સાંસદ મનમોહન સિંહનો ગૃહને માર્ગદર્શન આપવા અને દેશને માર્ગદર્શન આપવા બદલ આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન લોકશાહીને મજબૂત કરવામાં મદદ કરવા માટે વ્હીલચેરમાં ઉપલા ગૃહમાં આવ્યા હતા.

જોકે વર્ષોથી મોદી અને મનમોહન સિંહે ઘણીવાર નીતિ અને રાજકીય વિચારધારાના મુદ્દાઓને લઈને એકબીજા પર પ્રહારો કર્યા છે, અને એકબીજા વિશે ખૂબ જ આલોચનાત્મક ટિપ્પણીઓ કરી છે.

મનમોહન સિંહ પર નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓ

2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ સતત મનમોહન સિંહ પર પ્રહારો કર્યા હતા. જ્યારે તેઓ પોતાને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા હતા. ઓક્ટોબર 2012માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક રેલીમાં મોદીએ સિંહને “મૌન મોહનસિંહ કહ્યા હતા. ઉનામાં તત્કાલીન વડા પ્રધાને કરેલા ભાષણનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે આજના સૌથી મોટા સમાચાર એ છે કે ‘મૌન-મોહન’સિંહે પોતાનું મૌન તોડ્યું છે.

લગભગ એક વર્ષ પછી માર્ચ 2013માં નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં બોલતા મોદીએ મનમોહન સિંહને “નાઇટ વોચમેન” કહ્યા હતા. તેમણે પોતાના ભાજપના સાથીઓને કહ્યું કે તેમણે મનમોહન સિંહને પીએમ બનાવીને એક નાઇટ વોચમેનની નિમણૂક કરી. વડા પ્રધાન બીજું કશું જ નહીં પણ ગાંધી પરિવારની કઠપૂતળી છે.

તે પછીના મહિને કોલકાતામાં ભાજપના કાર્યકરોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહને કોંગ્રેસમાં નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા નથી. જો તમે કોંગ્રેસના 100 કાર્યકરોને પૂછશો કે તેમના નેતા કોણ છે, તો કોઈ પણ મનમોહન સિંહજીનું નામ લેશે નહીં, પછી ભલે તે વડા પ્રધાન હોય. આવા વડા પ્રધાન એક રાષ્ટ્રનું નેતૃત્વ કેવી રીતે કરી શકે?

ફેબ્રુઆરી 2017માં રાજ્યસભામાં બોલતા મોદીએ મનમોહન સિંહ પર વધુ એક કટાક્ષ કર્યો હતો. તેમની સરકાર ભ્રષ્ટાચારના વિવિધ આરોપોનો સામનો કરી રહી છે ત્યારે પણ ડો.સિંહના સ્વચ્છ રેકોર્ડ પર આશ્ચર્ય વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહ સામે ભ્રષ્ટાચારના એક પણ આરોપ નથી, તે પણ સૌથી ભ્રષ્ટ સરકાર દરમિયાન. બાથરૂમમાં રેઇનકોટ પહેરીને નહાવાની કળા મનમોહન સિંહ પાસેથી શીખી શકાય છે. આ ટિપ્પણીથી કોંગ્રેસ ગુસ્સે થઈ ગઈ હતી અને વિપક્ષને વોકઆઉટ તરફ દોરી ગઈ હતી.

મે 2019માંનમોદીએ સિંહને કોંગ્રેસ દ્વારા દેશ પર લાદવામાં આવેલા કાર્યકારી વડા પ્રધાન તરીકે ઉલ્લેખ કર્યો હતો. મધ્ય પ્રદેશના સાગરમાં એક રેલીમાં મોદીએ કહ્યું હતું કે ભલે તે રિમોટ-કંટ્રોલ સરકાર ચલાવવાની હોય કે પછી વીડિયો ગેમ્સ રમવાની હોય, આ લોકો (કોંગ્રેસ) એક્ટિંગથી ઉપર વિચારી શકતા નથી. આ જ કારણ છે કે તેઓએ એક કાર્યકારી વડા પ્રધાનને દેશનું સુકાન સોંપ્યું છે.

ગયા વર્ષે 8 સપ્ટેમ્બરે અંબિકાપુરમાં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા મોદીએ પોતાના પુરોગામીની તુલના છત્તીસગઢના તત્કાલીન સીએમ રમણ સિંહ સાથે કરી હતી. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન, કે જેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે અને નાણાં પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 1991ની ઉદારીકરણ નીતિના આર્કિટેક્ટ હતા. ભારતીય અર્થતંત્ર પરના તેમના નિર્ણયો પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો – પાંચ ભારત રત્ન, પાંચ દાવ અને મોદી સરકારની ચૂંટણી બ્લૂપ્રિન્ટ તૈયાર

પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે લોકોના ડોક્ટર (રમણ સિંહ) તેમની સુખાકારી માટે ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા હતા. ત્યારે રૂપિયાના ડોક્ટર (મનમોહન સિંહ) ભારતીય ચલણના ઘાને જરા પણ મટાડી શક્યા ન હતા. તેમણે કહ્યું કે રૂપિયો હોસ્પિટલમાં જીવન માટે લડી રહ્યો છે.

મનમોહન સિંહના નરેન્દ્ર મોદી પર પ્રહારો

4 જાન્યુઆરી 2014ના રોજ લોકસભા ચૂંટણી પહેલા મનમોહન સિંહે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના ગુણદોષો પર ચર્ચા કર્યા વિના, હું નિષ્ઠાપૂર્વક માનું છું કે શ્રી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે રાખવાનું દેશ માટે વિનાશક હશે.

ચાર વર્ષ પછી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા નવેમ્બર 2018માં ઈન્દોરમાં અન્ય એક પરિષદને સંબોધન કરતા, મનમોહન સિંહને તેમની 2014ની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું.તેમાં તેમણે કહ્યું હતું તે મેં કહ્યું હતું કે મોદી વડા પ્રધાન તરીકે આપત્તિજનક બનશે. હવે હું સમજું છું કે મેં એક કઠોર શબ્દનો ઉપયોગ કર્યો હતો જેનો મારે ઉપયોગ ન કરવો જોઈએ. હું તેનું પુનરાવર્તન કરવા માંગતો નથી. પરંતુ હવે એ સમય દૂર નથી કે જ્યારે મોદીજી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી જાહેર નીતિની અસરકારકતા અથવા અન્યથા જાહેર જનતાને જાહેર કરવાની તક મળશે.

નવેમ્બર 2016માં ડિમોનેટાઇઝેશન પરની ચર્ચા દરમિયાન મનમોહન સિંહ કહ્યું હતું કે જે રીતે “યોજના લાગુ કરવામાં આવી છે તે એક મહાન મેનેજમેન્ટ નિષ્ફળતા હતી અને તેને “સંગઠિત લૂંટ, સામાન્ય લોકોની કાયદેસર લૂંટનો કેસ” ગણાવ્યો હતો.

એક વર્ષ પછી નવેમ્બર 2017માં મનમોહન સિંહે અમદાવાદમાં એક સભામાં કહ્યું હતું કે નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) “અર્થતંત્ર માટે બેવડો ફટકો” છે. 10 ડિસેમ્બર, 2017ના રોજ મોદીએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ સાંસદ મણિશંકર ઐયરના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મનમોહન સિંહ અને પૂર્વ સેના પ્રમુખ હાજર હતા તેમાં કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે પાકિસ્તાન સાથે સાંઠગાંઠ કરી હતી.

તેના જવાબમાં મનમોહન સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય મુદ્દાઓ મેળવવા માટે ફેલાવવામાં આવતા જુઠ્ઠાણા અને કેનાર્ડ્સથી ખૂબ જ દુ:ખી અને વ્યથિત છું. ગુજરાતમાં તોળાઈ રહેલા પરાજયના ભયથી પ્રધાનમંત્રીની દરેક પ્રકારની હતાશા ઊડીને આંખે વળગે તેવી છે. દુઃખની વાત એ છે કે મોદી ભૂતપૂર્વ વડા પ્રધાન અને આર્મી ચીફ સહિત દરેક બંધારણીય હોદ્દાને કલંકિત કરવાની તેમની અતૃપ્ત ઇચ્છાને કારણે એક ખતરનાક દાખલો બેસાડી રહ્યા છે.

પૂર્વ વડા પ્રધાને મનમોહન સિંહે એપ્રિલ 2018માં ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા અને ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય દ્વારા એક કિશોર પર કથિત બળાત્કાર અંગે “મૌન” અંગે મોદીની ટીકા કરી હતી.

‘મૌન-મોહન સિંહ’ ટિપ્પણી સાથે ભાજપ દ્વારા તેમને ટોણો મારવા અંગે પૂછવામાં આવતા પૂર્વ વડા પ્રધાને કહ્યું કે તેઓ આખી જિંદગી આ પ્રકારની ટિપ્પણીઓ સાથે જીવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ