Sant Mirabai Janmotsav : મીરાબાઇ જયંતિ સમારોહ : મથુરામાં પીએમ નરેન્દ્ર મોદીએ 525 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો, જાણો શું કહ્યું

Sant Mirabai Janmotsav : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - મથુરા અને વ્રજ પણ આ વિકાસની દોડમાં હવે પાછળ નહીં રહે. તે દિવસ દૂર નથી જ્યારે વ્રજ ક્ષેત્રમાં ભગવાનના દર્શન વધુ ભવ્યતા હશે

Sant Mirabai Janmotsav : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - મથુરા અને વ્રજ પણ આ વિકાસની દોડમાં હવે પાછળ નહીં રહે. તે દિવસ દૂર નથી જ્યારે વ્રજ ક્ષેત્રમાં ભગવાનના દર્શન વધુ ભવ્યતા હશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | PM Modi

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (@BJP4India)

PM Narendra Modi visits Shri Krishna Janmabhoomi temple : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરા બાઈના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ અને 525 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણથી લઇને મીરા બાઇ સુધી ગુજરાત સાથે અલગ જ નાતો રહ્યો છે. આ મથુરાનો કાનો ગુજરાત જઇને દ્વારકાધીશ બન્યા હતા. મીરાની ભક્તિ વૃંદાવન વગર પૂર્ણ થતી નથી.

Advertisment

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે આજે મને વ્રજના દર્શન કરવાની તક મળી છે, વ્રજવાસીઓના દર્શનની તક મળી છે, કારણ કે અહીં તે જ આવે છે જેને શ્રી કૃષ્ણ અને શ્રીજી બોલાવે છે. આ કોઈ સાધારણ ધરતી નથી. આ વ્રજ આપણું 'શ્યામા-શ્યામ જુ' તેનું પોતાનું ધામ છે. વ્રજ 'લાલજી' અને 'લાડલી જી' ના પ્રેમનો સાક્ષાત અવતાર છે. આ છે વ્રજ, જેની રજ પણ આખા સંસારમાં પૂજનીય છે.

ભગવાન કૃષ્ણથી લઈને મીરાબાઈ સુધી બ્રજનો ગુજરાત સાથે અલગ સંબંધ રહ્યો છે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે મારા માટે આ સમારોહમાં આવવું એ એક અન્ય ખાસ કારણ છે. ભગવાન કૃષ્ણથી લઈને મીરાબાઈ સુધી બ્રજનો ગુજરાત સાથે એક અલગ સંબંધ રહ્યો છે. મથુરાથી કાનો ગુજરાત જઇને દ્વારકાધીશ બન્યા. રાજસ્થાનથી આવીને મથુરા-વૃંદાવનમાં પ્રેમનો પ્રવાહ ફેલાવનાર સંત મીરાબાઈજીએ પણ પોતાનું અંતિમ જીવન દ્વારકામાં વિતાવ્યું હતું. વૃંદાવન મીરાની ભક્તિ વગર પૂર્ણ નથી.

Advertisment

તેમણે કહ્યું કે મીરાબાઈની 525મી જન્મ જયંતિ માત્ર એક સંતની જન્મ જયંતિ નથી. તે ભારતની સમગ્ર સંસ્કૃતિની ઉજવણી છે, તે પ્રેમ અને પરંપરાની ઉજવણી છે. આ તહેવાર નર અને નારાયણ વચ્ચે, જીવ અને શિવમાં, ભક્ત અને ભગવાન વચ્ચે ભેદભાવ ન રાખવાના વિચારની ઉજવણી પણ છે.

'કન્હૈયાના શહેરમાં પણ 'લાડલી સરકાર' ની જ પહેલા ચાલે છે'

પીએમે કહ્યું કે આપણું ભારત હંમેશાં નારી શક્તિનું પૂજન કરનારો કરતો દેશ રહ્યો છે. વ્રજના લોકો કરતાં આને વધુ સારી રીતે કોણ સમજી શકે. અહીં કન્હૈયાના નગરમાં પણ 'લાડલી સરકાર' પહેલા ચાલે છે. અહીં સંબોધન, સંવાદ, સન્માન બધું જ રાધે-રાધે કહીને જ થાય છે. કૃષ્ણ પહેલાં પણ જ્યારે રાધા લાગે છે ત્યારે તેમનું નામ પૂર્ણ થાય છે. તેથી આપણા દેશમાં મહિલાઓએ હંમેશાં જવાબદારીઓ ઉપાડી છે અને સમાજને સતત માર્ગદર્શન પણ આપ્યું છે.

આ પણ વાંચો -  પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું – ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તામાં આવી રહી છે

મીરાબાઈએ બતાવ્યું નારીનું આત્મબળ

પીએમ મોદીએ કહ્યું કે સંત મીરાબાઈ જી એ તે કાલખંડમાં સમાજને એ માર્ગ દેખાડ્યો જેની તે સમયે સૌથી વધુ જરૂર હતી. ભારતના આવા કપરા કાળમાં મીરાબાઈ જેવા સંતે બતાવી દીધું કે નારીશક્તિમાં આખી દુનિયાને દિશા આપવાની તાકાત છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વ્રજ ક્ષેત્રએ સૌથી મુશ્કેલ સમયમાં પણ દેશને ટકાવી રાખ્યો છે. પરંતુ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ પવિત્ર તીર્થસ્થાનને જે મહત્વ મળવું જોઈએ તે થયું નહીં. જે લોકો ભારતને તેના ભૂતકાળથી અલગ કરવા માંગતા હતા, જેઓ ભારતની સંસ્કૃતિ, તેની આધ્યાત્મિક ઓળખથી વિરક્ત હતા. જેઓ આઝાદી પછી પણ ગુલામીની માનસિકતા છોડી શક્યા ન હતા, તેમણે વ્રજ ભૂમિને વિકાસથી વંચિત કરી દીધી હતી.

તેમણે કહ્યું કે આજે આઝાદીના અમૃતકાલમાં પહેલીવાર દેશ ગુલામીની એ માનસિકતામાંથી બહાર આવ્યો છે. અમે લાલ કિલ્લા પરથી 'પંચ પ્રણો'નો સંકલ્પ લીધો છે. આપણે આપણા વારસા પર ગૌરવની ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ.

પીએમ મોદીએ કાશી અને ઉજ્જૈનનો ઉલ્લેખ પણ કર્યો

દેવસ્થાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે કાશીમાં વિશ્વનાથ ધામ ભવ્ય રૂપમાં આપણી સામે છે. આજે દિવ્યતાની સાથે સાથે ઉજ્જૈનના મહાકાલ મહાલોકમાં પણ ભવ્યતા જોવા મળી રહી છે. આજે કેદાર ઘાટીમાં કેદારનાથજીના દર્શન કરીને લાખો લોકોને ધન્યતા મળી રહી છે. હવે તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના લોકાપર્ણની તારીખ પણ આવી ગઈ છે. મથુરા અને વ્રજ પણ આ વિકાસની દોડમાં હવે પાછળ નહીં રહે. તે દિવસ દૂર નથી જ્યારે વ્રજ ક્ષેત્રમાં ભગવાનના દર્શન વધુ ભવ્યતા હશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશમાં વ્રજ ક્ષેત્રમાં થઈ રહેલા આ ફેરફારો માત્ર વ્યવસ્થામાં પરિવર્તન જ નથી. તે આપણા રાષ્ટ્રની બદલાતી પ્રકૃતિ, તેની પુનર્જીવિત ચેતનાનું પ્રતીક છે. મહાભારત એ વાતનો પુરાવો છે કે જ્યાં ભારતનું પુનરુત્થાન થાય છે ત્યાં તેની પાછળ શ્રીકૃષ્ણના આશીર્વાદ અવશ્ય હોય છે. આ જ આશીર્વાદની તાકાતથી આપણે આપણા સંકલ્પોને પૂર્ણ કરીશું અને એક વિકસિત ભારતનું નિર્માણ કરીશું.

ઉત્તર પ્રદેશ નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi