/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/ram-mandir-inauguration-time.jpg)
પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેશે (તસવીર - પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટર)
Ram Temple : અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ કરશે. બુધવારે સાંજે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પીએમ નરેન્દ્ર મોદી સાથે સંગઠનના અધિકારીઓની બેઠક વિશે માહિતી આપતાં કહ્યું કે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ નરેન્દ્ર મોદીએ આમંત્રણ સ્વીકારી લીધું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કર્યું કે જય સિયારામ, આજનો દિવસ ઘણો ભાવનાઓથી ભરેલો છે. હાલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારી મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યા આવવા માટે નિમંત્રિત કર્યા છે. હું પોતાને ઘણો ધન્ય અનુભવી રહ્યો છું. આ મારું સૌભાગ્ય છે કે પોતાના જીવનકાળમાં હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ.
जय सियाराम!
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn— Narendra Modi (@narendramodi) October 25, 2023
દશેરાના દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે વિજયાદશમી ભગવાન રામના વાપસી જેવી છે. ભારતમાં શગુન થઇ રહ્યા છે, આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ, આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ, નવી સંસદ ભવન બની ગઇ છે, મહિલા અનામત બિલ પસાર થઈ ગયું છે અને આ સમયે આખી દુનિયા લોકશાહીની જનનીને જોઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભગવાન રામને રામ મંદિરમાં બિરાજમાન થવામાં માત્ર થોડા મહિના જ બાકી છે, ભગવાન શ્રી રામ આવવાના છે. વિજયાદશમીથી જ રામના આગમનની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે આજે આપણને ભગવાન રામના સૌથી ભવ્ય મંદિરનું નિર્માણ થતું જોવાનું સૌભાગ્ય મળ્યું છે. અયોધ્યાની આગામી રામનવમી પર રામલલાના મંદિરમાં ગુંજતો દરેક સ્વર આખી દુનિયાને હર્ષિત કરનાર હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us