Uniform Civil Code : યુનિફોર્મ સિવિલ કોડ મામલે પીએમ નરેન્દ્ર મોદી મક્કમ, સમાન નાગરિક કાયદો વિવિધ સમુદાયોને કેવી રીતે અસર કરશે

Uniform Civil Code : કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે મંતવ્યો આમંત્રિત કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તેને લાગુ કરવા દબાણ કરી રહ્યા છે. સમાન નાગરિક કાયદાનો અર્થ શું થાય છે અને આટલો હોબાળો - ચર્ચા કેમ છે? આ વિશે બંધારણએ શું કહ્યુ હતુ?

July 02, 2023 09:26 IST
Uniform Civil Code : યુનિફોર્મ સિવિલ કોડ મામલે પીએમ નરેન્દ્ર મોદી મક્કમ, સમાન નાગરિક કાયદો વિવિધ સમુદાયોને કેવી રીતે અસર કરશે
પીએમ નરેન્દ્ર મોદી (ફોટો - બીજેપી4ઈન્ડિયા)

(ખાદીજા ખાન) PM narendra Modi on Uniform Civil Code : હાલ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) વિરુદ્ધ લઘુમતી સમુદાયોને કથિત રીતે ઉશ્કેરવા બદલ વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીનું આ નિવેદન 22મા કાયદા પંચે 30 દિવસની અંદર UCC પર જનતા અને માન્ય ધાર્મિક સંગઠનોના મંતવ્યો આમંત્રિત કર્યાના એક અઠવાડિયા પછી આવ્યું છે.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC એ તમામ ધર્મના લોકો માટે વ્યક્તિગત કાયદાને એક સમાન કાયદા રાખવાનો પ્રસ્તાવ છે. વ્યક્તિગત કાયદામાં સંપત્તિ વારસો, લગ્ન, છૂટાછેડા, બાળની કસ્ટડી અને ભરણપોષણની બાબતનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, હાલ ભારતમાં વ્યક્તિગત કાયદાઓ બહુ જટિલ અને વૈવિધ્યસભર છે, જેમાં દરેક ધર્મ તેના પોતાના ચોક્કસ નિયમોનું પાલન કરાવે છે.

જ્યારે નાગરિક સમાન કાયદાના સ્વરૂપ અને કદ અંગે વારંવાર ચર્ચા થઇ રહી છે ત્યારે બંધારણમાં પણ આ વિચારનો ઉલ્લેખ જોવા મળે છે.

ભારતીય બંધારણનો ભાગ IV રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો સાથે જોડાયેલો કરે છે, જે અદાલતો દ્વારા અમલમાં ન હોવા છતાં, દેશને સંચાલિત કરવામાં મૂળભૂત ભૂમિકા ભજવતા માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે માનવામાં આવે છે. કલમ 44માં ઉલ્લેખ છે કે, રાજ્યએ “ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક કાયદો સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.” પીએમ મોદીએ તેમના ભાષણમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે UCC એ બંધારણના ઘડવૈયાઓ દ્વારા રજૂ કરાયેલો એક વિચાર હતો.

બંધારણ સભામાં શું ચર્ચા થઈ હતી?

બંધારણ સભામાં સમાન નાગરિક કાયદાને નિર્દેશક સિદ્ધાંત તરીકે અપનાવવા લાંબી ચર્ચા થઇ હતી.

જ્યારે 23 નવેમ્બર, 1948ના રોજ આ કલમ પર ચર્ચા થઈ રહી હતી ત્યાર કેટલાક મુસ્લિમ સભ્યોએ ભારપૂર્વક નાગરિકોની પૂર્વ સંમતિ સાથે સામાન્ય નાગરિક કાયદો અપનાવવાનું સૂચન કર્યું હતું કે તે . જો કે, બીઆર આંબેડકર આ સુધારાનો સખત વિરોધ કરતા હતા.

મદ્રાસના સભ્ય મોહમ્મદ ઈસ્માઈલે તેમાં એક જોગવાઈ ઉમેરવાની દરખાસ્ત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય વિધાનસભા કાયદા દ્વારા નક્કી કરી શકે છે કે ‘કોઈપણ સમુદાયના અંગત કાયદા કે જેને કાનૂન દ્વારા ખાતરી આપવામાં આવી છે તે સમુદાયની અગાઉની મંજૂરી સિવાય બદલાશે નહીં.’

ઈસ્માઈલે એમ પણ કહ્યું હતું કે જૂથ અથવા સમુદાયનો તેના અંગત કાયદાને અનુસરવાનો અધિકાર મૂળભૂત છે અને તેની સાથે કોઈ પણ પ્રકારનો ચેડા એ “પેઢીઓથી આ કાયદાઓનું પાલન કરતા લોકોની જીવનશૈલીમાં દખલiગી કરવા સમાન” હશે.

આ પછી, પશ્ચિમ બંગાળના નઝીરુદ્દીન અહમદે કહ્યું કે UCCથી માત્ર મુસ્લિમોને જ અસુવિધા થશે એવું નથી, કારણ કે દરેક ધાર્મિક સમુદાયની પોતાની ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ હોય છે.

મદ્રાસ સ્થિત બી પોકર સાહિબ બહાદુરે કહ્યું, “યુનિફોર્મ દ્વારા, હું પૂછું છું કે તમારો મતલબ શું છે, અને તમે કયા સમુદાયના ચોક્કસ કાયદાને માપદંડ તરીકે લેવાના છો?” હિંદુ કાયદામાં અલગ અલગ મિતાક્ષર અને દયાભાગ પ્રણાલીઓનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું, “અન્ય ઘણી બધી પ્રણાલીઓ છે જેને અન્ય સમુદાયો અનુસરે છે. તમે શેનો આધાર બનાવી રહ્યા છો?”

એ જ રીતે, ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરનાર વકીલ અને શિક્ષણવિદ્ કે.એમ. મુનશીએ કહ્યું કે હિંદુઓ પાસે પોતાના અલગ કાયદા છે અને પૂછ્યું કે, “શું આપણે આ પ્રસ્તાવિત કાયદાને એ આધાર પર મંજૂરી આપીશું કે તે દેશના વ્યક્તિગત કાયદાને અસર કરે છે? તેથી તે માત્ર લઘુમતીઓ માટેનો પ્રશ્ન નથી પણ બહુમતીઓને પણ અસર કરે છે.

અંતે, ડ્રાફ્ટ કમિટિના તત્કાલીન અધ્યક્ષ આંબેડકરે નિર્દેશ કર્યો કે, ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતને છોડીને, બોમ્બે અને સંયુક્ત પ્રાંત જેવા ભારતના વિવિધ ભાગોમાં મુસ્લિમો 1937 સુધી ઉત્તરાધિકારની બાબતોમાં હિંદુ કાયદા દ્વારા સંચાલિત હતા. જોકે, તેમણે ખાતરી આપી હતી કે UCC લોકો પર લાગુ કરવામાં આવશે નહીં કારણ કે કલમ 44 “માત્ર દરખાસ્ત કરે છે કે રાજ્ય નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે”.

આંબેડકરે એવી સંભાવનાને પણ રેખાંકિત કરી હતી કે ભાવિ સંસદ UCCને “શુદ્ધ સ્વૈચ્છિક” રીતે લાગુ કરવા માટે જોગવાઈઓ કરી શકે છે.

અગાઉના કાયદા પંચોએ UCC વિશે શું કહ્યું?

વર્ષ 2016માં કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા કાયદા પંચને UCCના અમલીકરણને લગતી તમામ બાબતોની તપાસ કરવા માટે એક સંદર્ભ મોકલવામાં આવ્યો હતો.

સૌપ્રથમ ભારતનું 21મું કાયદા પંચ આવ્યું, જેણે વિવિધ હિતધારકોના મંતવ્યો મેળવ્યા બાદ આ પ્રસ્તાવ પર અંતિમ અહેવાલને બદલે પરામર્શ પેપર બહાર પાડ્યું. રિફોર્મ્સ ઓફ ફેમિલી લો – શીર્ષક ધરાવતુ આ પેપર 31 ઓગસ્ટ, 2018ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, અને “અર્થઘટનમાં અસ્પષ્ટતા” અને એપ્લિકેશનને મર્યાદિત કરવા માટે વ્યક્તિગત કાયદાઓમાં સુધારા અને કોડિફિકેશન દ્વારા સમગ્ર ધર્મોમાં કૌટુંબિક કાયદાઓમાં સુધારા માટે દલીલ કરી હતી.

ધાર્મિક રિવાજોની આડમાં સતી, દેવદાસી, ટ્રિપલ તલાક અને બાળ લગ્નને ‘સામાજિક દુષણો’ના ઉદાહરણો તરીકે ટાંકીને આ પંચે અવલોકન કર્યું કે “આ પ્રથાઓ માનવ અધિકારોના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂપ નથી અને ન તો તે ધર્મ માટે જરૂરી છે”.

બંધારણની છઠ્ઠી સૂચિ પર આધાર રાખતા, જે કેટલાક રાજ્યોને ચોક્કસ રક્ષણ પૂરું પાડે છે, પેપરમાં જણાવ્યું હતું કે કાયદા ઘડતી વખતે, તે યાદ રાખવું જોઈએ કે “સાંસ્કૃતિક વિવિધતા સાથે એટલી હદે સમાધાન કરી શકાતું નથી કે સમાન માટેનો આપણો આગ્રહ રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતતા માટે જોખમનું કારણ બની જાય. .

આ પેપર જાહેર થયાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી ભારતના 22મા કાયદા પંચે તેના મહત્વ, સુસંગતતા અને “વિષય પરના વિવિધ કોર્ટના આદેશો”ને ધ્યાનમાં રાખી આ “વિષય પર નવેસરથી ઇરાદાપૂર્વક વિચારણા કરવાનું યોગ્ય” માન્યું છે.

જો કે, કાયદા પંચો દ્વારા યુસીસીને હાથ ધરવામાં આવે તે પહેલા જ, 1952 સુધી ન્યાયતંત્ર દ્વારા તેના પર વ્યાપકપણે ચર્ચા કરવામાં આવી હતી.

યુનિફોર્મ સિવિલ કોડ વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સંખ્યાબંધ ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડની રજૂઆતને સમર્થન આપ્યું છે. ચુકાદાઓમાં મહત્વપૂર્ણ 1985નો શાહ બાનો ચુકાદો છે જેમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાના ભરણપોષણ મેળવવાના અધિકારને સમર્થન આપ્યું હતું. આ ચુકાદાએ રાજકીય લડાઈની સાથે સાથે મુસ્લિમ પર્સનલ લોમાં અદાલતો કેટલી હદે દખલ કરી શકે તે અંગેનો વિવાદ શરૂ કર્યો અને સંસદ દ્વારા આ નિર્ણયને રદ કરવામાં આવ્યો.

અદાલતે કહ્યુ હતુ કે, “એક સમાન નાગરિક કાયદો વિરોધાભાસી વિચારધારા ધરાવતા કાયદા પ્રત્યેના વિવિધ વફાદારીઓને દૂર કરીને રાષ્ટ્રીય એકતામાં મદદ કરશે.”

સરલા મુદગલ વિ યુનિયન ઓફ ઈન્ડિયા (1995), સુપ્રીમ કોર્ટે બહુપત્નીત્વને મંજૂરી આપતા કાયદાઓથી લાભ મેળવવા માટે ઈસ્લામમાં ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકતી વખતે કહ્યું હતું કે UCCની જરૂરિયાત પર “ભાગ્યે જ શંકા કરી શકાય છે”. જો કે તેમણે ઉમેર્યું હતું કે આ ત્યારે જ થઈ શકે છે જ્યારે સામાજિક વાતાવરણ “સમાજના ઉચ્ચ વર્ગ દ્વારા યોગ્ય રીતે બનાવવામાં આવે” અને “રાજકારણી, નેતાઓ કે વ્યક્તિગત હિતથી પર આવી અને જનતાને પરિવર્તન સ્વીકારવા માટે જાગૃત કરે છે.”

ઑક્ટોબર 2022માં કેન્દ્રએ, છૂટાછેડા, ઉત્તરાધિકાર, વારસા, દત્તક અને વાલીત્વના કાયદામાં સમાનતા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીનો જવાબ આપતી વખતે જણાવ્યું હતું કે બંધારણ રાજ્યને તેના નાગરિકો માટે UCC રાખવાની ફરજ પાડે છે અને તે બાબત 22મા કાયદા પંચ સમક્ષ મૂકવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ