scorecardresearch

ભારતમાં વાઘની સંખ્યા વધીને 3,167 થઈ, પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર કર્યા આંકડા

PM Narendra Modi visit Karnataka : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આપણા માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે લગભગ વિશ્વમાં વાઘની 75 ટકા સંખ્યા ભારતમાં જોવા મળે છે

pm modi karnataka
બાંદીપુર ટાઇગર રીઝર્વમાં પીએમ નરેન્દ્ર મોદી (Photo: ANI)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં વાઘની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં જણાવ્યું કે દેશમાં વાઘની સંખ્યામાં ફરી એકવાર વધારો થયો છે. 2022 સુધીમાં જંગલમાં વાઘની સંખ્યા 3,167 થઇ ગઇ છે. છેલ્લે વાઘની વસ્તી ગણતરી જુલાઈ 2019માં જાહેર કરવામાં આવી હતી ત્યારે ભારતમાં 2,967 વાઘની સંખ્યા હતી. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં વાઘની વસ્તીમાં 200 (6.7 ટકા)નો વધારો થયો છે. દેશમાં વાઘની સંખ્યા 2006માં 1,411 હતી, તે 2010માં વધીને 1,706 અને 2014માં 2,226 હતી.

પીએમ મોદીએ કર્ણાટકના મૈસુરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું ઉદ્ઘાટન કરતી વખતે વાઘની સંખ્યાના આંકડા જાહેર કર્યા હતા. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ નિમિત્તે ત્રણ દિવસીય કોન્ફરન્સ યોજાઇ હતી. કોન્ફરન્સની શરૂઆત કરતા પહેલા વડાપ્રધાને બાંદીપુર ટાઈગર રિઝર્વ તેમજ મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની મુલાકાત લીધી હતી.
વિશ્વની સાત મોટી બિલાડીઓ વાઘ, સિંહ, ચિત્તો, બરફ ચિત્તો, પુમા, જગુઆર અને ચિત્તાના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પ્રોજેક્ટ ટાઇગરને 50 વર્ષ થઈ ગયા છે. પ્રોજેક્ટ ટાઈગરની સફળતા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક સિદ્ધિ છે. ભારતે માત્ર વાઘને બચાવ્યો નથી, પરંતુ તેને એક મહાન ઇકોસિસ્ટમ આપી છે જેમાં વિકાસ થાય છે. આપણા માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે લગભગ વિશ્વમાં વાઘની 75 ટકા સંખ્યા ભારતમાં જોવા મળે છે. દેશમાં વાઘ 75,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે. દરેકના પ્રયત્નોને કારણે આ શક્ય બન્યું છે

તેમણે કહ્યું કે વિશ્વના અન્ય ભાગોમાં વાઘની સંખ્યા સ્થિર રહે છે અથવા ઘટી રહી છે જ્યારે ભારતમાં વધી રહી છે. કારણ કે જૈવવિવિધતા અને પર્યાવરણ સાથેનું જોડાણ આપણી પરંપરાઓ અને સંસ્કૃતિમાં વણાયેલું છે. પીએમ મોદીએ ધ્યાન દોર્યું કે વાઘ સાથેનો સંબંધ હજારો વર્ષોથી છે અને આ સંબંધમાં 10,000 વર્ષ જૂના ચિત્રો મધ્ય પ્રદેશની ગુફાઓમાંથી મળી આવ્યા છે.

આ પણ વાંચો – ઉત્તર પ્રદેશ બીજેપીનો મોટો ટાર્ગેટ, ‘ભગવા દળ’ની સ્ટ્રેટેજી કરી દેશે સપા, બસપા અને કોંગ્રેસને પરેશાન

વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સિંહ, ચિત્તો, હાથી અને એક શિંગડાવાળા ગેંડાની સંખ્યામાં પણ વધારો થયો છે અને ભારત વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં એશિયાટિક હાથી અને એક શિંગડાવાળા ગેંડા ધરાવે છે અને એકમાત્ર એવો દેશ છે જ્યાં એશિયાઈ સિંહ છે.

પીએમ મોદીએ જણાવ્યું કે વૈશ્વિક જમીન વિસ્તારના માત્ર 2.4 ટકા સાથે ભારત વન્યજીવનની વિવિધતામાં 8 ટકા યોગદાન આપે છે. ભારત વિશ્વનો સૌથી મોટો વાઘ શ્રેણી ધરાવતો દેશ છે. લગભગ 30,000 હાથીઓ સાથે આપણે વિશ્વની સૌથી મોટા એશિયાટિક હાથીઓની શ્રેણીમાં આવીવી છીએ.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિવિધ સંરક્ષણ પ્રયાસોને કારણે એશિયાટીક સિંહોની સંખ્યા પણ 2015માં 525થી વધીને 2020માં 675 થઈ ગઈ છે. જ્યારે માત્ર ચાર વર્ષમાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. સ્વચ્છ ગંગા માટેના રાષ્ટ્રીય મિશને જળચર પ્રજાતિઓની વસ્તીને પુનર્જીવિત કરવામાં પણ મદદ કરી છે. આ લોકોની ભાગીદારી (સંરક્ષણમાં) અને સંરક્ષણની સંસ્કૃતિને કારણે છે.

Web Title: Pm narendra modi visit to karnataka pm modi releases tiger census figures number grows to 3167 in

Best of Express